April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામડિસ્ટ્રીકટદમણવલસાડવાપીસેલવાસ

સંઘપ્રદેશ સહિત વલસાડ જિલ્લાનો ભંડારી સમાજ સ્‍તબ્‍ધ દાનહના ખરડપાડા ખાતે ‘‘પતિ-પત્‍ની ઔર વો”ના કિસ્‍સામાં કરૂણ અંજામઃ પત્‍નીએ પોતાના કુંવારા પ્રેમી સાથે મળી પતિની ગળું દબાવી કરેલી હત્‍યા

દાનહના ખરડપાડા ખાતે રહેતી બે સંતાનની માતા કિંજલ ભંડારીએ પોતાના અડોશ-પડોશમાં રહેતાં અપરણિત પ્રેમી સની ભંડારી સાથે મળી પતિ સુનિલ ભંડારીનું ગળું અને મોઢું દબાવી કરેલી હત્‍યાઃ પોસ્‍ટમોર્ટમ દ્વારા છત્તું થયેલું રહસ્‍ય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31 : દાદરા નગર હવેલીના ખરડપાડા ખાતે ‘‘પતિ-પત્‍ની ઔર વો”ના કિસ્‍સામાં કરૂણ અંજામ આવ્‍યો છે અને બે સંતાનની માતા એવી પત્‍નીએ પોતાના કુંવારા પ્રેમી સાથે મળી પતિનું કાસળ કાઢી નાંખ્‍યું હોવાની ઘટનાનો પોલીસે પર્દાફાશ કરતા સમગ્ર દાદરા નગર હવેલી સહિત આજુબાજુના ભંડારી સમાજ સ્‍તબ્‍ધ બન્‍યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાનહનાખરડપાડા ખાતે રહેતા સુનિલ ભગવાનદાસ ભંડારી (ઉ.વ.45)નો એમના પરિવાર સાથે કોઈક કારણસર ઝઘડો થયા બાદ તેઓ અચાનક બેહોશ થઈ જતાં પરિવારના સભ્‍યો દ્વારા તેમને વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં લવાયા હતા. જ્‍યાં તેમનું મોત થયું હતું.
સવારે પોસ્‍ટમોર્ટમ કરાતા પ્રાથમિક રિપોર્ટમાં મૃતક સુનિલ ભગવાનદાસ ભંડારીનું ગળું દબાવી હત્‍યા કરાઈ હોવાનું સામે આવ્‍યું હતું.
દરમિયાન સેલવાસ પોલીસના પી.એસ.આઈ. શ્રી પ્રદિપ રાજગોરે આ ઘટનામાં ઝીણવટપૂર્વક તપાસ શરૂ કરી ઘરના સભ્‍યો અને મૃતકની પત્‍ની કિંજલ સુનિલ ભંડારી (ઉ.વ.34)ની સઘન પૂછપરછ કરતાં એમના ઘરના નજીક જ રહેતાં સની ભરતભાઈ ભંડારી (ઉ.વ.31)ની સાથે પ્રેમ પ્રકરણ ચાલતું હોવાનો ખુલાસો થયો હતો.
મળતી માહિતી પ્રમાણે મૃતક સુનિલ ભંડારીને પોતાની પત્‍ની કિંજલ અને સની વચ્‍ચે પ્રેમપ્રકરણ ચાલી રહ્યું હોવાની ભનક આવતાં એમના વચ્‍ચે ઝઘડો થયો હતો. જેના કારણે કિંજલ અને તેણીના પ્રેમી સનીએ પોતાના રસ્‍તામાંથી કાંટો કાઢી નાંખવા સુનિલનું મોઢું અને ગળું દબાવી હત્‍યા કરી નાંખી હતી. જ્‍યારે પરિવારના સભ્‍યોએ સુનિલને સવારે બેશુદ્ધ હાલતમાં જોતાં વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં લાવવામાં આવ્‍યા હતા. જ્‍યાં ફરજ પરના ડોક્‍ટરોએ મૃત જાહેર કરતાં પોસ્‍ટમોર્ટમકરાયું હતું. પોસ્‍ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવી હત્‍યા કરી હોવાનું સામે આવતાં સેલવાસ પોલીસે હત્‍યાનો ગુનો નોંધી વધુ તપાસ કરતાં આરોપી (1)કિંજલ સુનિલ ભંડારી અને (2)સની ભરત ભંડારીની ધરપકડ કરી 2 સપ્‍ટેમ્‍બર સુધી પોલીસ રિમાન્‍ડ મંજૂર કર્યા છે.

