Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાંકી નદી બ્રિજ કામગીરીમાં ફરજ બેદરકારી બદલ માર્ગ-મકાનના 3 ઈજનેરોને ફરજ મોકુફ કરાયા

અનિરૂધ્‍ધ ચૌધરી, નિલય નાયક અને ખુશ્‍બુ જે કથ્રેચા
(ઈજનેર વર્ગ-2) ઉપર સરકારી ગાજ વરસી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વાંકી નદીના બ્રિજની કામગીરી ફરજ બેદરકારી સબંધમાં શિસ્‍ત વિષયક કામગીરી આધિન ત્રણ ઈજનેરોને સરકારે ફરજ મોકુફીનો આદેશ કરાયો છે.
વાંકી નદી ઉપર કન્‍ટ્રકશન ઓફ માઈનોર બ્રિજની કામગીરીમાં કોંક્રીટની નબળી ગુણવત્તા માપ પોથીમાં નોંધાયેલ માપોમાં વિસંગતતા દસ્‍તાવેજી 36 જેટલી ક્ષતિઓ થકી 87,99,879નું નુકશાન થયું હોવાનું તપાસમાં બહાર આવતા વલસાડ જિલ્લા માર્ગ મકાન વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-2ના ત્રણ ઈજનેરોને સરકારે ફરજ મોકુફ કર્યા છે. હૂકમ ક્રમાંક પી.આર.સી./10/2023/03/ઈ-1 મુંબઈથી ફરજ મોકુફકર્યા છે. ત્રણ ઈજનેરમાં અનિરૂધ્‍ધ ચૌધરી, નિલય નાયક અને ખુશ્‍બુ જે કથ્રેચાનો સમાવેશ થાય છે. ફરજ બેદરકારી આધિન 87,99,879 રૂા. નુકશાન થયાનું તપાસમાં બહાર આવતા બેદરકારી સબંધમાં શિસ્‍ત વિષયક કામગીરીની સરકારી ગાજ વરસી હતી. તાત્‍કાલિક અસરથી ત્રણેય ઈજનેરોને ફરજ મોકુફ સરકાર તરફથી કરવામાં આવ્‍યા છે.

Related posts

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં વસંત પંચમી અને ‘માતૃ-પિતૃ પૂજન’ દિનની ભવ્‍ય ઉજવણી થઈ

vartmanpravah

કપરાડાના અંભેટી ત્રણ રસ્‍તા પર કાર અને બાઈક વચ્‍ચે અકસ્‍માત : તમામ ઘાયલોને સારવાર માટે ખસેડાયા

vartmanpravah

વલસાડમાં લાંચ કેસમાં ઝડપાયેલા ફૂડ એન્‍ડ ડ્રગ ઈન્‍સ્‍પેક્‍ટરે કરેલી જામીન અરજી નામંજૂર

vartmanpravah

વાપીના અગ્રણી ઉદ્યોગપતિ જયેન્‍દ્રસિંહ પરમારનું હૃદય રોગના હુમલાથી નિધન

vartmanpravah

પૈસાની લેતીદેતીમાં ઓરવાડ ખાતે મારામારી

vartmanpravah

સેલવાસ વોર્ડ નં.15માં પીવાના પાણીની સમસ્‍યા બાબતે ચીફ ઓફિસરને કરાયેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment