October 21, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લંડનની બ્રિટિશ સંસદમાં દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે ઈન્‍ડો-યુરોપિયન કોન્‍ક્‍લેવમાં ગુડ ગવર્નન્‍સ ઉપર આપેલું મનનીય વક્‍તવ્‍ય

રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીના ગ્રામ સ્‍વરાજ્‍ય, સ્‍વામી વિવેકાનંદના દરિદ્ર નારાયણ તથા દીન દયાળ ઉપાધ્‍યાયનું અંત્‍યોદય સુશાસનનું ઉત્તમ દૃષ્‍ટાંતઃ ભારત સરકારે કોરોના કાળમાં લીધેલા પગલાં અને અપનાવેલી સમયસૂચકતાથી બીજું કોઈ મોટું સુશાસનનું સ્‍વરૂપ નથીઃ સાંસદ ઉમેશભાઈ પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
લંડન, તા.13 : લંડનની બ્રિટિશ સંસદમાં તા.11મી સપ્‍ટેમ્‍બરથી 14મી સપ્‍ટેમ્‍બર સુધી યોજાઈ રહેલ ઈન્‍ડો-યુરોપિયન આંતરરાષ્‍ટ્રીય બિઝનેશ કોન્‍કલેવમાંભારત સહિત અન્‍ય દેશોના સાંસદો, ધારાસભ્‍યો, બિઝનેશસ મેનો ભાગ લઈ રહ્યા છે. જેમાં દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલને પણ ભારતનું પ્રતિનિધિત્‍વ કરવાની તક મળી હતી.
આ કાર્યક્રમમાં સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ભારત હંમેશા વિશ્વને એક પરિવાર તરીકે નિહાળે છે અને ‘વસુધૈવ કુટુંમ્‍બકમ્‌’ની ભાવનાથી કામ કરે છે. ભારતમાં લગભગ 122 જેટલી પ્રમુખ ભાષાઓ અને 1500 જેટલી બોલી બોલાય છે અને દર 12 ગામે બોલી બદલાઈ જાય છે. ભારતમાં વિવિધતા અને અનેકતા હોવા છતાં અમારી સરકાર દરેકનું સર્વોપરિતાથી લાલન-પાલન કરે છે. માનવ અધિકાર કાયદાપાલન લોકશાહીનું જતન જેવા અનેક કામો સરકાર સફળતાથી કરી રહી છે.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધી તથા સ્‍વામી વિવેકાનંદના દરિદ્ર નારાયણ તથા દીન દયાળ ઉપાધ્‍યાયનું અંત્‍યોદય સુશાસન સાથે જોડાયેલું હોવાનું બ્રિટિશ સંસદમાં ભારપૂર્વક જણાવ્‍યું હતું. તેમણે કોરોના કાળમાં ભારત સરકારે લીધેલા પગલાં અને અપનાવેલી સમયસૂચકતાનો ઉલ્લેખ કરી જણાવ્‍યું હતું કે, આનાથી મોટું સુશાસનનું બીજું કોઈ દૃષ્‍ટાંત નથી.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે બ્રિટિશ પાર્લામેન્‍ટમાં ગુડ ગવર્નન્‍સ ઉપર પોતાનું મનનીય વક્‍તવ્‍ય આપ્‍યું હતું. દાદરા નગર હવેલી અનેદમણ-દીવના શ્રી ઉમેશભાઈ પટેલ પહેલાં એવા સાંસદ છે કે જેમને વિદેશની ધરતી ઉપર વિદેશી પાર્લામેન્‍ટમાં પોતાના વિચારો રજૂ કરવાની તક મળી છે.

Related posts

વાપીમાં અનોખીમહિલા ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈઃ હાઈરાઈઝ બિલ્‍ડીંગની ટેરેસ ઉપર 11 ટીમોએ ક્રિકેટ રમી

vartmanpravah

12 જાન્‍યુઆરીએ ધરમપુરમાં વિવેકાનંદજીની જન્‍મજયંતિ નિમિત્તે યુવા રેલી અને યુવા સંમેલન

vartmanpravah

ડાહ્યાભાઈ પટેલ કોંગ્રેસના સાંસદ હોવા છતાં તેમણે એનડીએ સરકાર સાથે રાખેલા તાલમેલના કારણે દમણ-દીવના કામોને પણ મળેલી અગ્રતા

vartmanpravah

ગુજરાત-મહારાષ્‍ટ્ર સરહદ ઉપર માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા સમાજના અતિથિ ગૃહના નિર્માણનો આરંભ

vartmanpravah

પારડી હાઈવે બ્રિજ પર ટ્રકની બ્રેક ફેઈલ થઈ રેલિંગમાં અથડાતા મોટો અકસ્‍માત થતાં બચ્‍યો

vartmanpravah

અબ્રામાથી વાપી આલોક કંપનીના કર્મચારીઓ ભરેલી બસને વલસાડ હાઈવે ઉપર નડેલો અકસ્‍માત

vartmanpravah

Leave a Comment