Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારીના વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાઓમાં સ્‍વાગત કાર્યક્રમો યોજાયા

વાંસદામાં 226, ચીખલીમાં 263 અને ખેરગામમાં 177 સ્‍થાનિક અરજીઓનો નિકાલ કરવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.26: લોકપ્રશ્નોનું ઝડપી નિરાકરણ એટલે સ્‍વાગત કાર્યક્રમ. સ્‍વાગત કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ થતાં રાજ્‍ય સરકાર દ્વારા ‘સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું વિશેષ આયોજન કરવામાં આવ્‍યું છે. જે અંતર્ગત આજ રોજ નવસારીનાં વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાઓ ખાતે સ્‍વાગત કાર્યક્રમો યોજવામાં આવ્‍યા હતા.
‘સ્‍વાગત સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે વાંસદા તાલુકાનો સ્‍વાગત કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઋષિકેશ ઉપાધ્‍યાયના અધ્‍યક્ષસ્‍થાને વાંસદા ખાતે યોજાયો હતો. આ સ્‍વાગત કાર્યક્રમમાં 202 ગ્રામ કક્ષાની અરજીઓ અને 24 તાલુકા કક્ષાની અરજીઓ મળીને કુલ 226 અરજીઓનો નિકાલ કરવામાં આવ્‍યો હતો.
જ્‍યારે, ચીખલી તાલુકાનો સ્‍વાગત કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્‍પ લતાના અધ્‍યક્ષસ્‍થાને ચીખલી ખાતે યોજાયો હતો. આ સ્‍વાગત કાર્યક્રમમાં 257 ગ્રામ કક્ષાની અરજીઓ અને 06 તાલુકા કક્ષાની અરજીઓનો મળીને કુલ 263 અરજીઓનો નિકાલ કરવામાં આવ્‍યો હતો.
આ જ શ્રૃંખલા હેઠળ, ખેરગામ તાલુકાનો સ્‍વાગત કાર્યક્રમ પ્રાંત અધિકારીશ્રીડી.આઈ. પટેલના અધ્‍યક્ષસ્‍થાને ખેરગામ ખાતે યોજાયો હતો. આ સ્‍વાગત કાર્યક્રમમાં 165 ગ્રામ કક્ષાની અરજીઓ અને 12 તાલુકા કક્ષાની અરજીઓનો મળીને કુલ 177 અરજીઓનો નિકાલ કરવામાં આવ્‍યો હતો.
આ કાર્યક્રમોમાં પાણી પૂરવઠો, વીજળી, સિટી સર્વે, પોલીસ, મહેસૂલ, ત્‍ઘ્‍ઝલ્‍ વિગેરે વિભાગોને સંબંધિત અરજીઓનું નિરાકારણ લાવવામાં આવ્‍યું હતું.
જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, અરજદારો તથા સ્‍થાનિક લોકો આ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

થ્રીડી પ્રદેશ ભાજપ સચિવ જીજ્ઞેશભાઈ પટેલ અને ઘેલવાડના સરપંચ હિતાક્ષીબેન પટેલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસની આનંદ ઉત્‍સાહ સાથે નવતર રીતે કરેલી ઉજવણી

vartmanpravah

દાનહનાં યુવાનોને ‘અગ્નિવીર’ તરીકે જોડાઈને પોતાનું અને રાષ્ટ્રનું ભવિષ્‍ય ઉજ્જવળ બનાવવા ગુલાબ રોહિતની હાકલ

vartmanpravah

પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના પ્રમુખ શૌકતભાઈ મિઠાણીએ દમણ, દાનહ અને પોતાના વોર્ડ મિટનાવાડ ખાતે પણ ભવ્‍ય રીતે ઉજવેલી ડો.બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિ

vartmanpravah

ઉચ્‍ચત્તર માધ્‍યમિક ગુજરાત બોર્ડનું દાદરા નગર હવેલીનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 57.14 ટકા

vartmanpravah

76મા સ્‍વાતંત્ર્ય દિન નિમિત્તે દમણના સોમનાથ મહાદેવ મંદિરના શિવલીંગને તિરંગાની શોભાથી સજ્જ કરી આધ્‍યાત્‍મિકતાની સાથે જિ.પં.ના પૂર્વ અધ્‍યક્ષ હેમલતાબેન અને ઈશ્વરભાઈએ કરેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવમાં ‘પ્રધાનમંત્રી આવાસ’ યોજનાના લાભાર્થીઓને સોંપેલી ઘરની ચાવી

vartmanpravah

Leave a Comment