April 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

પક્ષીઘર સહિતની યોજનાઓથી પ્રદેશના પ્રવાસનને ખુબ વેગ મળશેઃ દમણ-દીવ સાંસદ ઉમેશભાઈ પટેલ

મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરના લોકાર્પણ કાર્યક્રમમાં પત્રકારો સાથે કરેલી નિખાલસ કબૂલાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેલા દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, આ પક્ષીઘર સહિતની યોજનાઓથી પ્રદેશના પ્રવાસનને ખુબ વેગ મળશે. તેમણે જણાવ્‍યું હતું કે, પ્રદેશમાં પ્રવાસીઓ માટે જોવાલાયક સ્‍થળો બહુ ઓછા હતા તેમાં રામસેતૂ અને નમો પથ બાદ બીજું કંઇ ઝાઝુ નહીં હતું તેમાં હવે પક્ષીઘરનો ઉમેરો થતાં પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્‍દ્ર બનશે એવો વિશ્વાસસાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે વ્‍યક્‍ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ ઉપરાંત દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, દમણ ન.પા. અધ્‍યક્ષ શ્રી અસ્‍પી દમણિયા, સરકારી અધિકારીઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ કલેકટર અને પાલિકા ચીફ ઓફિસર દ્વારા શહેરની વિઝીટ

vartmanpravah

વલસાડમાં મિત્રોને એકના ડબલનું પ્રલોભન આપી લાખોની ઠગાઈનો આરોપી 6 મહિના બાદ આણંદથી ઝડપાયો

vartmanpravah

‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ’ના ઉપલક્ષમાં દમણની સાર્વજનિક વિદ્યાલયમાં યોગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસના શ્રી પબ્‍બા જગદીશ્વરૈયાએ પોતાનો જીવનકાળ શિક્ષણ આપવામાં પસાર કર્યો અને મૃત્‍યુ બાદ પણ દેહદાન કરી જીવંત રાખી શિક્ષક ધર્મની જ્‍યોત

vartmanpravah

વલસાડ એલ.સી.બી.એ નાસતા ફરતા પાંચ વોન્‍ટેડ આરોપીને ઝડપી જે તે પો.સ્‍ટે.ને સોંપ્‍યા

vartmanpravah

સંઘપ્રદેશના પંચાયતી રાજ વિભાગ અને એન.આઈ.આર. ડી.પી.આર. દ્વારા આયોજીત દમણ જિલ્લાના પંચાયત પ્રતિનિધિઓ માટેના ત્રિ-દિવસીય તાલીમ સહ વર્કશોપ શિબિરનું સમાપન

vartmanpravah

Leave a Comment