Related posts

સમગ્ર ધરમપુર બન્‍યું રામમયઃ શ્રી રામ નવમી નિમિત્તે આયોજિત શોભાયાત્રામાં રામભક્‍તો જોડાયા પેટાઃ નાનાં-નાનાં ભૂલકાંઓ રામ-સીતા-લક્ષ્મણ-હનુમાનજીના વેશભૂષામાં સમગ્ર શોભાયાત્રામાં આકર્ષણનું કેન્‍દ્ર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.10 હિંદુ યુવા-સંઘ અને નવરંગ ગ્રુપ ધરમપુરના સંયુક્‍ત ઉપક્રમે આયોજિત ત્રિવેણી કાર્યક્રમોના સથવારે આખું નગર ‘રામમય’ બન્‍યું હતું. બપોરે ત્રણ કલાકે આયોજિત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો ભાઈ-બહેનો જોડાયા હતા. બાદ સાંજે બ્‍લડ-ડોનેટનો કાર્યક્રમ બાદ સૌ નગરજનોએ મહાપ્રસાદ પણ ગ્રહણ કરી તળપ્ત થયા હતા. સવારના પહોરમાં મંગળા આરતી બાદ વિવિધ ધર્મિક કાર્યક્રમોના સથવારે આજે રામનવમીની ઉજવણીની શરૂ કરી હતી. બપોરે નગરના કાળારામજી મંદિર ખાતેથી આયોજીત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો નગરજનો જોડાયા હતા, ડીજેના સથવારે યુવાનો થનગનતા રહ્યા હતા, જયશ્રીરામના ગગનભેદી નારાઓયે આખા નગરને રામમય કરી નાખ્‍યું હતું. આ શોભાયાત્રા નગરના મોટાબજાર,સમડીચોક,-ભુફળિયા, વિમળેશ્વર મંદિર, આસુરાઝાપા, વાલોડ ફળિયા, માછીવાડ, ગાંધીબાગ, મસ્‍જીદ ફળિયા, ગાર્ડન રોડ, દશોન્‍દી ફળિયા થઇ ફરી કાળારામજી મંદિરે પરત ફરી હતી. સંપૂર્ણ યાત્રામાં જોડાયેલા ભાઈ-બહેનોએ ભગવાન શ્રી રામનો જયજયકાર કરી આખા નગરને રામમય બનાવી દીધું હતું. કેટલાક ચોક ઉપર ભાઈ બહેનો ગરબો પણ રમ્‍યા હતા, આ સાથે નાના નાના ભૂલકાઓને રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી સહિત અનેકવિધ દેવી દેવતાઓના વેશભૂષામાં સજ્જ કરી અલગ પ્રકારની ગાડીમાં બેસાડાયા હતા. આર એસ એસ દ્વારા નાના નાના ભૂલકાઓની ચાલતી શાખાના સ્‍વયસેવકો પણ સમગ્ર શોભાયાત્રા દરમિયાન ‘એક હી નારા, એક હી નામ-જયશ્રીરામ જયશ્રીરામ’નો જયઘોષ કરતા દેખાયા હતા. જે સમગ્ર રેલી દરમિયાન આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા. આખી રેલી દરમિયાન ફળીયે ફળીયે છાશ- ઠંડાપાણીની વ્‍યવસ્‍થાઓ ઉભી કરાય હતી. ઠેર ઠેર પસાર થતી શોભાયાત્રા ઉપર નગરના નગરજનોએ પુષ્‍પાંજલિ કરી ભગવાન રામ પ્રત્‍યે પોતાની અસ્‍થા-શ્રદ્ધાનું પ્રગટીકરણ કર્યું હતું. આખું નગરમા ઘરે ઘરે લગાવાયેલી ભાગવા રંગની ઝંડીએ નગરને અનોખા ભગવા રંગે રંગી દીધું હતું. શોભાયાત્રામાં નગરજનો ઉપરાંત નગરની વિવિધ એન.જી.ઓ અને ધર્મિક સંસ્‍થાના અગ્રણીઓએ પણજોડાયા હતા. શોભાયાત્રા પરત ફરતા ઉપસ્‍થિત બ્રહ્માંનોયે વિધિવત રીતે ફરી ભગવાન શ્રીરામને મંદિરમાં પ્રવેશ કરાવ્‍યા હતા. બાદ વલસાડ જીલ્લા રક્‍તદાન કેન્‍દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં નગરજનોએ મોટી સંખ્‍યામાં ભાગ લઇ રક્‍તનું દાન કર્યું હતું, અંતે મહાપ્રસાદ લઇ ભક્‍તજનો તળપ્ત થયા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ હિંદુ ભાઈ બહેનોમાં એકતાના દર્શન થયા હતા. હિંદુ યુવાસંઘ દ્વારા અંતે આભારવિધિ આટોપી હતી.

vartmanpravah

ચીખલીના સોલધરામાં યોજાયેલ ગરીબ કલ્‍યાણ મેળામાં વહીવટી તંત્ર દ્વારા કિટ વિતરણમાં સાંજ પડી જતા લાભાર્થીઓની ધીરજ ખૂટતા મચાવેલો હોબાળો

vartmanpravah

પોતાનો રસ્‍તો શોધવા માહિર હોવા છતાં જિ.પં. પ્રમુખ તરીકે નવિનભાઈ પટેલ માટે રાહ આસાન નહીં રહે

vartmanpravah

રાજ્‍ય સરકાર ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવથી ડાંગરની સીધી ખરીદી કરશે : ખરીદી કેન્‍દ્રો ખાતે તા.31મી ઓક્‍ટોબર સુધી રજીસ્‍ટ્રેશન કરાવી શકાશે : જિલ્લાના ગોડાઉનો ખાતે 17મી ઓક્‍ટોબરથી 31મી ડિસેમ્‍બર સુધી ખરીદી થશે

vartmanpravah

દાનહના નરોલી સોલંકી પરિવાર દ્વારા અંતિમરથનું લોકાર્પણ કરાયું

vartmanpravah

લાયન્‍સ ઇંગ્‍લિશ સ્‍કૂલ ભારત સ્‍કાઉટ ગાઇડ દ્વારા વૃક્ષારોપણ કરાયું: વન સંપત્તિનું રક્ષણ એ આપણા સૌની જવાબદારી છેઃ રાજ તિલક સેલવા

vartmanpravah

Leave a Comment