Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં જનરલ ઓબ્‍ઝર્વરની અધ્‍યક્ષતામાં ઈવીએમ મશીનનું બીજું રેન્‍ડમાઈઝેશન હાથ ધરવામાં આવ્‍યું

રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્‍થિતિમાં ઈવીએમ રેન્‍ડમાઈઝેશનની પ્રક્રિયા કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: લોકસભા સામાન્‍ય ચૂંટણી-2024નું મતદાન સમગ્ર ગુજરાત રાજ્‍યની સાથે વલસાડ જિલ્લામાં પણ ત્રીજા તબક્કામાં આગામી મે મહિનાની 7મી તારીખે યોજાનાર છે. ત્‍યારે સમગ્ર વલસાડ જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેના ભાગરૂપે જનરલ ઓબ્‍ઝર્વર તરણ પ્રકાશ સિંહા (આઈએએસ)ની અધ્‍યક્ષતામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓકની ઉપસ્‍થિતિમાં કલેક્‍ટર કચેરી ખાતે ઈવીએમ મશીનનું બીજું ઈલેક્‍ટ્રોનિક રેન્‍ડમાઈઝેશન હાથ ધરવામાં આવ્‍યું હતું. જેમાં જિલ્લાના રાજકીય પાર્ટીના પ્રતિનિધીઓએ ઈલેક્‍ટ્રોનિક રેન્‍ડમાઈઝેશનની પ્રક્રિયા પ્રત્‍યક્ષ નિહાળી હતી. અહીં ચાર વખત ઈવીએમ રેન્‍ડમાઈઝેશન કરી સમગ્ર પ્રક્રિયાને ફાઈનલાઈઝ કરવામાં આવી હતી.
બીજા ઈલેક્‍ટ્રોનિક રેન્‍ડમાઈઝેશનમાં ક્‍યા પોલિંગ બૂથ ખાતે કયા ઈવીએમ મશીનની ફાળવણી થશે એ અંતર્ગત રેન્‍ડમાઈઝેશન પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં પોલિંગ સ્‍ટેશન ખાતે બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વીવીપેટના સેટની કયા પોલિંગ બૂથ ખાતે ફાળવણી કરવામાંઆવશે તે અંગે રેન્‍ડમાઈઝેશનની પ્રક્રિયા કરવામાં આવી હતી.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહે રેન્‍ડમાઈઝેશન દરમિયાન જિલ્લાના દરેક વિધાનસભા મતવિસ્‍તારને તેના મતદાન મથકની સંખ્‍યાના 125% લેખે બેલટ યુનિટ, 125% લેખે કન્‍ટ્રોલ યુનિટ અને 135% લેખે વીવીપેટ ફાળવણી વિશે જણાવ્‍યું હતું. પોલિંગ બૂથોને રિઝર્વ્‍ડ યુનિટોની ફાળવણીને કારણે કોઈ મશીનોમાં કોઈ ખામી સર્જાય તો પણ વધારાના યુનિટો દ્વારા વોટિંગની પ્રક્રિયા ચાલતી રહેશે. કોઈપણ સંજોગોમાં વોટિંગની પ્રક્રિયામાં અવરોધ આવે નહિ તેની કાળજી રાખવામાં આવી છે.
રેન્‍ડમાઇઝેશનની પ્રક્રિયામાં કાયદો અને વ્‍યવસ્‍થા, બેલેટ અને ડમી બેલેટ પેપરના નોડલ-વ-નિવાસી અધિક કલેક્‍ટરશ્રી એ.આર. ઝા, ઈવીએમના નોડલ અધિકારી-વ-નાયબ નિયામક હોર્ટિકલ્‍ચર એન.એન.પટેલ, પ્રોબેશનરી આઈએએસ, ચૂંટણી સંબંધિત અધિકારી કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલી – ગણદેવી – ખેરગામ તાલુકામાં મેઘરાજાનું જોર વધ્‍યું લોકમાતાઓ બંન્ને કાંઠે વહેતી થઈ

vartmanpravah

નવરાત્રી મહોત્‍સવ સંદર્ભે દાનહ પોલીસ પ્રશાસનનું જાહેરનામું: નવરાત્રી પર્વમાં ફક્‍ત માઁ અંબાની જ આરાધના જ કરવામાં આવે, અશ્‍લીલ ગીતોનો ઉપયોગ નહીં કરવા સૂચન

vartmanpravah

દાનહ ખરડપાડામાં ત્રણ દિવસીય પ્રીમિયર લીગ ટૂર્નામેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૪૪૬૫૭૯ બાળકોને કૃમિનાશક દવા અપાઈ, ૯૭.૪ ટકા લક્ષ્યાંક સિધ્ધ

vartmanpravah

દપાડા ગ્રામ પંચાયતનું મુખ્‍ય લક્ષ્યઃ વિવિધ સરકારી યોજનાઓનો લાભ ગામના જરૂરિયાતમંદ લોકો સુધી સફળતાથી પહોંચાડવાનો

vartmanpravah

દાનહ જિલ્લા ન્યાયાલય ખાતે ૧૧ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન 

vartmanpravah

Leave a Comment