Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

નાની દમણના કડૈયા માછીવાડ ખાતે અણમોલ સંસ્‍થા દ્વારા યોજાયેલ ત્રિ-દિવસીય સાંસ્‍કૃતિક કાર્યક્રમો

અણમોલ સંસ્‍થાના સંચાલક અને દમણ બાલ ભવનના પૂર્વ વિદ્યાર્થીની અશ્વિનાબેન ટંડેલે ગ્રામ્‍ય વિસ્‍તારના બાળકોની પ્રતિભાને ઉજાગર કરવા શરૂ કરેલું અભિયાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: નાની દમણના કડૈયામાં માછીવાડ ખાતે અણમોલ સંસ્‍થા દ્વારા ત્રિ-દિવસીય સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
બાલભવન દમણની પૂર્વ વિદ્યાર્થીની અને અણમોલ સંસ્‍થાના સંચાલક સુશ્રી અશ્વિનાબેન ટંડેલના નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ બાળકોને ડાન્‍સ, કરાટે સહિત વિવિધ કળાઓ શિખવવામાં આવે છે. 6 થી 16 વર્ષ સુધીના બાળકો માટે આયોજીત કેમ્‍પમાં ડાન્‍સ, નાટક, પેઈન્‍ટિંગ, ક્રાફટ, યોગા, મ્‍યુઝિક સહિત વિવિધ કળાઓનું પ્રશિક્ષણ પણ આપવામાં આવ્‍યું હતું. બહેનો માટે રાખવામાં આવેલા અલગ કેમ્‍પમાં ભજન-ગીત ગાવાની સ્‍પર્ધા રાખવામાં આવી હતી જેમાં મોટી સંખ્‍યામાં બહેનોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે રાષ્‍ટ્રપતિ પુરસ્‍કાર વિજેતા શિક્ષક શ્રી વિરેન્‍દ્ર પટેલ, શ્રી પિયુષ ટંડેલવગેરે પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ છરવાડા અંડરપાસની ટ્રાફિક નિયમન વ્‍યવસ્‍થાનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

નેશનલ હાઈવે નંબર 48 પર ખાડાઓની ભરમાર, લોકો કરી રહ્યા છે ચંદ્રની સપાટીનો અહેસાસ

vartmanpravah

આજથી દમણમાં ધો.10 અને 1રની ગુજરાત બોર્ડની પરીક્ષાનો આરંભ : પ્રશાસન દ્વારા તૈયારી પૂર્ણ

vartmanpravah

દાનહના સીલી ગામે કે.એલ.જે.કંપનીમાં રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

દાનહમાં થયેલા ઔદ્યોગિકરણનો લાભ પ્રદેશના કેટલા આદિવાસીને મળ્‍યો અને કોના ‘જીવન-ધોરણમાં’ સુધારો આવ્‍યો?

vartmanpravah

પારડી નગરપાલિકાના ચાર કર્મચારીઓને નોટિસ જ્‍યારે એક કર્મચારીને દસ દિવસ માટે સસ્‍પેન્‍ડ કરતા ખળભળાટ

vartmanpravah

Leave a Comment