September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાંકી નદી બ્રિજ કામગીરીમાં ફરજ બેદરકારી બદલ માર્ગ-મકાનના 3 ઈજનેરોને ફરજ મોકુફ કરાયા

અનિરૂધ્‍ધ ચૌધરી, નિલય નાયક અને ખુશ્‍બુ જે કથ્રેચા
(ઈજનેર વર્ગ-2) ઉપર સરકારી ગાજ વરસી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વાંકી નદીના બ્રિજની કામગીરી ફરજ બેદરકારી સબંધમાં શિસ્‍ત વિષયક કામગીરી આધિન ત્રણ ઈજનેરોને સરકારે ફરજ મોકુફીનો આદેશ કરાયો છે.
વાંકી નદી ઉપર કન્‍ટ્રકશન ઓફ માઈનોર બ્રિજની કામગીરીમાં કોંક્રીટની નબળી ગુણવત્તા માપ પોથીમાં નોંધાયેલ માપોમાં વિસંગતતા દસ્‍તાવેજી 36 જેટલી ક્ષતિઓ થકી 87,99,879નું નુકશાન થયું હોવાનું તપાસમાં બહાર આવતા વલસાડ જિલ્લા માર્ગ મકાન વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-2ના ત્રણ ઈજનેરોને સરકારે ફરજ મોકુફ કર્યા છે. હૂકમ ક્રમાંક પી.આર.સી./10/2023/03/ઈ-1 મુંબઈથી ફરજ મોકુફકર્યા છે. ત્રણ ઈજનેરમાં અનિરૂધ્‍ધ ચૌધરી, નિલય નાયક અને ખુશ્‍બુ જે કથ્રેચાનો સમાવેશ થાય છે. ફરજ બેદરકારી આધિન 87,99,879 રૂા. નુકશાન થયાનું તપાસમાં બહાર આવતા બેદરકારી સબંધમાં શિસ્‍ત વિષયક કામગીરીની સરકારી ગાજ વરસી હતી. તાત્‍કાલિક અસરથી ત્રણેય ઈજનેરોને ફરજ મોકુફ સરકાર તરફથી કરવામાં આવ્‍યા છે.

Related posts

વાત્‍સલ્‍ય સંસ્‍થાના મનોદિવ્‍યાંગ બાળકોને સ્‍કુલબેગ અને બૂટનું વિતરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

વાપી વિસ્‍તારમાં ગાંજો વેચવાનું વધેલુ દુષણ : ભિલાડમાં વધુ બે આરોપી ગાંજા સાથે ઝડપાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વમાં દીવમાં સ્‍વિમિંગ ચેમ્‍પિયનશીપ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં જુની થયેલી આંબાવાડીના નવીનીકરણ માટે કૃષિ પ્રાયોગિક કેન્દ્ર -બાગાયત ખાતાની પહેલ

vartmanpravah

ચીખલીમાંમુખ્‍યમાર્ગ સ્‍થિત ધાર્મિક દબાણ દૂર કરવાની પહેલ હિન્‍દૂ પક્ષ દ્વારા કરી બગલાદેવ મંદિરનો શેડ સ્‍વેચ્‍છાએ ઉતારી વિધિપૂર્વક મૂર્તિ ખસેડવાની તજવીજ હાથ ધરી

vartmanpravah

દાનહ: સિલી સ્થિત કેએલજે ગ્રુપ ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝ યુનિટ નંબર-2 કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી ખુલ્લેઆમ છોડાતા ખેતરોની જમીન સહિત પાકને થઈ રહેલું નુકસાન

vartmanpravah

Leave a Comment