June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારીના વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાઓમાં સ્‍વાગત કાર્યક્રમો યોજાયા

વાંસદામાં 226, ચીખલીમાં 263 અને ખેરગામમાં 177 સ્‍થાનિક અરજીઓનો નિકાલ કરવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.26: લોકપ્રશ્નોનું ઝડપી નિરાકરણ એટલે સ્‍વાગત કાર્યક્રમ. સ્‍વાગત કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ થતાં રાજ્‍ય સરકાર દ્વારા ‘સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું વિશેષ આયોજન કરવામાં આવ્‍યું છે. જે અંતર્ગત આજ રોજ નવસારીનાં વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાઓ ખાતે સ્‍વાગત કાર્યક્રમો યોજવામાં આવ્‍યા હતા.
‘સ્‍વાગત સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે વાંસદા તાલુકાનો સ્‍વાગત કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઋષિકેશ ઉપાધ્‍યાયના અધ્‍યક્ષસ્‍થાને વાંસદા ખાતે યોજાયો હતો. આ સ્‍વાગત કાર્યક્રમમાં 202 ગ્રામ કક્ષાની અરજીઓ અને 24 તાલુકા કક્ષાની અરજીઓ મળીને કુલ 226 અરજીઓનો નિકાલ કરવામાં આવ્‍યો હતો.
જ્‍યારે, ચીખલી તાલુકાનો સ્‍વાગત કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્‍પ લતાના અધ્‍યક્ષસ્‍થાને ચીખલી ખાતે યોજાયો હતો. આ સ્‍વાગત કાર્યક્રમમાં 257 ગ્રામ કક્ષાની અરજીઓ અને 06 તાલુકા કક્ષાની અરજીઓનો મળીને કુલ 263 અરજીઓનો નિકાલ કરવામાં આવ્‍યો હતો.
આ જ શ્રૃંખલા હેઠળ, ખેરગામ તાલુકાનો સ્‍વાગત કાર્યક્રમ પ્રાંત અધિકારીશ્રીડી.આઈ. પટેલના અધ્‍યક્ષસ્‍થાને ખેરગામ ખાતે યોજાયો હતો. આ સ્‍વાગત કાર્યક્રમમાં 165 ગ્રામ કક્ષાની અરજીઓ અને 12 તાલુકા કક્ષાની અરજીઓનો મળીને કુલ 177 અરજીઓનો નિકાલ કરવામાં આવ્‍યો હતો.
આ કાર્યક્રમોમાં પાણી પૂરવઠો, વીજળી, સિટી સર્વે, પોલીસ, મહેસૂલ, ત્‍ઘ્‍ઝલ્‍ વિગેરે વિભાગોને સંબંધિત અરજીઓનું નિરાકારણ લાવવામાં આવ્‍યું હતું.
જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, અરજદારો તથા સ્‍થાનિક લોકો આ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ગુજરાતભરમાં નકલીની ભરમાર વચ્‍ચે વલસાડ સ્‍ટેશનથી નકલી ટી.સી. ઝડપાયો

vartmanpravah

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં “રન ફોર સેવ યુથ એન્ડ સેવ નેશન” માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

અંબિકા અને કાવેરી નદીમાં પુરના કારણે ગણદેવી તાલુકાના 966 નાગરિકોને સ્‍થળાંતરિત કરાયા

vartmanpravah

સરીગામ પંચાયતની ચૂંટણીમાં રાકેશભાઈ પ્રેરીત પેનલના સરપંચના ઉમેદવાર સહદેવભાઈ વધાતનો ભવ્‍ય વિજય

vartmanpravah

વલસાડ રાષ્‍ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં બીએલઓની કામગીરીમાંથી શિક્ષકોને મુક્‍તિ માટે જિલ્લા કલેક્‍ટરને પાઠવેલું આવેદનપત્ર

vartmanpravah

રેલવેના રૂા.4.97 કરોડ બાકી ખેંચાતા વાપી નોટિફાઈડે રેલવેનું પાણી જોડાણ કાપ્‍યું

vartmanpravah

Leave a Comment