March 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

નાની દમણના કડૈયા માછીવાડ ખાતે અણમોલ સંસ્‍થા દ્વારા યોજાયેલ ત્રિ-દિવસીય સાંસ્‍કૃતિક કાર્યક્રમો

અણમોલ સંસ્‍થાના સંચાલક અને દમણ બાલ ભવનના પૂર્વ વિદ્યાર્થીની અશ્વિનાબેન ટંડેલે ગ્રામ્‍ય વિસ્‍તારના બાળકોની પ્રતિભાને ઉજાગર કરવા શરૂ કરેલું અભિયાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: નાની દમણના કડૈયામાં માછીવાડ ખાતે અણમોલ સંસ્‍થા દ્વારા ત્રિ-દિવસીય સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
બાલભવન દમણની પૂર્વ વિદ્યાર્થીની અને અણમોલ સંસ્‍થાના સંચાલક સુશ્રી અશ્વિનાબેન ટંડેલના નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ બાળકોને ડાન્‍સ, કરાટે સહિત વિવિધ કળાઓ શિખવવામાં આવે છે. 6 થી 16 વર્ષ સુધીના બાળકો માટે આયોજીત કેમ્‍પમાં ડાન્‍સ, નાટક, પેઈન્‍ટિંગ, ક્રાફટ, યોગા, મ્‍યુઝિક સહિત વિવિધ કળાઓનું પ્રશિક્ષણ પણ આપવામાં આવ્‍યું હતું. બહેનો માટે રાખવામાં આવેલા અલગ કેમ્‍પમાં ભજન-ગીત ગાવાની સ્‍પર્ધા રાખવામાં આવી હતી જેમાં મોટી સંખ્‍યામાં બહેનોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે રાષ્‍ટ્રપતિ પુરસ્‍કાર વિજેતા શિક્ષક શ્રી વિરેન્‍દ્ર પટેલ, શ્રી પિયુષ ટંડેલવગેરે પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણવાડા ગ્રા.પં.માં રાષ્‍ટ્રીય ટીકાકરણ દિવસની ઉત્‍સાહપૂર્વક થયેલી ઉજવણી

vartmanpravah

આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની વ્‍હારે આવતી જીવદયા ગ્રુપ પારડી

vartmanpravah

દમણમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

ગુજરાત રાજ્‍યના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા વલસાડ જિલ્લાની મુલાકાતે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસના કામોનું કરેલું નિરીક્ષણઃ સંબંધિત અધિકારીઓ-કોન્‍ટ્રાક્‍ટરોને આપેલા જરૂરી દિશા-નિર્દેશ

vartmanpravah

વાપી નૂતનનગરના એક બંગલામાંથી 9 ફૂટ લાંબા વિશાળકાય અજગરનું રેસ્ક્યું કરાયું

vartmanpravah

Leave a Comment