February 5, 2025
Vartman Pravah
Breaking Newsદીવ

દીવમાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને કોવિડ-19 રસીકરણની કરાયેલી શરૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.03
આજે સમગ્ર ભારત પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના આદેશ અનુસાર 15 થી 18 વર્ષના બાળકોને કોરોના રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી. આજે દીવ જિલ્લામાં પણ આરોગ્‍ય વિભાગ દ્વારા 9 થી 12 ધોરણમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને સૂર્યોદય સાથે કોવેક્‍સીન કોરોના રસીકરણ અભિયાન દીવ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ચલાવવામાં આવ્‍યુ. દીવ વણાકબારા, ઘોઘલા, બુચરવાડામાં આજે કોરોના રસીકરણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્‍યું, ત્રણ દિવસ દરમિયાન 9 થી 12 ધોરણ, કોલેજ, આઈ.ટી.આઈ તથા ટી.ટી.આઈના 3,221 જેટલા વિદ્યાર્થીઓને દીવમાં કોરોના રસીકરણ આપવામાં આવશે. હાલ તો દીવમાં કોરોના ના એક પણ કોરોના ના કેસ એક્‍ટીવ નથી, પરંતુ દીવમાં ત્રીજી લહેરનુ આગમન ના થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેથી આજે વિદ્યાર્થીઓને પણ કોવેક્‍સીન આપી, જેથી સુરક્ષિત રહે અને અભ્‍યાસમાં ધ્‍યાન આપી શકાય. આજે વિદ્યાર્થીઓએ કોરોના વેકસીન લેવા ઉત્‍સાહનો માહોલ જોવા મળ્‍યો હતો, અનેપ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી તથા દીવ પ્રશાસનનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વલસાડ હાઈવે ઉપર ખાડામાં પટકાયેલ આર્મી અધિકારીઓની કાર સાથે ડમ્‍પર ભટકાતા અકસ્‍માત

vartmanpravah

દાનહ અને દમણ-દીવ ખેલ અને યુવા વિભાગ દ્વારા સ્‍ટેડીયમ ખાતે ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah

વાપી ભડકમોરામાં એટીએમમાં બેલેન્‍સ તપાસવા ગયેલી મહિલાના ખાતામાંથી અચાનક 40 હજાર ઉપડી ગયા

vartmanpravah

વાંસદા તાલુકાના સરા અને ખંભાલિયા ગામના નીચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાતા 13 લોકોને સ્‍થળાંતરિત કરાયા

vartmanpravah

વલસાડના ઉમરગામના ખેડૂતની નવી પહેલ, પ્રાકૃતિક ખેતીનો વ્‍યાપ વિસ્‍તરે તે માટે ખેડૂતોને નિઃશૂલ્‍ક જીવામૃતનું વિતરણ કર્યું

vartmanpravah

દાનહ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી અપૂર્વ શર્માના માર્ગદર્શનમાં દપાડા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment