April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સેન્‍ટર ઓફ એક્‍સીલન્‍સમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે સોલાર સિસ્‍ટમનું લોકાર્પણ

40 કિલો વોટની સોલાર સિસ્‍ટમથી રૂા.3.20 લાખનાવિજબીલની રાહત થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વાપી જીઆઈડીસી સ્‍થિત સેન્‍ટર ઓફ એક્‍સીલન્‍સમાં ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે સોલાર સિસ્‍ટમ લોકાર્પણ કરાઈ હતી.
સોલાર પેનલનું ઉદ્દઘાટન કરતા ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું કે, આ સોલાર પેનલ 40 કિલો વોટની હોવાથી વાર્ષિક રૂા.3.20 લાખના વિજળી બીલની રાહત થશે. વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની પણ પહેલ હતી કે સોલાર સિસ્‍ટમ સેન્‍ટ્રલ એક્‍સલન્‍સમાં કાર્યરત થાય. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સૌર ઊર્જા ક્ષેત્રે આગળ વધી રહ્યું છે તે અંતર્ગત વાપીમાં પણ આ સિસ્‍ટમ કાર્યરત થઈ છે. સોલાર ઊર્જા અંગે મળતી સબસીડી બંધ કરાઈ છે તેવી પૃચ્‍છામાં તેમણે જણાવ્‍યું હતું કે, ટૂંકમાં પોલીસી આવી રહી છે જેની જાહેરાત કરવામાં આવશે. સૌરાષ્‍ટ્રનું દ્વારકા પણ સોલાર સંચાલિત તિર્થધામ બનશે. આ પ્રસંગે વિ.આઈ.એ. પ્રમુખ કમલેશ પટેલ, સતિષભાઈ પટેલ અને ટીમ વિ.આઈ.એ. ઉપસ્‍થિત રહી હતી.

Related posts

દાનહમાં ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ યોગાસન હરીફાઈ બાદ પુરસ્‍કાર વિતરણ કરાયા

vartmanpravah

ચંદ્રપૂર ખાતેથી ચોરાયેલ હાઈવા ટ્રકનો વોન્‍ટેડ ચોરને વાપીથી ઝડપતી એલસીબી પોલીસ

vartmanpravah

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની સફળતાની પ્રશંસા કરી

vartmanpravah

મરલા-ગામથાણા ખાતે તા.૧ થી ૭ મી એપ્રિલ શ્રીમદ ભાગવત કથા યોજાશે

vartmanpravah

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણની જન્‍મ જયંતિ ઉજવાઈ

vartmanpravah

આદિવાસી વિસ્‍તારનું નામ ગુંજતુ કરતી કપરાડાની શબરી છાત્રાલય, છેલ્લા 30 વર્ષમાં 3500 દિકરીઓ મફત શિક્ષણ મેળવી સફળતાના શિખરે પહોંચી

vartmanpravah

Leave a Comment