(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.30: પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ 28-એપ્રિલ રવિવારના રોજ બપોરના સમયે ગૌરક્ષક પ્રેમસિંગ ગાજીનાથ ગોસ્વામી (રહે.શનિદેવ મંદિર વલોટી તા.ગણદેવી) ની બાતમીના આધારે પીએસઆઈ એચ.એસ.પટેલ સહિતના સ્ટાફે માણેકપોર ગામના નવાનગરમાં અંજુનખાન કૈયુમખાન પઠાણના ઘરમાં ફ્રિજમાંથી સાડા છ કિલોગ્રામ જેટલું પશુમાસ ઝડપી પાડી તે અંગે પૂછપરછ કરતા ત્યાં હાજર અંજુમખાને ગલ્લા તલ્લા કરી ઉડાઉ જવાબ આપતા પોલીસે વેટરનિટી અને એફએસએલ મારફત ખાત્રી કરાવતા ઉપરોક્ત પશુમાસ ગૌવંશનું હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે પશુ સંરક્ષણ અધિનિયમની જોગવાઈ મુજબ અંજુમખાન કૈયુબખાન પઠાણ (રહે.માણેકપોર નવાનગર ઘર નં.104 તા.ચીખલી) સામે ગુનો નોંધી તેની અટક કરી મંગળવારના રોજ ચીખલી નામદાર કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.