January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી અંબામાતા મંદિર પરિસરમાં ચાલી રહેલી ભાગવત કથામાં કૃષ્‍ણ જન્‍મોત્‍સવની કરાયેલી ભવ્‍ય ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વાપી જીઆઈડીસી સ્‍થિત અંબામાતા મંદિરમાં પિતૃ મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. બ્રાહ્મણ સેવા સમિતિ વાપી દ્વારા આયોજીત ભાગવત કથામાં સેંકડો ભાવિકો શ્રધ્‍ધાપૂર્વક કથા સાંભળવા રોજેરોજ આવી રહ્યા છે.
વાપી અંબામાતા મંદિરમાં તા.14મીથી ચાલી રહેલ ભાગવત કથામાં આજે કૃષ્‍ણ જન્‍મોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. કથામાં રોજેરોજ નવા વ્‍યાખ્‍યાન મહોત્‍સવ ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યા છે. આગામી તા.20 નવેમ્‍બર સુધી ચાલી રહેલી ભાગવત કથાનો સમય બપોરે 3 કલાકથી સાંજે 7:30 કલાક સુધીનો. કથાની વ્‍યાસપીઠ ઉપર જાણીતા ભાગવત કથાકાર રવિ મહારાજ કથાનું ભક્‍તિ અને સંગીત સાથે રસ પાન કરાવી રહ્યા છે. મોક્ષાર્થે ખાસ ભાગવત કથાનું આયોજન કરાયું છે. શિવકુમાર પાંડે, અવધેશ પાંડે સહિતના બ્રાહ્મણ સેવા સમિતિના અગ્રણીઓ કથામાં તન મન ધનથી સેવા આપી રહ્યા છે.

Related posts

“આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસ”ની સિદ્ધિ દાનહ અને દમણ-દીવના 30 કરતા વધુ આદિવાસી વિદ્યાર્થીઓ આ વર્ષે M.B.B.S. ડૉક્‍ટર બની ચુક્‍યા છે

vartmanpravah

મહા શિવરાત્રીના પર્વ નિમિત્તે યોજાયો શિવ સિન્‍ધુ મહોત્‍સવ

vartmanpravah

વરસાદે વિરામ લેતા નવરાત્રી આયોજકો અને ખેલૈયાઓનો ઉત્‍સાહ વધ્‍યો: ચીખલીમાં નવરાત્રી આયોજકોએ ગ્રાઉન્‍ડને આપ્‍યો આખરી ઓપ

vartmanpravah

મોટી દમણ લાઈટ હાઉસ નજીક દમણના કલેક્‍ટર સૌરભ મિશ્રાએ લહેરાવેલો તિરંગો

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકર ઉપર સંસદને પોતાના અને પરિવારના અંગત સ્‍વાર્થ માટે ગુમરાહ કરવાનો પ્રદેશ ભાજપે લગાવેલો ગંભીર આરોપ

vartmanpravah

બલીઠા ચેકપોસ્‍ટથી પ્‍લાસ્‍ટીકની આડમાં રૂા.5.96લાખનો દારૂનો જથ્‍થો ભરેલો ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

Leave a Comment