October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાત

એસઆઈએની ખાસ સામાન્‍ય સભા મોકૂફઃ બે વરસે યોજાતી ચૂંટણી પ્રક્રિયા કોરોના મહામારીની વિકટ સ્‍થિતિ નિયંત્રણમાં આવે ત્‍યાં સુધી રાહ જોવાનો લીધેલો નિર્ણય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.21
સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની આજરોજ મળનારી ખાસ સામાન્‍ય સભા કોવિડ મહામારીની વિકટ પરિસ્‍થિતિ જોતા મુલતવી રાખવામાં આવી છે.
એસઆઈએના પ્રમુખશ્રી વી.ડી.શિવદાશન, સેક્રેટરીશ્રી સમીમભાઈ રીઝવી, ઉપ પ્રમુખ શ્રી હેમંતભાઈ મડોલી, ખજાનચી શ્રી કિશોરભાઈ ગજેરા, જોઇન્‍ટ સેક્રેટરી શ્રી સેહુલભાઈ પટેલ સહિતના આગેવાન ઉધોગપતિઓની મળેલી બેઠકમાં ચર્ચા-વિચારણા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્‍યો હતો.
આ ઉપરાંત બે વર્ષે યોજાતી એસઆઈએની ચૂંટણીનો સમય પણ નજીક આવી રહ્યો છે પરંતુ હાલની કોવિદ મહામારીની પ્રવર્તમાન સ્‍થિતિ જોતા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવી જોખમકારક જણાઈ રહ્યું છે. જેને ધ્‍યાનમાં રાખી ચૂંટણી પ્રક્રિયા પરિસ્‍થિતિ કાબૂમાં નહી આવે ત્‍યાં સુધી મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. તેમજ વર્ષ 2022-2024 માટે યોજનારી ચૂંટણી પ્રક્રિયા કોવિડ મહામારીનો પ્રકોપ આવ્‍યા બાદ તાત્‍કાલિક હાથ ધરવામાં આવશે એવો આજની મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્‍યો હતો.

Related posts

છેલ્લા 10 વર્ષમાં દાનહ સહિત સમગ્ર પ્રદેશ માટે જીવનરક્ષક બનેલી 108 એમ્‍બ્‍યુલન્‍સ સેવા

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે ભામટી પ્રગતિમંડળ દ્વારા યોગ અભ્‍યાસ કરાયો

vartmanpravah

દમણઃ ખારીવાડ ખાતે આકાર મોટર્સની બાજુમાં આવેલ કરિયાણાની દુકાનનું શટર તોડી રૂા.3.35 લાખની ચોરી

vartmanpravah

પોર્ટુગીઝ સલ્‍તનતના સમયે 75 વર્ષ પહેલાં સ્‍થાપાયેલ દમણની સાર્વજનિક વિદ્યાલય ખાતે યોજાયેલ નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

vartmanpravah

વાપીમાં લાયન્‍સ સાયક્‍લોથોન યોજાશે

vartmanpravah

વલસાડ તિથલ બીચ સહેલાણીઓ માટે ખુલ્લો મુકાયો: શનિ-રવિવારે બીચ બંધ રાખવામાં આવશે : સહેલાણીઓનું આગમન શરૂ

vartmanpravah

Leave a Comment