July 21, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણમાં તેલંગણા રાજ્‍યના 8મા સ્‍થાપના દિવસ પ્રસંગે ડેપ્‍યુટી કલેક્‍ટર પ્રિયાંશુ સિંહે આપેલીશુભકામના

તેલંગણાના રહેવાસીઓ સાથે તેમના સમૃદ્ધ ઈતિહાસ અને ભવ્‍ય સંસ્‍કૃતિ તથા વ્‍યંજનોને યાદ કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ આજે ‘એક ભારત, શ્રેષ્‍ઠ ભારત’ની પહેલ અનુસાર તેલંગણા રાજ્‍યના 8મા સ્‍થાપના દિવસ પ્રસંગે દમણમાં રહેતા તેલંગણાના નાગરિકોનું અભિવાદન જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી પ્રિયાંશુ સિંહે(જનરલ) તેલંગણાવાસીઓને અભિનંદન પાઠવી તેલંગણા રાજ્‍યના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્‍કૃતિ ઉપર પ્રકાશ પાડયો હતો. તેમણે તેલંગણાની સમૃદ્ધ સંસ્‍કૃતિ, વ્‍યંજન અને ઉત્‍સવોની પણ પ્રશંસા કરી હતી.
અત્રે યાદ રહે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ભારતના તમામ રાજ્‍યના લોકો વસવાટ કરે છે. વિવિધતામાં એકતા અને ‘એક ભારત, શ્રેષ્‍ઠ ભારત’નું પ્રતિબિંબ પણ પડતું હોવાથી સંઘપ્રદેશ પ્રશાસને વિવિધ રાજ્‍યોના સ્‍થાપના દિવસની ઉજવણીમાં સહભાગી બનવાનો નિર્ણય લીધેલો છે.

Related posts

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવમાં ‘વર્લ્‍ડ હીપેટાઈટિસ ડે-2022’નો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

પક્ષીઘર સહિતની યોજનાઓથી પ્રદેશના પ્રવાસનને ખુબ વેગ મળશેઃ દમણ-દીવ સાંસદ ઉમેશભાઈ પટેલ

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા યુવા ઓરિએન્‍ટેશન તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

બિનહરિફ ચૂંટાયેલી વી.આઈ.એ.ની ઈ.સી. કમિટી મે મહિનામાં ચાર્જ સંભાળશે : નવી ટીમની રચના કરાશે

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા પંચાયત માર્કેટની 19 દુકાનો સીલ કરાઈ : દુકાનદારો દ્વારા ભાડુ નહીં ભરતા પાલિકાએ ખોલેલું ત્રીજુ નેત્ર

vartmanpravah

Leave a Comment