Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા 74મા ‘બંધારણ દિવસ’ને મનાવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : ગુજરાતના વલસાડી જિલ્લાને અડીને આવેલા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના જિલ્લા પ્રશાસન દ્વારા આજે ભારતના 74મા ‘બંધારણ દિવસ’ નિમિતે સેલવાસના કલા કેન્‍દ્રમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમનો શુભારંભ મુખ્‍ય અતિથિઓના હસ્‍તે દીપ પ્રાગટ્‍ય કરીને કરવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ‘બંધારણ દિવસ’ અને તેમના મહત્‍વ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ અવસરે દરેકની એકજૂટતામાં ‘બંધારણ દિવસ’ની પ્રસ્‍તાવનાનું વાંચન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે સેલવાસના એસડીએમ સુશ્રી ચાર્મી પારેખ, દાનહ જિલ્લા પંચાયત મુખ્‍ય કાર્યકારી અધિકારી ડૉ. અપૂર્વ શર્મા, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી વંદનાબેન પટેલ, સેલવાસ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રજનીબેન શેટ્ટી, એસ.ડી.પી.ઓ. શ્રી સિદ્ધાર્થ જૈન, જિલ્લા પ્રશાસનના અધિકારીઓ, કર્મચારીઓ, ચૂંટાયેલ જનપ્રતિનિધિ અને આમ લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા સેલવાસ કલેક્‍ટર કચેરીના પરિસરમાં સ્‍થાપવામાં આવેલ દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ. ઈન્‍દિરા ગાંધીની પ્રતિમાને હટાવાતા કોંગ્રેસે કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશના કેટલાક મહત્‍વપૂર્ણ મુદ્દાઓ અંગે કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

આજે વલસાડ જિલ્લામાં માલધારી સમાજ દૂધ વિતરણ કરશે નહી : રાજ્‍ય સ્‍તરે 21 સપ્‍ટેમ્‍બરે દૂધ નહિ વેચવાનો નિર્ણય લેવાયો છે

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવનું ગૌરવ

vartmanpravah

નવસારીની તાતા ગર્લ્‍સ સ્‍કૂલ ખાતે ચિરાગ ભટ્ટનો મોટીવેશનલ સેમિનાર યોજાયો

vartmanpravah

67મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વંદનીય ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરને અપાયેલી સ્‍મરણાંજલિ

vartmanpravah

Leave a Comment