April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણમાં તેલંગણા રાજ્‍યના 8મા સ્‍થાપના દિવસ પ્રસંગે ડેપ્‍યુટી કલેક્‍ટર પ્રિયાંશુ સિંહે આપેલીશુભકામના

તેલંગણાના રહેવાસીઓ સાથે તેમના સમૃદ્ધ ઈતિહાસ અને ભવ્‍ય સંસ્‍કૃતિ તથા વ્‍યંજનોને યાદ કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ આજે ‘એક ભારત, શ્રેષ્‍ઠ ભારત’ની પહેલ અનુસાર તેલંગણા રાજ્‍યના 8મા સ્‍થાપના દિવસ પ્રસંગે દમણમાં રહેતા તેલંગણાના નાગરિકોનું અભિવાદન જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી પ્રિયાંશુ સિંહે(જનરલ) તેલંગણાવાસીઓને અભિનંદન પાઠવી તેલંગણા રાજ્‍યના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્‍કૃતિ ઉપર પ્રકાશ પાડયો હતો. તેમણે તેલંગણાની સમૃદ્ધ સંસ્‍કૃતિ, વ્‍યંજન અને ઉત્‍સવોની પણ પ્રશંસા કરી હતી.
અત્રે યાદ રહે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ભારતના તમામ રાજ્‍યના લોકો વસવાટ કરે છે. વિવિધતામાં એકતા અને ‘એક ભારત, શ્રેષ્‍ઠ ભારત’નું પ્રતિબિંબ પણ પડતું હોવાથી સંઘપ્રદેશ પ્રશાસને વિવિધ રાજ્‍યોના સ્‍થાપના દિવસની ઉજવણીમાં સહભાગી બનવાનો નિર્ણય લીધેલો છે.

Related posts

કૌંચા ગ્રામ પંચાયતના તમામ ગામોમાં ‘‘સરકાર આપકે દ્વાર” શિબિર યોજાઈ

vartmanpravah

કપરાડા તાલુકામાં આગામી અઢી વર્ષની ટર્મ માટે હીરાબેન પ્રભુભાઈ માહલા અને ઉપ પ્રમુખ તરીકે ફૂલજીભાઈ રાજીરામભાઈ ગુરવની વરણી

vartmanpravah

સાદકપોર ગ્રામ પંચાયતના સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ ફગાવી દેતા સૂરસૂરિયું થઈ ગયું હોવાની અફવાની વિગતો બહાર આવી

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીમાં કોવિડ-19ને કારણે મૃત્‍યુ પામેલા વ્‍યક્‍તિઓના નજીકના સંબધિત પરિજનોને રૂપિયા પચાસ હજારની સહાય આપવા બહાર પડાયેલું જાહેરનામું

vartmanpravah

દાનહમાં શરૂ થઈ શૈક્ષણિક ક્રાંતિઃ આદિવાસી બાળકોના ડોક્ટર ઍન્જિનિયર બનવાના સપના સાકાર

vartmanpravah

ચીખલી-વાંઝણા ગામે મિલાપ કરતા સાપના જોડાને વાઈલ્‍ડ લાઈફના સભ્‍યો દ્વારા ઉગારી લેવાયા

vartmanpravah

Leave a Comment