April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નશીલી દવાઓનો દુરૂપયોગ અને ગેરકાયદેસર તસ્કરી વિરુદ્ધ દાનહ પોલીસ દ્વારા જાગૃતિ બેઠક યોજાઈ

દાનહ પોલીસ દ્વારા ૨૬મી જૂન સુધી ‘નશામુક્ત ભારત પખવાડિયા’ની ઉજવણી કરી લોકોને જાગૃત કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: દાદરા નગર હવેલી પોલીસ વિભાગ દ્વારા સોમવારે નશીલી પદાર્થો-દવાઓનો દુરૂપયોગ અને ગેરકાયદેસર થતી તસ્‍કરીને રોકવા હેડક્‍વાર્ટર સેલવાસ ખાતે એસ.પી. શ્રી આર.પી.મીણા, એસ.ડી.પી.ઓ. શ્રી સિદ્ધાર્થ જૈન, ડી.વાય.એસ.પી. (પોલીસ ટ્રેનિંગ સાયલી)શ્રી એન.એલ.રોહિતની ઉપસ્‍થિતિમાં દાનહ રેસિડન્‍ટ વેલફેર એસોસિએશન અને વેપારી કલ્‍યાણ સંગઠન સાથે એક જાગૃતિ બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ એક જવાબદાર કાનૂન પ્રવર્તન એજન્‍સીના રૂપે દાનહ પોલીસે નશીલા પદાર્થો-દવાઓના ઉપયોગ વિરુદ્ધ લડવા વિશેષ રૂપે યુવાઓને ધ્‍યાનમાં રાખતા સામાન્‍ય જનતાની વચ્‍ચે નશીલા પદાર્થો અને દવાઓના દુરુપયોગથી થતી વિપરિત અસરો અંગે જાગૃતતા ફેલાવવાની પહેલ કરી છે. બેઠકમાં પોલીસ અધિકારીઓએ ઉપસ્‍થિતલોકોને ડ્રગ્‍સનું જોખમ અને એના દુષ્‍પ્રભાવ અંગે વિસ્‍તૃત જાણકારી આપી હતી. દરમિયાન દેશમાં નશીલી દવાઓના ભયની સ્‍થિતિ અંગે ટૂંકમાં વિડીયો પણ પ્રદર્શિત કરવામાં આવ્‍યો હતો.
બેઠકમાં દાનહમાં નશીલા પદાર્થો અને દવાઓના વધી રહેલા જોખમની સ્‍થિતિને કેવી રીતે ખાળી શકાય તે અંગે જાણકારી આપવામાં આવી હતી. વેપારી એસોસિએશન દ્વારા દાનહ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ પ્રયાસોની સરાહના કરી હતી અને તેમણે પ્રદેશમાં નશાકારક પદાર્થો અને દવાઓના વધી રહેલા જોખમ વિરુદ્ધ ચલાવેલી લડાઈમાં સંપૂર્ણ સમર્થન આપવાની બાહેંધરી આપી હતી.
દાદરા નગર હવેલી પોલીસ વિભાગ દ્વારા 12 જૂનથી 26 જૂન,2023 સુધી ‘નશામુક્‍ત ભારત પખવાડિયું’ મનાવવામાં આવી રહ્યું છે જેમાં પ્રદેશના લોકોને જાગૃત કરવામાં આવશે.

Related posts

મંગળવારે પાલઘરમાં ગુડ્‍ઝ ટ્રેન પાટા ઉપરથી ઉતરી જવાના કારણે બુધવારે પણ રેલ વ્‍યવહાર ઉપર પડેલી અસર

vartmanpravah

થાલા નેશનલ હાઈવે પર અજાણ્‍યા વાહન અડફતે વસુધારા ડેરીમાં સિકયુરિટી તરીકે ફરજ બજાવતા ગાર્ડનું મોત નીપજ્‍યું

vartmanpravah

ધરમપુર બામટી માર્કેટમાં 3.5 કિ.ગ્રા.ની હાથીજુલ નામની કેરી વેચાણમાં આવતા લોકો જોવા ઉમટી પડયા

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગના ‘‘વિદ્યા સમીક્ષા કેન્‍દ્ર”નું પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલું નિરીક્ષણ

vartmanpravah

વાપી ડુંગરામાં ભાજપ દ્વારા નરેન્‍દ્ર મોદીનો લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત શ્રવણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સાંસદ કલાબેન ડેલકરની ઉપસ્‍થિતિમાં દાનહ જિ.પં. દ્વારા ખાનવેલ ગ્રામ પંચાયત ખાતે જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્‍મ જયંતિની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

Leave a Comment