April 19, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા 74મા ‘બંધારણ દિવસ’ને મનાવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : ગુજરાતના વલસાડી જિલ્લાને અડીને આવેલા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના જિલ્લા પ્રશાસન દ્વારા આજે ભારતના 74મા ‘બંધારણ દિવસ’ નિમિતે સેલવાસના કલા કેન્‍દ્રમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમનો શુભારંભ મુખ્‍ય અતિથિઓના હસ્‍તે દીપ પ્રાગટ્‍ય કરીને કરવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ‘બંધારણ દિવસ’ અને તેમના મહત્‍વ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ અવસરે દરેકની એકજૂટતામાં ‘બંધારણ દિવસ’ની પ્રસ્‍તાવનાનું વાંચન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે સેલવાસના એસડીએમ સુશ્રી ચાર્મી પારેખ, દાનહ જિલ્લા પંચાયત મુખ્‍ય કાર્યકારી અધિકારી ડૉ. અપૂર્વ શર્મા, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી વંદનાબેન પટેલ, સેલવાસ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રજનીબેન શેટ્ટી, એસ.ડી.પી.ઓ. શ્રી સિદ્ધાર્થ જૈન, જિલ્લા પ્રશાસનના અધિકારીઓ, કર્મચારીઓ, ચૂંટાયેલ જનપ્રતિનિધિ અને આમ લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વ્‍યક્‍તિ નહી, વ્‍યક્‍તિનું કામ બોલે છે, શરૂઆતમાં વિરોધ કરનારાઓ આજે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના બનેલા પ્રશંસક

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ શ્રેષ્‍ઠ ‘થ્રીડી’ના મિશન માટે મક્કમઃ મરવડ હોસ્‍પિટલના મહત્‍વાકાંક્ષી નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

વલસાડમાં રાજ્‍યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ઉપસ્‍થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની શાનદાર ઉજવણી

vartmanpravah

ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિની પ્રશંસનીય કામગીરી

vartmanpravah

ઉમરગામની કંપનીમાં લોખંડની ભઠ્ઠીમાંથી લાવા બહાર આવતા સાત કામદારો દાઝ્‍યા

vartmanpravah

ચીખલી તાલુકાના કુકેરી ગામે મુદિયા તળાવ વિસ્‍તારમાંથી દીપડીના ત્રણ બચ્‍ચાં મળી આવ્‍યા

vartmanpravah

Leave a Comment