September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નેશનલ હાઈવે નંબર 48 પર ખાડાઓની ભરમાર, લોકો કરી રહ્યા છે ચંદ્રની સપાટીનો અહેસાસ

જીવના જોખમે લોકો કરી રહ્યા છે મુસાફરી, જવાબદાર તંત્ર ઘોર નિંદ્રામાં બાઈક સવારનો ખાડામાં પડી ફંગોળાતો વિડીયો થયો વાયરલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.25
છેલ્લા કેટલાય વર્ષોથી હાઈવે નંબર 48 ના રોડ પર ચોમાસાની સિઝનમાં એટલી હદે ખાડાઓ પડી ખરાબ થઈ જાય કે જાણે આપણે ચંદ્રની સપાટી પર ફરી રહ્યા હોય. આ ખાડાઓને લઈ કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડયો છે પરંતુ ઘોર નિંદ્રામાં સૂતેલ જવાબદાર તંત્ર વર્ષોની આ સમસ્‍યાનું નિવારણ કરી શકી નથી જેને લઈ નિર્દોષ પ્રજા ભોગ બની રહી છે.
ગઈકાલે રાત્રે આવી જ એક ઘટના વાપીથી પારડી આવવાના ટ્રેક પર બલીઠા કિયા શોરૂમ પાસે બનવા પામી હતી. પારડી મોટાતાઈવાડ ખાતે રહેતો અબ્‍દુલ રહેમાન ઉંમરમીયા ઉંમર વર્ષ 30 વાપી ખાતેથી નોકરી પતાવી પોતાની યુનિકોન બાઈક પર પરત ઘરે પારડી ફરી રહ્યો હતો. આ દરમ્‍યાન વાપી બલીઠા નજદીક કિયા શો રૂમ પાસે હાઈવે પર ખાડામાં બાઈક પડતા તે દૂર ફંગોળાઈ જતા બાજુમાંથી પસાર થઈ રહેલ કન્‍ટેનરમાં આવતા માંડમાંડ બચી જવા પામ્‍યો હતો.
પાછળ આવતી કારના ડેશબોર્ડમાં લાગેલ કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જેમાં સાફ સાફ નજરમાં આવે છે કે ફકત એક સેકન્‍ડના અંતરે આ યુવકનો જીવ બચી જાય છે.
અત્‍યાર સુધીમાં કેટલાય લોકો આ રીતે પોતાના જીવ ગુમાવી ચૂકયા છે ત્‍યારે જવાબદાર તંત્ર પોતાની જવાબદારી સમજી જલદીથી વરસોની આ સમસ્‍યાનો હલ લાવે, જેથી નિર્દોષ લોકોના જીવ બચી શકે.

Related posts

માર્ગ અને મકાન વિભાગના લશ્કરોની જાંબાઝ કામગીરી – માત્ર ૨૪ કલાકમાં નવસારી તાલુકાનો ઉન – ખડસુપા રોડ થયો કાર્યરત

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી હોવાનો વટ બતાવી વાપી બગવાડા સ્‍થિત શુભમ ગ્રીન સીટીના બિલ્‍ડરે સોસાયટીના રહેવાસીઓ સાથે કરેલી છેતરપિંડીઃ મામલતદારને પણ ગુમરાહ કર્યા

vartmanpravah

વલસાડ-અતુલ સ્‍ટેશન નજીક ગોરખપુર-બાંદ્રા ટ્રેન નીચે ભાનુશાલી વેપારીએ પડતુ મુકી આપઘાત કર્યો

vartmanpravah

દાભેલના ઘેલવાડ ફળિયાની એક દુકાનમાંથી દમણ એક્‍સાઈઝ વિભાગે જપ્ત કરેલો દારૂ

vartmanpravah

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે 11 એમ્‍બ્‍યુલન્‍સનું સીવીલ હોસ્‍પિટલ ખાતેથી લોકાર્પણ કરાયું

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપના નવા પ્રભારી તરીકે દુષ્‍યંતભાઈ પટેલની નિયુક્‍તિઃ સંગઠનમાં નવી ગતિ-ઊર્જા આવવાની સંભાવના

vartmanpravah

Leave a Comment