July 17, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના સીલી ગામે કે.એલ.જે.કંપનીમાં રક્‍તદાન કેમ્‍પ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03
દાદરા નગર હવેલીના સીલી ગામે આવેલી કે.એલ.જે.ગ્રુપ ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝ કંપનીમાં રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં લાયન્‍સ ક્‍લબ ઓફ સેલવાસ અને રેડક્રોસ સોસાયટીના સહયોગ દ્વારા આયોજિત આ શિબિરમાં કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લઈ સ્‍વેચ્‍છીક રક્‍તદાન કર્યું હતુ. આ રક્‍તદાન કેમ્‍પમાં 177 યુનિટ રક્‍ત એકત્ર થયુ હતું. આ શિબિર દેશના વિવધ ક્ષેત્રોમાં સ્‍થિત કે.એલ.જે.કંપનીમાં આયોજિત કરવામા આવ્‍યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર કંપનીના ચેરમેન શ્રી કન્‍હૈયાલાલ જૈનના જન્‍મદિવસના અવસર પર છેલ્લા 11 વર્ષથી 2જી જાન્‍યુઆરીએ કંપનીમાં રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાંઆવે છે.આ શિબિરમાં કંપનીના વરિષ્ઠ અધિકારી શ્રી આર.પી.શર્મા, શ્રી આર.સી.ગુપ્તા તેમજ લાયન્‍સ ભરત તન્ના સહિત અન્‍ય સંસ્‍થાના પ્રતિનિધિઓ હાજર હતા.

Related posts

ધરમપુરના આંબોસી ભવઠાણમાં બાઈક અડફેટે મહિલાનું મોત

vartmanpravah

વાપી, ઉમરગામ, કપરાડા 5 મંડળોમાં ભાજપ પ્રમુખપદ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ

vartmanpravah

ઉમરગામના નારગોલ ખાતે ગ્રામ પંચાયત અને નારગોલ મરીન પોલીસ સ્‍ટેશનના સંયુત ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર વિકાસ આનંદની માત્ર 4 મહિનામાં જ દિલ્‍હી બદલીઃ પ્રદેશમાં વહેતા થયેલા અનેક તર્ક-વિતર્કો

vartmanpravah

આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશન, વાપીમાં આંતર કોલેજ વ્‍યાખ્‍યાનમાળા અંતર્ગત પૂજા અરોરા દ્વારા ‘‘વિશિષ્ટ બાળકો” વિષય પર વ્‍યાખ્‍યાન યોજાયું

vartmanpravah

સિંહ અને સિંહણના આગમન સાથે દાનહના વાસોણા લાયન સફારીને પ્રવાસીઓ માટે પુનઃ વિધિવત્‌ રીતે ખુલ્લુ મુકાયું

vartmanpravah

Leave a Comment