June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસની જિલ્લા કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો: લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્‍કર્મ આચરનાર ખાનવેલના આરોપીને ફટકારેલી દસ વર્ષની કઠોર જેલની સજા

આરોપીને રૂા.10 હજારના દંડની પણ સંભળાવેલી સજા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.10: દુષ્‍કર્મ અને પોક્‍સોના કેસની સુનાવણી સેલવાસની જિલ્લા કોર્ટમાં આરોપીને દસ વર્ષની કેદ અને દસ હજાર રૂપિયા અર્થદંડની સજા સંભળાવવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ફરિયાદીએ 11 જૂન, 2019ના રોજ ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાં સગીરા સાથે રેપની ફરિયાદ નોંધાવી હતી. છોકરીના નિવેદનના આધારે પોલીસે આરોપી આતિશ સુરજી ડુંગરકર વિરુદ્ધ આઇપીસી 376, 420, આર/ડબ્‍લ્‍યુ પોક્‍સો એક્‍ટ-2012ની ધારા-6 મુજબ તપાસ હાથ ધરી હતી. ફરિયાદમાં જણાવ્‍યા મુજબ આરોપીએ ફરિયાદીને લગ્નની લાલચ આપી એની સહમતી વગર એના ઘરમાં એમ કહીને શારીરિક સંબંધ બાંધતો કે આપણે લગ્ન કરવાના છે, જ્‍યારે ફરિયાદીના માતા-પિતાએ આરોપી પર લગ્ન માટે દબાણ કર્યું તો બન્ને પરિવારની સહમતીથી સગાઈ કરી લીધી હતી, પરંતુ આરોપી આતિશ સુરજી ડુંગરકરે ફરિયાદીને લગ્નનો ખોટો વાયદો કરી છેતરપીંડી કરી એની સાથે શારીરિકસંબંધ બાંધી અને લગ્ન કરવાની ના પાડી દીધી. આ કેસની તપાસ પી.એસ.આઈ. શ્રીમતી છાયા ટંડેલને સોંપવામાં આવી હતી.
તપાસ દરમ્‍યાન પીડિત પરિવારના સભ્‍યો અને ફરિયાદી તેમજ ગામના સરપંચના બયાન લેવામાં આવ્‍યા, ઘટના સ્‍થળના પંચનામા બાદ પીડિત છોકરીની મેડીકલ તપાસ કરવામાં આવી ત્‍યારબાદ આ કેસની સુનાવણી માનનીય વિશેષ ન્‍યાયાલય સેલવાસ સમક્ષ શરૂ કરવામાં આવી હતી. સુનાવણી દરમ્‍યાન સાક્ષીઓના નિવેદનો અને રેકોર્ડ તેમજ પુરાવાના આધારે વકિલ શ્રી ગોવર્ધન પુરોહિતની ધારદાર દલીલના આધારે વિશેષ ન્‍યાયાધીશ પોક્‍સો અધિનિયમ મુજબ શ્રી એસ.એસ.અડકરે આરોપી આતિશ સુરજી ડુંગરકરને આઇપીસીની કલમ 376 આર/ડબ્‍લ્‍યુ પોક્‍સો અધિનિયમ-2012ની કલમ- 6 મુજબ દસ વર્ષની જેલ અને દસ હજાર રૂપિયાના દંડની સજા સંભળાવવામાં આવી હતી.

Related posts

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ અને ચિલ્‍ડ્રન યુનિવર્સિટી ગુજરાતના સંયુક્‍ત પ્રયાસથી આયોજીત સંઘપ્રદેશના શિક્ષણ સચિવ જતિન ગોયલે સમર કેમ્‍પ ‘કલામૃતમ્‌’ની લીધેલી મુલાકાતઃ બાળકો સાથે કરેલો વાર્તાલાપ

vartmanpravah

સેલવાસની ડો. એપીજે અબ્‍દુલ કલામ સરકારી કોલેજમાં ‘વિજ્ઞાન સપ્તાહ’નો શુભારંભ

vartmanpravah

પ્રેરણા ગ્રુપ ચીખલી દ્વારા ડાંગમાં અનાજની કીટનું વિતરણ કરાયું

vartmanpravah

દાનહના અંતરિયાળ વિસ્‍તારમાં પીવાના પાણીની સમસ્‍યાના કાયમી ઉકેલ માટે અમૃત સરોવરના નિર્માણનું પ્રદેશ ભાજપ દ્વારા સૂચન

vartmanpravah

ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાએ દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપના પદાધિકારીઓને મિશન-2024ની સફળતાનો આપેલો મંત્ર

vartmanpravah

સેલવાસ બસ ડેપોમાંથી ભીખ માંગતુ બાળક મળી આવતાં બાળ ગૃહમાં મોકલાયું

vartmanpravah

Leave a Comment