October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સેલવાસ ન.પા. દ્વારા પંચાયત માર્કેટની 19 દુકાનો સીલ કરાઈ : દુકાનદારો દ્વારા ભાડુ નહીં ભરતા પાલિકાએ ખોલેલું ત્રીજુ નેત્ર

 

 

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29
સેલવાસ નગરપાલિકા વિસ્‍તારમાં આવેલ પંચાયત માર્કેટમાં પાલિકાનું ભાડુ નહી ભરનાર દુકાનદારોની 19 દુકાનોને સીલ કરવામા આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સેલવાસ નગરપાલિકા દ્વારા પાલિકા સંચાલિત પંચાયત માર્કેટના દુકાનદારોનું ભાડુ ભરવાનું બાકી હોય તેવા લોકો સામે સેલવાસ પાલિકાના અધિકારીઓ, કર્મચારીઓએ પોલીસ ટીમના સહયોગ દ્વારા દુકાનોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સેલવાસ નગરપાલિકા દ્વારા દાદરા નગર હવેલી નગરપાલિકા અધિનિયમ 2004ની ધારા 142 મુજબ આ દુકાનદારોને નોટિસ આપવામા આવી હતી. જેમાં તેઓને 15 દિવસની અંદર પોતાની બાકી ભાડાની રકમ ભરી જવા માટે નોટિસ આપવામા આવી હોવા છતાં પણ કેટલીક દુકાનદારોએ ભાડાની રકમ જમા નહી કરાવી હતી.
ત્‍યારબાદ ધારા143, દાનહ નગર પાલિકા અધિનિયમ 2004 મુજબ દરેક ભાડુ નહી ભરનારના નામ પર ફોરમ ઓફ વોરંટ 25મી નવેમ્‍બરના રોજ જારી કરવામા આવ્‍યો હતો. જે અંતર્ગત પાલિકા દ્વારા આવી 19 દુકાનોને સીલ કરવામા આવી છે.

Related posts

હીટ એન્‍ડ રનના નવા કાયદાના વિરોધમાં વાપી વિનંતીનાકા પાસે જાહેર રોડ પર ક્રેઈન મુકી દેવાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકની રાજકીય પક્ષો સાથે બેઠક મળીઃ ચૂંટણી ખર્ચના હિસાબોથી વાકેફ કરાયા

vartmanpravah

વલસાડની બેઠક લોકસભા કે વિધાનસભામાં જે પક્ષ જીતે તેની સરકાર બને : આ વાયીકા વધુ એકવાર સાચી ઠરી

vartmanpravah

દમણઃ આંટિયાવાડ ગ્રા.પં.ના સરપંચ ઉર્વશીબેન પટેલે આણંદ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ કરી નેતૃત્‍વ અને પ્રબંધન વિકાસની તાલીમ

vartmanpravah

પ્રગટેશ્વર ધામ આછવણીના ધર્માંચાર્ય પરભુદાદાના સાનિધ્‍યમાં નાશિક ગોદાવરી તટે ભવ્‍યાતિભવ્‍ય 1008 કુંડી શ્રીરામ જ્‍યોતિ મહાયજ્ઞ યોજાયો

vartmanpravah

ખાનવેલ મીની કલેક્‍ટર કચેરી દ્વારા ગ્રામ પંચાયતોમાં ‘જન સમાધાન’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

Leave a Comment