March 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણમાં તેલંગણા રાજ્‍યના 8મા સ્‍થાપના દિવસ પ્રસંગે ડેપ્‍યુટી કલેક્‍ટર પ્રિયાંશુ સિંહે આપેલીશુભકામના

તેલંગણાના રહેવાસીઓ સાથે તેમના સમૃદ્ધ ઈતિહાસ અને ભવ્‍ય સંસ્‍કૃતિ તથા વ્‍યંજનોને યાદ કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ આજે ‘એક ભારત, શ્રેષ્‍ઠ ભારત’ની પહેલ અનુસાર તેલંગણા રાજ્‍યના 8મા સ્‍થાપના દિવસ પ્રસંગે દમણમાં રહેતા તેલંગણાના નાગરિકોનું અભિવાદન જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી પ્રિયાંશુ સિંહે(જનરલ) તેલંગણાવાસીઓને અભિનંદન પાઠવી તેલંગણા રાજ્‍યના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્‍કૃતિ ઉપર પ્રકાશ પાડયો હતો. તેમણે તેલંગણાની સમૃદ્ધ સંસ્‍કૃતિ, વ્‍યંજન અને ઉત્‍સવોની પણ પ્રશંસા કરી હતી.
અત્રે યાદ રહે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ભારતના તમામ રાજ્‍યના લોકો વસવાટ કરે છે. વિવિધતામાં એકતા અને ‘એક ભારત, શ્રેષ્‍ઠ ભારત’નું પ્રતિબિંબ પણ પડતું હોવાથી સંઘપ્રદેશ પ્રશાસને વિવિધ રાજ્‍યોના સ્‍થાપના દિવસની ઉજવણીમાં સહભાગી બનવાનો નિર્ણય લીધેલો છે.

Related posts

ધરમપુરના બરૂમાળમાં ડીજીટલ મેળા અને ઈંગ્‍લિશ ફેસ્‍ટ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નાની દમણના ‘‘કુંભારવાડ ચા રાજા” ગણપતિમહોત્‍સવ આ વર્ષે પણ આકર્ષણનું કેન્‍દ્ર બનશે

vartmanpravah

સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજના વિદ્યાર્થીઓને એનડીઆરએફની ટીમે આપદા વ્‍યવસ્‍થાપન અંગેની આપેલી તાલીમ

vartmanpravah

વલસાડમાં વીજ કંપનીએ નાનકડી ટ્રેલરની દુકાનને અધધ… 86 લાખનું બિલ પધરાવી દીધું

vartmanpravah

ચીખલી તાલુકામાં ખેડૂતો દ્વારા શેરડીના પાકમાં ઓછાં ખર્ચે વધુ ઉત્‍પાદન માટે ઘર આંગણે શેરડીના રોપાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે

vartmanpravah

વલસાડમાં ઘરનો દરવાજો લોક થઈ જતા અંદર પુરાઈ ગયેલ વૃધ્‍ધને ફાયરબ્રિગેડએ ટેરેસ ઉપર ચઢી બહાર કાઢયા

vartmanpravah

Leave a Comment