Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સેન્‍ટર ઓફ એક્‍સીલન્‍સમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે સોલાર સિસ્‍ટમનું લોકાર્પણ

40 કિલો વોટની સોલાર સિસ્‍ટમથી રૂા.3.20 લાખનાવિજબીલની રાહત થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વાપી જીઆઈડીસી સ્‍થિત સેન્‍ટર ઓફ એક્‍સીલન્‍સમાં ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે સોલાર સિસ્‍ટમ લોકાર્પણ કરાઈ હતી.
સોલાર પેનલનું ઉદ્દઘાટન કરતા ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું કે, આ સોલાર પેનલ 40 કિલો વોટની હોવાથી વાર્ષિક રૂા.3.20 લાખના વિજળી બીલની રાહત થશે. વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની પણ પહેલ હતી કે સોલાર સિસ્‍ટમ સેન્‍ટ્રલ એક્‍સલન્‍સમાં કાર્યરત થાય. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સૌર ઊર્જા ક્ષેત્રે આગળ વધી રહ્યું છે તે અંતર્ગત વાપીમાં પણ આ સિસ્‍ટમ કાર્યરત થઈ છે. સોલાર ઊર્જા અંગે મળતી સબસીડી બંધ કરાઈ છે તેવી પૃચ્‍છામાં તેમણે જણાવ્‍યું હતું કે, ટૂંકમાં પોલીસી આવી રહી છે જેની જાહેરાત કરવામાં આવશે. સૌરાષ્‍ટ્રનું દ્વારકા પણ સોલાર સંચાલિત તિર્થધામ બનશે. આ પ્રસંગે વિ.આઈ.એ. પ્રમુખ કમલેશ પટેલ, સતિષભાઈ પટેલ અને ટીમ વિ.આઈ.એ. ઉપસ્‍થિત રહી હતી.

Related posts

દીવ જિલ્લાના વિદ્યાર્થીઓ યુટી લેવલે કલા ઉત્‍સવ 2024-25 માં ભાગ લેવા સેલવાસ જવા રવાના

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા અથાલ અને નરોલીમાં ગેરકાયદે બાંધકામો દુર કરાયા

vartmanpravah

દાનહઃ દપાડા પટેલાદમાં યોજાયેલા ‘પ્રશાસન આપકે દ્વાર’ કાર્યક્રમમાં કુલ 1621 અરજીઓમાંથી 458 લાભાર્થીઓને પુરી પાડવામાં આવેલી સેવા

vartmanpravah

અધ્‍યક્ષ સત્‍યેન્‍દ્ર કુમાર અને પૂર્વ અધ્‍યક્ષ આર.કે.કુંદનાનીના નેતૃત્‍વમાં દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ની નવી ટીમે તાજેતરમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશમાં કેવડા ત્રીજ વ્રત નિમિત્તે મહિલાઓએ પૂજા-અર્ચના કરી

vartmanpravah

આંટિયાવાડ ગ્રા.પં.ના સરપંચની પેટા ચૂંટણી માટે ઉર્વશીબેન પટેલે નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

Leave a Comment