Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

કપરાડા તાલુકાના વાડઘા ગામે રસ્‍તા પર નાળા કોઝવેના કારણે ગામના લોકોને ઘણી સમસ્‍યાઓનો સામનો કરવો પડી રહ્યો છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22
વિકાસની વાતો ડબલ એન્‍જીન સરકાર ગુજરાત મોડલની વતો થઈ રહી છે પરંતુ આજે પણ વલસાડ જિલ્લાના અમુક ક્ષેત્રો એવા છે જ્‍યાં વિકાસ પહોંચ્‍યો જ નથી. કપરાડા તાલુકાના અમુક ગામ એવા છે જ્‍યાં આજે પણ પાક્કો રસ્‍તો નથી બન્‍યો. કીચડવાળા રસ્‍તાને નાળા કોઝવે કારણે ગામના લોકોએ ઘણી સમસ્‍યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
કપરાડા તાલુકાના રાજકીયક્ષેત્રે આગળ પડતા અગ્રણીઓ જ કોન્‍ટ્રાક્‍ટ લેવામાં આવે છે. કોન્‍ટ્રાક્‍ટર પોતાની મરજીથી કામો કરે છે. વન વિભાગ દ્વારા વાડઘા ગામે નાળા કોઝવે ના કામ માટે ગ્રાન્‍ટ મંજૂર કરવામાં આવી હોવાનું જાણવા મળ્‍યું છે. પણ કામ નહિવત સાઈટ પર ધક્કો બનાવવામાં આવ્‍યો છે. હાલમાં કામ અધુરું છે.
વિકાસની વાતો તો ઘણી થઈ રહી છે પરંતુ આ ગામડાઓ સુધી હજી વિકાસ પહોંચ્‍યો નથી. કપરાડા વિધાનસભા વિસ્‍તારના આ ગામનું નામ વાડઘા છે. ગામના લોકોનું કહેવું છે કે, આઝાદી પછી અત્‍યાર સુધી અમારા ફળિયામાં રોડ નથી બન્‍યો. રોડ ન હોવાને કારણે લોકોએ ઘણી સમસ્‍યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્‍ય રસ્‍તા અને સ્‍કૂલમાં જવા રસ્‍તો નથી. જતા પહેલા કોતરોમાંથી પાણી આવે છે. જ્‍યાં ચોમાસામાં હંમેશા પાણી ભરેલું હોય છે. ગામમાં મુખ્‍ય રસ્‍તો છે. ગામના બાળકો અને મહિલાઓએ ખાસ કરીને રોડ અને નાળા અભાવે ઘણી સમસ્‍યાઓનો સામનો કરવો પડે છે.
કપરાડા તાલુકાના વાડઘા ગામમાં પટેલ ફળિયામાં આઝાદીના 75 વર્ષ પછી પણ રસ્‍તો બન્‍યો નથી. બીજી તરફ જંગલ વિસ્‍તાર અને ડુંગરોની હારમાળા વચ્‍ચે આવેલ આશરે 250 થી વધુ વસ્‍તી છે 25 થી વધુ ઘરો છે અને અહીં મહત્‍વની વાત એ છે કે ગામમાં આદિવાસી સમાજના લોકોનીવસ્‍તી છે.

Related posts

દિવાળીના તહેવારને અનુલક્ષી સેલવાસ કલેક્‍ટર કચેરી ખાતે એસડીએમ/આરડીસી ચાર્મી પારેખની અધ્‍યક્ષતામાં ફટાકડાના વેપારીઓ/શેરી વિક્રેતાઓ સાથે યોજાયેલી બેઠક: લાયસન્‍સ વગર ફટાકડાનું વેચાણ નહીં કરવા આદેશ

vartmanpravah

દમણ પાલિકા અને જિલ્લા પંચાયતે પ્રદેશના થયેલા ઐતિહાસિક સર્વાંગી વિકાસ બદલ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો આભાર માનતો પ્રસ્‍તાવ પસાર કર્યો

vartmanpravah

વાપી ભાજપ સંગઠને ગુંજન વંદેમાતરમ્‌ ચોકમાં હાય હાયના નારા સાથે અધીર રંજનના પૂતળાનું દહન કર્યું

vartmanpravah

પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીના માર્ગદર્શનમાં સંઘપ્રદેશમાં પ્રબળ ગતિથી ચાલી રહેલું ભાજપનું મહા જનસંપર્ક અભિયાન

vartmanpravah

દાનહમાં અનંત ચૌદશના દિને ધામધૂમથી અને ભીની આંખે બાપ્‍પાને આપવામાં આવી વિદાય

vartmanpravah

સંઘપ્રદેશની અષ્‍ટસિદ્ધિના 8 વર્ષઃ નવ નિધિના ‘નમો’ દાતા

vartmanpravah

Leave a Comment