Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ દ્વારા 24મી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ વી.આઈ.એ.માં યોજાઈ

મહેસાણાની સંગઠન શક્‍તિ અને એકતા નોંધનીય છે : નાણામંત્રી કનુભાઈ દેસાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે શનિ-રવિના રોજ વી.આઈ.એ. ગ્રાઉન્‍ડમાં 24મી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ હતી. વિવિધ વ્‍યવસાય આધારિત નવી ટીમો વચ્‍ચે રસાકસી મેચો રમાઈ હતી. અંતે સેમિફાઈનલ અને ફાઈનલ મેચ રમાઈ હતી. ફાઈનલ વિજેતા ટીમ અને ખાસ પ્રતિભાશાળી ખેલાડીઓનું શિલ્‍ડ આપી સન્‍માન કરાયું હતું.
મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ દ્વારા આયોજીત તા.24મી ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં મુખ્‍ય અતિથિ તરીકે કેબિનેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહી ખેલાડીઓનો ઉત્‍સાહ વધાર્યો હતો. ટૂર્નામેન્‍ટમાં આંગડીાય મહાદેવ, સુપર બુલ્‍સ, પાટીદાર, ગેલકો, વિવાન, 40+, જરા, આર.કે. એન્‍ટરપ્રાઈઝ, મળી કુલ 9 ટીમોએ ભાગ લીધો હતો. ફાઈનલ મેચ પાટીદાર વિરૂધ્‍ધ આંગડીયા ટીમ વચ્‍ચે રમાઈ હતી. જેમાં આંગડીયા ટીમ ફાઈનલ વિજેતા બની હતી. ખાસ પ્રતિભાશાળી ખેલાડીમાં બેસ્‍ટ બોલર જય પટેલ, આંગડીયા ટીમ, બેસ્‍ટ બેટ્‍સમેન સન્ની પટેલ, પાટીદાર ટીમ, મેન ઓફ ધ મેચ વિષ્‍ણુ પટેલ આંગડીયી ટીમના જાહેર થયા હતા. તમામને શિલ્‍ડ આપી નાણામંત્રીને હસ્‍તે સન્‍માન કરાયું હતું. ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં ઉપસ્‍થિત નાણામંત્રીએ જણાવ્‍યું હતું કે, મહેસાણાની સંગઠન શક્‍તિ અને એકતા નોંધનીય છે.સમાજના આગેવાનો સર્વેશ્રી કમલેશ પટેલ, સતિષ પટેલ, નરેન્‍દ્ર પટેલ, ભરત પટેલ, હેમંત પટેલ, સુરેશ પટેલ, પ્રફુલ પટેલ વિગેરેએ સંપુર્ણ આયોજન સાથે મેચની સફળતા માટે પુરુષાર્થ કર્યો હતો.

Related posts

હરિદ્વારથી 1400 કિમીની પદયાત્રા કરીને આવેલા ભક્‍તો ગંગાજળથી આજે આછવણી ખાતે પ્રગટેશ્વર મહાદેવનો અભિષેક કરશે

vartmanpravah

વાપી હાઈવે બલીઠા નજીક કન્‍ટેઈનર ટક્કરમાં પારડીના યુવકનું ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યુ મોત

vartmanpravah

એસઆઈએની ખાસ સામાન્‍ય સભા મોકૂફઃ બે વરસે યોજાતી ચૂંટણી પ્રક્રિયા કોરોના મહામારીની વિકટ સ્‍થિતિ નિયંત્રણમાં આવે ત્‍યાં સુધી રાહ જોવાનો લીધેલો નિર્ણય

vartmanpravah

નશીલી દવાઓનો દુરૂપયોગ અને ગેરકાયદેસર તસ્કરી વિરુદ્ધ દાનહ પોલીસ દ્વારા જાગૃતિ બેઠક યોજાઈ

vartmanpravah

પારડી શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર અર્થવ્‍યવસ્‍થા અંગેનું સંબોધન માણવાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નવસારીના વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાઓમાં સ્‍વાગત કાર્યક્રમો યોજાયા

vartmanpravah

Leave a Comment