October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી અંબામાતા મંદિર પરિસરમાં ચાલી રહેલી ભાગવત કથામાં કૃષ્‍ણ જન્‍મોત્‍સવની કરાયેલી ભવ્‍ય ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વાપી જીઆઈડીસી સ્‍થિત અંબામાતા મંદિરમાં પિતૃ મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. બ્રાહ્મણ સેવા સમિતિ વાપી દ્વારા આયોજીત ભાગવત કથામાં સેંકડો ભાવિકો શ્રધ્‍ધાપૂર્વક કથા સાંભળવા રોજેરોજ આવી રહ્યા છે.
વાપી અંબામાતા મંદિરમાં તા.14મીથી ચાલી રહેલ ભાગવત કથામાં આજે કૃષ્‍ણ જન્‍મોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. કથામાં રોજેરોજ નવા વ્‍યાખ્‍યાન મહોત્‍સવ ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યા છે. આગામી તા.20 નવેમ્‍બર સુધી ચાલી રહેલી ભાગવત કથાનો સમય બપોરે 3 કલાકથી સાંજે 7:30 કલાક સુધીનો. કથાની વ્‍યાસપીઠ ઉપર જાણીતા ભાગવત કથાકાર રવિ મહારાજ કથાનું ભક્‍તિ અને સંગીત સાથે રસ પાન કરાવી રહ્યા છે. મોક્ષાર્થે ખાસ ભાગવત કથાનું આયોજન કરાયું છે. શિવકુમાર પાંડે, અવધેશ પાંડે સહિતના બ્રાહ્મણ સેવા સમિતિના અગ્રણીઓ કથામાં તન મન ધનથી સેવા આપી રહ્યા છે.

Related posts

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા સ્‍તરીય શાળા બેન્‍ડ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપીને વધુ એક ટ્રેન સ્‍ટોપેજ મળ્‍યું : ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેન વાપીમાં થોભશે

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત”જિલ્લાકક્ષા રંગોળી સ્પર્ધા ૨૦૨૧-૨૨”માં ભાગ લેવા બાબત

vartmanpravah

ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગરણ અભિયાન અંતર્ગત પદયાત્રા યોજાઈ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં આટિયાવાડ પંચાયતમાં યોજાયો જીએસટી કેમ્‍પ

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશનથી અયોધ્‍યા જવા માટે દમણના યાત્રીઓ સાથે આસ્‍થા સ્‍પેશિયલ ટ્રેન રવાના

vartmanpravah

Leave a Comment