June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના કલીયારીમાં મધરાત્રે શિરડીથી અમદાવાદ જતી લક્‍ઝબરી બસ અને આઈસર ટેમ્‍પો સામસામે ભટકાતા બંને ચાલકના મોત

અકસ્માતમાં 12 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.30: લકઝરી બસમાં સવાર 12-જેટલા મુસાફરોને ઈજા થતા સારવાર અર્થે ચીખલીની રેફરલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. રાત્રે એકાદ વાગ્‍યાના અરસામાં ધડાકાભેર વાહનો અથડાતા અને મુસાફરોની ચિચિયારીઓથી સ્‍થાનિકો ધસી આવી કેબિનમાં ફસાયેલાઓને જેસીબીની મદદથી બહાર કાઢયા હતા.
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ચાર્ટડ કંપની લકઝરી બસ નં.-એએસ-01-પી-6793શીરડી થી શ્રધ્‍ધાળુંઓને લઈને 29-એપ્રિલના રોજ સાંજે છ એક વાગ્‍યાના અરસામાં અમદાવાદ પરત જવા નીકળી હતી. આ દરમ્‍યાન ધરમપુર-ખારેલ માર્ગ ઉપર રાત્રે એકાદ વાગ્‍યાના અરસામાં કલીયારી ગામની સીમમાં સામેથી આવતો એક આઇસર ટેમ્‍પો નં.એમએચ-15-જીવી 6279 ના ચાલકે પુરપાટ ઝડપે ગફલત ભરી રીતે હંકારતા લકઝરી બસ સાથે ભટકાતા બસમાં સવાર મુસાફરોએ ચીસાચીસ કરી મુકતા સ્‍થાનિકો મોટી સંખ્‍યામાં ધસી ગયા હતા. અને બન્ને વાહનોના કેબીનો સહિત આગળના ભાગનો કચ્‍ચરઘાણ નીકળી જતા તેમાં ફસાયેલા ચાલક સહિતનાને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્‍યા હતા. જેમાં બસના ચાલક મોહમદ સોહેબ મોહમદ ઈંદ્રિશ કાપડિયા (ઉ.વ-48) (રહે.અફઝલ પાર્ક જહાંગીર બેકરી સામે સૈયદવાડી વટવા અમદાવાદ) ને ગંભીર ઇજા થતાં ઘટના સ્‍થળે જ મોત નીપજ્‍યું હતું. બસમાં સવાર 12-જેટલાને નાની મોટી ઈજાઓ થતા સારવાર અર્થે ચીખલીની સબ ડિસ્‍ટ્રિક્‍ટ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. જ્‍યારે ટેમ્‍પો ચાલક અશોક આત્‍મારામ ખરે (ઉ.વ-25) (રહે.મસરોળ ગામ તા.જી.નાસિક) ને વધુ સારવાર અર્થે વલસાડ સિવિલમાં ખસેડાતા જ્‍યાં સારવાર દરમ્‍યાન મંગળવારની બપોરના સમયે તેનું પણ મોત નીપજ્‍યું હતું.

Related posts

વાપી ગોવિંદા કોમ્‍પલેક્ષમાં એગ્રીકલ્‍ચર બનાવટી દવાઓનું નેટવર્ક ઝડપાયું : 11.23 લાખનો મુદ્દામાલ જપ્ત : નવજ્‍યોત એગ્રો એન્‍ડ કેમીકલ ટ્રેડર્સના સંચાલક નવ કિશોર દુબેની ધરપકડ

vartmanpravah

વલસાડના પારનેરા ડુંગર પર રાજ્‍ય કક્ષાની આરોહણ – અવરોહણ સ્‍પર્ધા સંદર્ભે પ્રાંત અધિકારી વિમલ પટેલના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી

vartmanpravah

શ્રાવણ માસમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં એક ધાગો ભયલાને બાંધી બહેન આપે દુનિયાની હરેક ખુશીના આશિર્વાદ

vartmanpravah

દમણ લાઈટ હાઉસ બીચ ઉપર ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા સંસ્‍કૃતિ મંત્રાલય દ્વારા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડમાં પ્રથમવાર પારનેરા ડુંગર પર રાજ્‍યકક્ષાની આરોહણ – અવરોહણ સ્‍પર્ધા યોજાઈ, 160 સ્‍પર્ધકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah

મેરી માટી મેરા અભિયાનની ઉજવણી વાપી કે.બી.એસ. કોલેજ દ્વારા કરવામાં આવી

vartmanpravah

Leave a Comment