September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા નાયબ માહિતી નિયામક તરીકે ભાવનાબેન વસાવાએ વિધિવત ચાર્જ સંભાળ્‍યો

ટીમ વર્ક દ્વારા રાજ્‍ય સરકારની યોજના અને કામગીરીનો લોકો સુધી પ્રચાર પ્રસાર કરવાનો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: રાજ્‍ય સરકારની માહિતી નિયામક કચેરી હસ્‍તક વિવિધ જિલ્લાઓમાં નાયબ માહિતી નિયામક વર્ગ – 1 તરીકે ફરજ બજાવતા અધિકારીઓની બદલીના હુકમ માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા કરવામાં આવ્‍યા છે. જેમાં વલસાડ જિલ્લા માહિતી કચેરીમાં નાયબ માહિતી નિયામક તરીકે ભરૂચથી ભાવનાબેન વસાવાની બદલી થતા તેઓએ તા.9 ઓગસ્‍ટ 2024ને શુક્રવારે વિધિવત ચાર્જ સંભાળી લીધો હતો.
વલસાડ જિલ્લા માહિતી કચેરીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા નાયબ માહિતી નિયામક ભાવનાબેન વસાવાનું પુષ્‍પગુચ્‍છ સાથે ઉષ્‍માભેર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે નાયબ માહિતી નિયામક વસાવાએ રાજ્‍ય સરકારની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓ અને કામગીરીનો પ્રચાર પ્રસાર છેવાડાના લોકો સુધી સુદઢ રીતે થઈ શકે અને ટીમ વર્કથી વલસાડ જિલ્લા માહિતી કચેરી દ્વારા શ્રેષ્ઠ કામગીરીકરવાનો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો. છેલ્લા બે વર્ષ અને બે મહિના સુધી વલસાડ જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકનો ચાર્જ સંભાળનાર નવસારીના સહાયક માહિતી નિયામક યજ્ઞેશભાઈ ગોસાઈએ સૌ સાથી કર્મચારીઓનો પરિચય કરાવી વલસાડ માહિતી કચેરી સાથે કામ કરવાના સંસ્‍મરણો વાગોળી સૌનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

નવસારી જિલ્લામાં રાહુલ ગાંધીની સભાને લઈને કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ચીખલી તાલુકાના ખૂડવેલ અને વાંસદાની લીધેલી મુલાકાત

vartmanpravah

વાપીમાં એલ.આઈ.સી. એજન્‍ટોએ વિવિધ માંગણી માટે આંદોલન સાથે એક દિવસની હડતાલ

vartmanpravah

વાપી, વલસાડ અને સેલવાસમાં બિલ્‍ડીંગ વ્‍યવસાયમાં અગ્રેસર ગણાતા પ્રમુખ ગ્રુપના ડાયરેક્‍ટર દેવશીભાઈ લક્ષ્મણભાઈ ભાટુનું જૂનાગઢ ખાતે આકસ્‍મિક નિધન

vartmanpravah

‘‘ભીડેવાડા બોલલા” – ભારતની પ્રથમ મહિલા સ્‍કૂલ સેલવાસના કવિ આનંદ ઢાલેને આંતરરાષ્‍ટ્રીય કાવ્‍યલેખન સ્‍પર્ધામાં મળેલું ઉત્‍સાહવર્ધક પારિતોષિક

vartmanpravah

પાર-તાપી-નર્મદા રિવરલિંક યોજનાનો વિરોધ: વલસાડ જિલ્લાના કપરાડા ખાતે હજારો આદિવાસી સમાજના લોકો એકત્ર થયા: 25 માર્ચે વિધાનસભાનો ઘેરાવ કરવાની જાહેરાત

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દાનહના સુરંગી વિસ્‍તારમાં અલગ અલગ બેઠકો યોજાઈ

vartmanpravah

Leave a Comment