September 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ દ્વારા 24મી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ વી.આઈ.એ.માં યોજાઈ

મહેસાણાની સંગઠન શક્‍તિ અને એકતા નોંધનીય છે : નાણામંત્રી કનુભાઈ દેસાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે શનિ-રવિના રોજ વી.આઈ.એ. ગ્રાઉન્‍ડમાં 24મી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ હતી. વિવિધ વ્‍યવસાય આધારિત નવી ટીમો વચ્‍ચે રસાકસી મેચો રમાઈ હતી. અંતે સેમિફાઈનલ અને ફાઈનલ મેચ રમાઈ હતી. ફાઈનલ વિજેતા ટીમ અને ખાસ પ્રતિભાશાળી ખેલાડીઓનું શિલ્‍ડ આપી સન્‍માન કરાયું હતું.
મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ દ્વારા આયોજીત તા.24મી ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં મુખ્‍ય અતિથિ તરીકે કેબિનેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહી ખેલાડીઓનો ઉત્‍સાહ વધાર્યો હતો. ટૂર્નામેન્‍ટમાં આંગડીાય મહાદેવ, સુપર બુલ્‍સ, પાટીદાર, ગેલકો, વિવાન, 40+, જરા, આર.કે. એન્‍ટરપ્રાઈઝ, મળી કુલ 9 ટીમોએ ભાગ લીધો હતો. ફાઈનલ મેચ પાટીદાર વિરૂધ્‍ધ આંગડીયા ટીમ વચ્‍ચે રમાઈ હતી. જેમાં આંગડીયા ટીમ ફાઈનલ વિજેતા બની હતી. ખાસ પ્રતિભાશાળી ખેલાડીમાં બેસ્‍ટ બોલર જય પટેલ, આંગડીયા ટીમ, બેસ્‍ટ બેટ્‍સમેન સન્ની પટેલ, પાટીદાર ટીમ, મેન ઓફ ધ મેચ વિષ્‍ણુ પટેલ આંગડીયી ટીમના જાહેર થયા હતા. તમામને શિલ્‍ડ આપી નાણામંત્રીને હસ્‍તે સન્‍માન કરાયું હતું. ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં ઉપસ્‍થિત નાણામંત્રીએ જણાવ્‍યું હતું કે, મહેસાણાની સંગઠન શક્‍તિ અને એકતા નોંધનીય છે.સમાજના આગેવાનો સર્વેશ્રી કમલેશ પટેલ, સતિષ પટેલ, નરેન્‍દ્ર પટેલ, ભરત પટેલ, હેમંત પટેલ, સુરેશ પટેલ, પ્રફુલ પટેલ વિગેરેએ સંપુર્ણ આયોજન સાથે મેચની સફળતા માટે પુરુષાર્થ કર્યો હતો.

Related posts

વલસાડ રેલવે સ્‍ટેશન પર ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” મહા શ્રમ દાન કરાયું

vartmanpravah

વલસાડના પાલણ, અતુલ, રોણવેલ, કુંડી અને ધરમપુરના આસુરા પેટા આરોગ્ય કેન્દ્રને NQAS પ્રમાણપત્ર એનાયત

vartmanpravah

ઉમરગામ ટાઉનમાં ત્રિરંગા યાત્રાનુું કરવામાંઆવેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

વલસાડ સેવા મિત્ર મંડળ દ્વારા 20 માર્ચ વર્લ્‍ડ સ્‍પેરો ડેની ઉજવણી શરૂ : 4500 ચકલી ઘર-2500 બાઉલનું વિતરણ

vartmanpravah

વલસાડમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની ચકસણી કરાઈ

vartmanpravah

દાનહના માજી સાંસદ સ્‍વ. મોહનભાઈ ડેલકરના પુણ્‍ય સ્‍મરણાર્થે ડેલકર પરિવાર દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment