January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લંડનની બ્રિટિશ સંસદમાં દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે ઈન્‍ડો-યુરોપિયન કોન્‍ક્‍લેવમાં ગુડ ગવર્નન્‍સ ઉપર આપેલું મનનીય વક્‍તવ્‍ય

રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીના ગ્રામ સ્‍વરાજ્‍ય, સ્‍વામી વિવેકાનંદના દરિદ્ર નારાયણ તથા દીન દયાળ ઉપાધ્‍યાયનું અંત્‍યોદય સુશાસનનું ઉત્તમ દૃષ્‍ટાંતઃ ભારત સરકારે કોરોના કાળમાં લીધેલા પગલાં અને અપનાવેલી સમયસૂચકતાથી બીજું કોઈ મોટું સુશાસનનું સ્‍વરૂપ નથીઃ સાંસદ ઉમેશભાઈ પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
લંડન, તા.13 : લંડનની બ્રિટિશ સંસદમાં તા.11મી સપ્‍ટેમ્‍બરથી 14મી સપ્‍ટેમ્‍બર સુધી યોજાઈ રહેલ ઈન્‍ડો-યુરોપિયન આંતરરાષ્‍ટ્રીય બિઝનેશ કોન્‍કલેવમાંભારત સહિત અન્‍ય દેશોના સાંસદો, ધારાસભ્‍યો, બિઝનેશસ મેનો ભાગ લઈ રહ્યા છે. જેમાં દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલને પણ ભારતનું પ્રતિનિધિત્‍વ કરવાની તક મળી હતી.
આ કાર્યક્રમમાં સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ભારત હંમેશા વિશ્વને એક પરિવાર તરીકે નિહાળે છે અને ‘વસુધૈવ કુટુંમ્‍બકમ્‌’ની ભાવનાથી કામ કરે છે. ભારતમાં લગભગ 122 જેટલી પ્રમુખ ભાષાઓ અને 1500 જેટલી બોલી બોલાય છે અને દર 12 ગામે બોલી બદલાઈ જાય છે. ભારતમાં વિવિધતા અને અનેકતા હોવા છતાં અમારી સરકાર દરેકનું સર્વોપરિતાથી લાલન-પાલન કરે છે. માનવ અધિકાર કાયદાપાલન લોકશાહીનું જતન જેવા અનેક કામો સરકાર સફળતાથી કરી રહી છે.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધી તથા સ્‍વામી વિવેકાનંદના દરિદ્ર નારાયણ તથા દીન દયાળ ઉપાધ્‍યાયનું અંત્‍યોદય સુશાસન સાથે જોડાયેલું હોવાનું બ્રિટિશ સંસદમાં ભારપૂર્વક જણાવ્‍યું હતું. તેમણે કોરોના કાળમાં ભારત સરકારે લીધેલા પગલાં અને અપનાવેલી સમયસૂચકતાનો ઉલ્લેખ કરી જણાવ્‍યું હતું કે, આનાથી મોટું સુશાસનનું બીજું કોઈ દૃષ્‍ટાંત નથી.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે બ્રિટિશ પાર્લામેન્‍ટમાં ગુડ ગવર્નન્‍સ ઉપર પોતાનું મનનીય વક્‍તવ્‍ય આપ્‍યું હતું. દાદરા નગર હવેલી અનેદમણ-દીવના શ્રી ઉમેશભાઈ પટેલ પહેલાં એવા સાંસદ છે કે જેમને વિદેશની ધરતી ઉપર વિદેશી પાર્લામેન્‍ટમાં પોતાના વિચારો રજૂ કરવાની તક મળી છે.

Related posts

શિક્ષણ સચિવ, અંકિતા આંનદ અને શિક્ષણ નિયામક નિલેશ ગુરવના માર્ગદર્શન સંઘપ્રદેશ થ્રીડી શિક્ષણ વિભાગ, સમગ્ર શિક્ષા અંતર્ગત દિવ્‍યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આઝાદી બાદ પહેલી વખત લક્ષદ્વીપ ખાતે રહેતા લોકોના જીવન-ધોરણને સુધારવાનો પ્રશાસનિક પ્રયાસ

vartmanpravah

પારડી વિસ્‍તારમાં બિન્‍દાસ ફરી રહ્યા છે ચેઈન સ્‍નેચિંગરો

vartmanpravah

ચીખલી-વાંસદા રાજ્‍યધોરી માર્ગની વચ્‍ચેના ડીવાઈડર ઉપર ધૂળનો જમેલોઃ રાત્રી દરમ્‍યાન વાહનચાલકોને સફેદ પટ્ટા નહિ દેખાતા મોટી દુર્ઘટનાની જોવાતી રાહ?

vartmanpravah

ભાવિકાબેન પટેલ હિન્‍દી વિષયમાં પીએચડી થયા

vartmanpravah

સેલવાસના આરડીસી ચાર્મી પારેખ અભ્‍યાસ માટે વિદેશ જતાં સેલવાસના આરડીસી તરીકે પ્રિયાંક કિશોરની કરાયેલી નિયુક્‍તિઃ દાનિક્‍સ અધિકારી કરણજીત વાડોદરિયાને સેલવાસ સ્‍માર્ટ સીટીના સી.ઈ.ઓ. તરીકેની આપવામાં આવેલી જવાબદારી

vartmanpravah

Leave a Comment