Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

પક્ષીઘર સહિતની યોજનાઓથી પ્રદેશના પ્રવાસનને ખુબ વેગ મળશેઃ દમણ-દીવ સાંસદ ઉમેશભાઈ પટેલ

મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરના લોકાર્પણ કાર્યક્રમમાં પત્રકારો સાથે કરેલી નિખાલસ કબૂલાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેલા દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, આ પક્ષીઘર સહિતની યોજનાઓથી પ્રદેશના પ્રવાસનને ખુબ વેગ મળશે. તેમણે જણાવ્‍યું હતું કે, પ્રદેશમાં પ્રવાસીઓ માટે જોવાલાયક સ્‍થળો બહુ ઓછા હતા તેમાં રામસેતૂ અને નમો પથ બાદ બીજું કંઇ ઝાઝુ નહીં હતું તેમાં હવે પક્ષીઘરનો ઉમેરો થતાં પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્‍દ્ર બનશે એવો વિશ્વાસસાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે વ્‍યક્‍ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ ઉપરાંત દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, દમણ ન.પા. અધ્‍યક્ષ શ્રી અસ્‍પી દમણિયા, સરકારી અધિકારીઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સરીગામ નજીકના ગામની યુવતી સાથે લગ્નની લાલચે દુષ્‍કર્મ આચરનાર યુવાન સામે ગુનો દાખલ

vartmanpravah

વાપીમાં ૨૨મી માર્ચે ચાર વર્ષ પહેલાં કોરોનાના લોકડાઉન કફર્યુના કાળા કાળની યાદગીરી તાજી કરી

vartmanpravah

સેલવાસ ન.પા. વિસ્‍તારમાં નિર્માણાધિન કોઈપણ જગ્‍યાએ પાણીનો ભરાવો નજરે પડશે તો જવાબદાર વ્‍યક્‍તિઓ વિરૂદ્ધ દાનહ પીડીએ વિભાગ કાનૂની કાર્યવાહી કરશે

vartmanpravah

વલસાડ નગરપાલિકા દ્વારા કરાયેલા વેરામાં વધારા સામે નોંધાયેલો વિરોધ

vartmanpravah

વલસાડ જિલ્લામાં જીપીએસસીની પરીક્ષા અન્વીયે પ્રતિબંધાત્મવક જાહેરનામું

vartmanpravah

વલસાડના જમાઈ ધવલ પટેલને જીતાડવા પારનેરા વાસીઓમાં ભારે ઉત્‍સાહ છવાયો

vartmanpravah

Leave a Comment