Vartman Pravah
Breaking Newsગુજરાતદેશ

યુવાનોમાં હાર્ટ એટેકનું વધતું જતું પ્રમાણ ચિંતાજનક છે: સરકારી આર્ટસ કોલેજ, ગાંધીનગર ખાતે સેમીનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ગાંધીનગર, તા.28 : જીનીવા સ્‍થિતવર્લ્‍ડ હાર્ટ ફેડરેશન દ્વારા વિશ્વ આરોગ્‍ય સંસ્‍થાનના સહયોગમાં રહી સને 1999થી તારીખ 29 સપ્‍ટેમ્‍બરના દિવસને ‘વિશ્વ હૃદય દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીમાં અત્‍યાર સુધીમાં વિશ્વના 100થી પણ વધારે દેશો સામેલ થયા છે. આ દિવસની મહત્તા કાયમ બની રહે અને તે માટેનો સંદેશ હેતુ આમ જનતા સુધી પહોંચે તે માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગર હેઠળ માનદ્‌ સેવાઓ આપતા પારા લીગલ વોલ્‍યુન્‍ટીયરસ શ્રી અનિલ કક્કડ દ્વારા તેમને મળેલ સત્તાવાર કાર્યક્રમ મુજબ સરકારી આર્ટસ કોલેજ, ગાંધીનગર ખાતે એક સેમીનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે કોલેજના પ્રિન્‍સિપાલ ડૉ. અનોપા ચૌહાણ, પ્રોફેસરો અને વિદ્યાર્થિઓની ઉપસ્‍થિતિમાં મુખ્‍ય પ્રવક્‍તા શ્રી અનિલ કક્કડએ પોતાના પાવર પોઇન્‍ટ પ્રેઝેન્‍ટેસનથી આકળતિઓ, આંકડાકીય માહિતી અને આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ થઈ રહેલા અધ્‍યતન સંશોધનોની વિગતો ટાંકી હતી. હૃદય રોગ માટેના જવાબદાર ગણી શકાય તેવા પરિબળો જેવા કે હાઇબ્‍લડ પ્રેસર, કોલેસ્‍ટેરોલ, બ્‍લડ સુગર, ધુમ્રપાન અને તમાકુનું સેવન, સ્‍થૂલતા, કસરતનો અભાવ, સ્‍ટ્રેસ અને સ્‍ટ્રેઇન, ફાસ્‍ટ ફૂડ અને અસમતુલિત ખોરાકને ક્રમાનૂસાર અલગ તારવી દરેક મુદ્દા ઉપર સવિસ્‍તર સમજૂતી આપી હતી. આહાર-વિહાર, વિચાર, વ્‍યાયમઅને ઔષધ બાબતે જો કોઈ માણસ સાવચેતી વર્તે તો લાંબો સમય સુધી પોતાનું રાબેતા મુજબનું જીવન શક્‍યા બનાવી શકે તેમ છે.
કૌટુંબિક ઇતિહાસ ધ્‍યાનમાં લઈ, શારીરિક તપાસ, થોડા બ્‍લડ ટેસ્‍ટ, એક્‍સ-રે, ઇસીજી એ હૃદય રોગ અને હાર્ટ ફેલ્‍યોરના નિદાન અને સારવાર માટેની તેઓએ અસરકારક પધ્‍ધતિ ગણાવી હતી. રાજ્‍યમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કેસ ખૂબ જ નોંધ પાત્ર રીતે વધી રહ્યા છે ત્‍યારે હાલના યુવાનોમાં આ બાબતે જન જાગૃતિ અનિવાર્ય બની છે. જન્‍મજાત હૃદયરોગનાં વધતા જતા પ્રમાણને પણ ખાસ કિસ્‍સા તરીકે લઈ તે માટેના કારણો, તબીબી તપાસ અને સાવચેતીની બાબત ઉપર પણ શ્રી કક્કડએ પુરતો સમય ફાળવ્‍યો હતો. આ કામગીરીને સફળ બનાવવા કોલેજના પ્રિન્‍સિપાલ ડૉ. અનોપા ચૌહાણ અને સીનીયર પ્રોફેસર શ્રી વનરાજ સિંહ જાડેજા તરફથી ઉત્‍સાહપૂર્વક રસ દાખવી તમામ સવલતો પુરી પાડવામાં આવી હતી.

Related posts

દાનહ ભારત સ્‍કાઉટ ગાઇડને સ્‍વચ્‍છ સર્વેક્ષણ જાગળકતા અભિયાન માટે સામરવરણી પંચાયત દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

નાનાપોંઢા-નાસિક હાઈવે ઉપર મહાકાય કન્‍ટેનર પલટી મારી ગયા બાદ 24 કલાકથી હાઈવે બ્‍લોક

vartmanpravah

વલસાડ નગરપાલિકાના એન્‍ક્રોયમેન્‍ટ ઈન્‍સ્‍પેક્‍ટર મહેશકુમાર ઉર્ફે મુન્ના ધનસુખ ચૌહાણ વિરુદ્ધ એસીબીએ રૂા.2000 ની લાંચનો ગુન્‍હો દાખલ કર્યો

vartmanpravah

દાનહ-દમણ-દીવ ભાજપના માસ્‍ટર પ્‍લાનનો આરંભઃ 21મી જાન્‍યુ. સુધી ‘ડોર ટુ ડોર’ મહા જનસંપર્ક અભિયાન

vartmanpravah

આર. કે. દેસાઇ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમાં EPC -4 ‘સ્વની સમજ’ અંતર્ગત ‘આધ્યાત્મિક સ્પર્શ : સ્વની ખોજ’ વિષય પર ISCKON દ્વારા સાપ્તાહિક કાર્યકમ યોજાયો

vartmanpravah

દાનહના અંતરિયાળ વિસ્‍તારમાં પીવાના પાણીની સમસ્‍યાના કાયમી ઉકેલ માટે અમૃત સરોવરના નિર્માણનું પ્રદેશ ભાજપ દ્વારા સૂચન

vartmanpravah

Leave a Comment