સાબરકાંઠાના યુવા નેતા સિદ્ધાર્થ પટેલ અને તેમની ટીમે પણહિંમતનગરના સરોલી અને કટી હનુમાન મંદિરે પૂજા-અર્ચના કરી સાધુ-સંતોનું કરેલું બહુમાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
હિંમતનગર, તા.23: રામભક્ત શ્રી નરેન્દ્રભાઈ મોદી લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવે અને ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એ માટે આજે હનુમાન જયંતિના પાવન અવસરે દેશના કરોડો ભાવિક ભક્તોએ દુઆ માંગી હતી.
સાબરકાંઠાના યુવા નેતા શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ અને તેમની ટીમે પણ આ કડીમાં આજે હિંમતનગરના સરોલી હનુમાન મંદિર અને કટી હનુમાન મંદિરે દર્શન કરી સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી અને સાધુ-સંતોનું બહુમાન કરી તેમને પ્રભુ શ્રી રામની પ્રતિમા પણ ભેટ આપી હતી. તમામ સાધુ-સંતોએ પણ શ્રી નરેન્દ્રભાઈ મોદીને ભવ્ય વિજય સાથે ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા માટેના હૃદયપૂર્વકના આશીર્વાદ આપ્યા હતા.