September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં દારૂડિયા પતિએ અડધી રાતે પત્‍નીને ઘરમાંથી કાઢી મૂકતા 181 અભયમની ટીમે પતિને પાઠ ભણાવ્‍યા

પતિને કાયદાનું ભાન કરાવી પોલીસ ફરિયાદ દાખલ થશે એમ કહેતા જ પતિની શાન ઠેકાણે આવી ગઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના નજીકના ગામમાં રહેતી 39 વર્ષીય મનિષા પટેલ(નામ બદલ્‍યું છે)એ 181 અભયમ મહિલા હેલપલાઈન ઉપર તા.24 જૂનને રાત્રિના 1:26 કલાકે ફોન કરી જણાવ્‍યું હતું કે, દારૂડિયા પતિએ મારઝૂડ કરી ઘરમાંથી બહાર કાઢી મુકી છે. જેથી વલસાડ 181 અભયમ મહિલા હેલ્‍પલાઈનની ટીમ તાત્‍કાલિક બનાવના સ્‍થળે પહોંચી ગઈ હતી. ત્‍યાં જઈ પૂછપરછ કરતા જાણવા મળ્‍યું કે,મનિષાબેનના પ્રેમલગ્ન થયા હતા. આ લગ્ન સંબંધથી તેઓને એક દીકરો છે જે હાલમાં ધો.10માં અભ્‍યાસ કરે છે. તેનાથી નાની દીકરી પણ અભ્‍યાસ કરે છે. મનિષાબેન પોતે કંપનીમાં વર્કર તરીકે કામ કરે છે. જ્‍યારે પતિ રાજેશ પટેલ (નામ બદલ્‍યું છે) વોચમેનની નોકરી કરે છે. જે વ્‍યસની હોવાથી કારણો વગર નાની મોટી બાબતે ઝગડો કરી શારીરિક માનસિક ત્રાસ આપી ગાળો બોલી પત્‍નીને જાહેરમાં અપમાનિત કરતો હતો. રાત્રિના સમયે નશાની હાલતમાં ઝગડો કરી અડધી રાતે પત્‍ની મનિષાને ઘરમાંથી બહાર કાઢી મુકી હતી. આ બાબતે 181 અભયમની ટીમે કાઉન્‍સેલિંગ કરી પતિ રાજેશને તેની ભૂલનું ભાન કરાવી કાયદાકીય ચિમકી આપી મનિષાબેનને પોલીસ ફરિયાદ કરવા માટે જણાવતા પતિએ હવે પછી સુધરી જઈ કોઈને પણ હેરાન ન કરે તેવી ખાતરી આપતા મનિષાબેને ફરિયાદ માટે ના પાડતા સહમતિથી સુખદ સમાધાન થયું હતું. તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી ન્‍યાય અપાવવા બદલ મનિષાબેને અભયમની ટીમનો આભાર માન્‍યો હતો.

Related posts

કેન્‍દ્રના ગૃહ મંત્રાલયનો આદેશ  સંઘપ્રદેશના ડીઆઈજી મિલિંદ મહાદેવ દુમ્‍બરેની આઈ.જી. તરીકે બઢતીઃ એસ.પી. અમિત શર્મા અને આર.પી.મીણાને ડીઆઈજીપી પદ ઉપર પ્રમોશન

vartmanpravah

વાંસદા તાલુકામાંથી પસાર થતાં વાપી-શામળાજી રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ-56 ઉપર સ્‍લેબ ડ્રેઈન તૂટી જતા હાઈવે બંધ કરાયો

vartmanpravah

વાપી ચાણસ્‍માની નવી બસ ફાળવણી કરાઈ : ધારાસભ્‍ય પાટકરે લીલીઝંડી બતાવી

vartmanpravah

વાપી સ્‍ટેશને માથા ફરેલ બેખોફ રીક્ષા ચાલકે મહિલાને બિભત્‍સ ભાષા બોલી શરમજનક વર્તન કર્યું: રીક્ષા ચાલક હવાલાતમાં

vartmanpravah

ઉમરગામ પાલિકા બાંધકામ સમિતિના અધ્‍યક્ષ અંકુશ કામળી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિન નિમિત્તે કરવામાં આવેલી જનહિત કામગીરી

vartmanpravah

ભામટી માહ્યાવંશી નાઈટ ટૂર્નામેન્‍ટનો દબદબાભેર આરંભ

vartmanpravah

Leave a Comment