40 કિલો વોટની સોલાર સિસ્ટમથી રૂા.3.20 લાખનાવિજબીલની રાહત થશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02: વાપી જીઆઈડીસી સ્થિત સેન્ટર ઓફ એક્સીલન્સમાં ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે સોલાર સિસ્ટમ લોકાર્પણ કરાઈ હતી.
સોલાર પેનલનું ઉદ્દઘાટન કરતા ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આ સોલાર પેનલ 40 કિલો વોટની હોવાથી વાર્ષિક રૂા.3.20 લાખના વિજળી બીલની રાહત થશે. વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની પણ પહેલ હતી કે સોલાર સિસ્ટમ સેન્ટ્રલ એક્સલન્સમાં કાર્યરત થાય. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સૌર ઊર્જા ક્ષેત્રે આગળ વધી રહ્યું છે તે અંતર્ગત વાપીમાં પણ આ સિસ્ટમ કાર્યરત થઈ છે. સોલાર ઊર્જા અંગે મળતી સબસીડી બંધ કરાઈ છે તેવી પૃચ્છામાં તેમણે જણાવ્યું હતું કે, ટૂંકમાં પોલીસી આવી રહી છે જેની જાહેરાત કરવામાં આવશે. સૌરાષ્ટ્રનું દ્વારકા પણ સોલાર સંચાલિત તિર્થધામ બનશે. આ પ્રસંગે વિ.આઈ.એ. પ્રમુખ કમલેશ પટેલ, સતિષભાઈ પટેલ અને ટીમ વિ.આઈ.એ. ઉપસ્થિત રહી હતી.