October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારીના વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાઓમાં સ્‍વાગત કાર્યક્રમો યોજાયા

વાંસદામાં 226, ચીખલીમાં 263 અને ખેરગામમાં 177 સ્‍થાનિક અરજીઓનો નિકાલ કરવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.26: લોકપ્રશ્નોનું ઝડપી નિરાકરણ એટલે સ્‍વાગત કાર્યક્રમ. સ્‍વાગત કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ થતાં રાજ્‍ય સરકાર દ્વારા ‘સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું વિશેષ આયોજન કરવામાં આવ્‍યું છે. જે અંતર્ગત આજ રોજ નવસારીનાં વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાઓ ખાતે સ્‍વાગત કાર્યક્રમો યોજવામાં આવ્‍યા હતા.
‘સ્‍વાગત સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે વાંસદા તાલુકાનો સ્‍વાગત કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઋષિકેશ ઉપાધ્‍યાયના અધ્‍યક્ષસ્‍થાને વાંસદા ખાતે યોજાયો હતો. આ સ્‍વાગત કાર્યક્રમમાં 202 ગ્રામ કક્ષાની અરજીઓ અને 24 તાલુકા કક્ષાની અરજીઓ મળીને કુલ 226 અરજીઓનો નિકાલ કરવામાં આવ્‍યો હતો.
જ્‍યારે, ચીખલી તાલુકાનો સ્‍વાગત કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્‍પ લતાના અધ્‍યક્ષસ્‍થાને ચીખલી ખાતે યોજાયો હતો. આ સ્‍વાગત કાર્યક્રમમાં 257 ગ્રામ કક્ષાની અરજીઓ અને 06 તાલુકા કક્ષાની અરજીઓનો મળીને કુલ 263 અરજીઓનો નિકાલ કરવામાં આવ્‍યો હતો.
આ જ શ્રૃંખલા હેઠળ, ખેરગામ તાલુકાનો સ્‍વાગત કાર્યક્રમ પ્રાંત અધિકારીશ્રીડી.આઈ. પટેલના અધ્‍યક્ષસ્‍થાને ખેરગામ ખાતે યોજાયો હતો. આ સ્‍વાગત કાર્યક્રમમાં 165 ગ્રામ કક્ષાની અરજીઓ અને 12 તાલુકા કક્ષાની અરજીઓનો મળીને કુલ 177 અરજીઓનો નિકાલ કરવામાં આવ્‍યો હતો.
આ કાર્યક્રમોમાં પાણી પૂરવઠો, વીજળી, સિટી સર્વે, પોલીસ, મહેસૂલ, ત્‍ઘ્‍ઝલ્‍ વિગેરે વિભાગોને સંબંધિત અરજીઓનું નિરાકારણ લાવવામાં આવ્‍યું હતું.
જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, અરજદારો તથા સ્‍થાનિક લોકો આ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આનંદો : આજથી વાપી હાઈવે છરવાડા ક્રોસિંગ કાર્યરત થશે : નાણામંત્રી લોકાર્પણ કરશે

vartmanpravah

દમણમાં ગુરૂવારની રાત્રિએ છતનો શેડ કાપીને 3 દુકાનોમાંથી 70 હજારની ચોરી

vartmanpravah

સંઘપ્રદેશની કન્‍યાઓ ડ્રાઈવીંગની તાલીમ લઈ સ્‍વનિર્ભર બનશે : પ્રશાસનનો નવતર પ્રયોગ

vartmanpravah

કપરાડા-ધરમપુરમાં ફરજ બજાવતા જી.આર.ડી. જવાનો બે માસ પગારથી વંચિત : હોળીના તહેવારો બગડયા

vartmanpravah

બે દિવસીય મુલાકાતના સમાપન સાથે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો ઔર વધુ શ્રેષ્‍ઠ દાનહના નિર્માણનો સંકલ્‍પ

vartmanpravah

વસુંધરા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વૈદુ ભગત ઉજવણી મનાલા ખાતે યોજાયો

vartmanpravah

Leave a Comment