April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાંકી નદી બ્રિજ કામગીરીમાં ફરજ બેદરકારી બદલ માર્ગ-મકાનના 3 ઈજનેરોને ફરજ મોકુફ કરાયા

અનિરૂધ્‍ધ ચૌધરી, નિલય નાયક અને ખુશ્‍બુ જે કથ્રેચા
(ઈજનેર વર્ગ-2) ઉપર સરકારી ગાજ વરસી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વાંકી નદીના બ્રિજની કામગીરી ફરજ બેદરકારી સબંધમાં શિસ્‍ત વિષયક કામગીરી આધિન ત્રણ ઈજનેરોને સરકારે ફરજ મોકુફીનો આદેશ કરાયો છે.
વાંકી નદી ઉપર કન્‍ટ્રકશન ઓફ માઈનોર બ્રિજની કામગીરીમાં કોંક્રીટની નબળી ગુણવત્તા માપ પોથીમાં નોંધાયેલ માપોમાં વિસંગતતા દસ્‍તાવેજી 36 જેટલી ક્ષતિઓ થકી 87,99,879નું નુકશાન થયું હોવાનું તપાસમાં બહાર આવતા વલસાડ જિલ્લા માર્ગ મકાન વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-2ના ત્રણ ઈજનેરોને સરકારે ફરજ મોકુફ કર્યા છે. હૂકમ ક્રમાંક પી.આર.સી./10/2023/03/ઈ-1 મુંબઈથી ફરજ મોકુફકર્યા છે. ત્રણ ઈજનેરમાં અનિરૂધ્‍ધ ચૌધરી, નિલય નાયક અને ખુશ્‍બુ જે કથ્રેચાનો સમાવેશ થાય છે. ફરજ બેદરકારી આધિન 87,99,879 રૂા. નુકશાન થયાનું તપાસમાં બહાર આવતા બેદરકારી સબંધમાં શિસ્‍ત વિષયક કામગીરીની સરકારી ગાજ વરસી હતી. તાત્‍કાલિક અસરથી ત્રણેય ઈજનેરોને ફરજ મોકુફ સરકાર તરફથી કરવામાં આવ્‍યા છે.

Related posts

કેન્‍દ્રીય મંત્રી ડૉ. મહેન્‍દ્રભાઈ મુંજપરાની પ્રેરક ઉપસ્‍થિતિમાં PGVCL ગુજરાતનાં CSR ફંડમાથી નવજીવન વિકલાંગ સેવાશ્રયના મંદબુધ્‍ધિના બાળકો માટે સ્‍કૂલ બસ અર્પણ કરવામાં આવી

vartmanpravah

ખૂંટેજમાં કાકા-બાપાના ભાઈઓ જમીન બાબતે બાખડયા

vartmanpravah

દાનહમાં આદિવાસી મહાપુરૂષોના ગૌરવશાળી ઇતિહાસને પુસ્‍તિકાના રૂપે સંગ્રહ કરી જન જન સુધી પહોંચાડશે ‘વનવાસી કલ્‍યાણ આશ્રમ’: અખિલ ભારતીય સહપ્રચાર પ્રમુખ મહેશ કાડે

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ કલેક્‍ટરાલય ખાતે સીડીએસ બિપીન રાવત સહિતના દિવંગતો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પ્રશાસકશ્રીની દાનહ મુલાકાતનો બીજો દિવસઃ વિકાસકામોની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં

vartmanpravah

ખાનવેલ ચાર રસ્‍તા નજીક ખુલ્લી ગટરથી ગંદકીની ભરમાર

vartmanpravah

Leave a Comment