July 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

પક્ષીઘર સહિતની યોજનાઓથી પ્રદેશના પ્રવાસનને ખુબ વેગ મળશેઃ દમણ-દીવ સાંસદ ઉમેશભાઈ પટેલ

મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરના લોકાર્પણ કાર્યક્રમમાં પત્રકારો સાથે કરેલી નિખાલસ કબૂલાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેલા દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, આ પક્ષીઘર સહિતની યોજનાઓથી પ્રદેશના પ્રવાસનને ખુબ વેગ મળશે. તેમણે જણાવ્‍યું હતું કે, પ્રદેશમાં પ્રવાસીઓ માટે જોવાલાયક સ્‍થળો બહુ ઓછા હતા તેમાં રામસેતૂ અને નમો પથ બાદ બીજું કંઇ ઝાઝુ નહીં હતું તેમાં હવે પક્ષીઘરનો ઉમેરો થતાં પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્‍દ્ર બનશે એવો વિશ્વાસસાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે વ્‍યક્‍ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ ઉપરાંત દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, દમણ ન.પા. અધ્‍યક્ષ શ્રી અસ્‍પી દમણિયા, સરકારી અધિકારીઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નવસારી ડિસ્‍ટ્રીક્‍ટ સિનીયર સીટીઝન ટ્રસ્‍ટ સંચાલિત ગીરીજા લાઈબ્રેરીમાં ‘મારે પણ કંઈક કહેવું છે’ મણકો 16 વક્‍તા હર્ષા ઘોઘારીએ ‘સારા માણસ બનીએ’ વિશે પ્રવચન આપ્‍યું

vartmanpravah

કપરાડાના ટુકવાડા ગામના સાગરમાળ ફળિયાના મતદારોનો ઘાડવી ગામમાં સમાવેશના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા મોરખલમાં આરક્ષિત જંગલની જમીન પર કબ્‍જો કરનાર બે વ્‍યક્‍તિની કરાયેલી ધરપકડ

vartmanpravah

વાપીમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિનની ઉજવણી અંતર્ગત યોગ જાગૃતતા રેલી યોજાઈ

vartmanpravah

રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડમાં રાખી અને હસ્તકળા મેળાનો શુભારંભ કરાયો

vartmanpravah

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના આધારિત જલ સંચયના જિલ્લામાં થયેલા કામોની કેન્દ્ર સરકારના જલશક્તિ મંત્રાલયના સેન્ટ્રલ નોડલ ઓફિસરે મુલાકાત લીધી

vartmanpravah

Leave a Comment