Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘સ્‍મૃતિ દિવસ’ નિમિતે દાનહ-દમણ-દીવ પોલીસ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરી શહિદોને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પોલીસ દ્વારા શનિવારે સાયલી પોલીસ તાલીમ કેન્‍દ્ર ખાતે દેશમાં કર્તવ્‍યનું નિર્વાહન કરતા એમના પ્રાણોની આહુતિ આપનાર પોલીસના અમર શહીદોને દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘‘64મા પોલીસ સ્‍મૃતિ દિવસ”ના અવસર પર શહીદ સ્‍મારક પર શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. દાનહ પોલીસ તાલીમ કેન્‍દ્ર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પોલીસ ટુકડી દ્વારા શહીદોના સન્‍માનમાં ગાર્ડ ઓફ ઓનરની સલામી આપી હતી. આ પ્રસંગે દાનહ અને દમણ-દીવના ડી.આઈ.જી. શ્રી મિલિન્‍દ મહાદેવ દુમ્‍બેરે સહીત અન્‍ય પોલીસ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ અવસરે પુષ્‍પચક્ર અર્પિત કર્યા બાદ દરેક અધિકારી શહીદ સ્‍મારક સામે ઉભા રહી પોલીસ બેન્‍ડ દ્વારા શ્રદ્ધાંજલિ આપવા માટે લાસ્‍ટ પોસ્‍ટની ધૂન વગાડવામાં આવી હતી, ત્‍યારબાદ દરેક પોલીસ અધિકારીઓ તથા જવાનોએ શહીદોની યાદમાં બે મીનિટનું મૌન રાખ્‍યું હતું. બાદમાં દરેક પોલીસ અધિકારી દ્વારા શહીદ સ્‍મારક પર પુષ્‍પાંજલિ અર્પિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ્‍ય 21મી ઓક્‍ટોબર, 1959માં ભારતીય પોલીસ દળની એક ટીમ લદાખવિસ્‍તારમાં માતૃભૂમિની રક્ષા કાજે તૈનાત હતી. એક પહાડી પર છુપાયેલ ચીની સૈનિકોની મોટી ટુકડીએ એમના પર અચાનક આક્રમણ કરી દીધું હતું. જેમાં આપણાં દેશના પોલીસ દળના 10 જવાનો સામે લડતાં વીરગતિને પ્રાપ્ત થયા હતા. ત્‍યારથી દર વર્ષે શહીદોની યાદમાં અને સાથે દેશની સેવામાં પ્રાણ ન્‍યોચ્‍છાવર કરનારા દરેક પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં દાનહ, દમણ અને દીવના ઇન્‍ચાર્જ આઈ.જી. શ્રી મિલિન્‍દ મહાદેવ દુમ્‍બેરે, દાનહ એસ.પી. શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણા, એસ.ડી.પી.ઓ. શ્રી સિદ્ધાર્થ જૈન, અન્‍ય આઈ.પી.એસ. અધિકારીઓ, પી.આઈ. તેમજ દમણ પોલીસ અને સેલવાસ ફાયર વિભાગના અધિકારી તેમજ પોલીસ વિભાગના અધિકારી અને કર્મચારી ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પિતાએ ઠપકો આપતા ઘર છોડી ગયેલી વલસાડની યુવતીને અભયમની ટીમે પરત માતા પિતાને સોંપી

vartmanpravah

દીવ ખાતે G-20 સમિતિના પ્રતિનિધિઓનું ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

સરપંચ હિતાક્ષીબેન પટેલના અધ્‍યક્ષસ્‍થાને ઘેલવાડ ગ્રામપંચાયતની ‘સબકી યોજના, સબકા વિકાસ’ જીપીડીપી અંતર્ગત મળેલી ગ્રામસભા

vartmanpravah

દાનહઃ શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સ અને હવેલી ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ દ્વારા સ્‍પેક્‍ટ્રમ 2021-22 કાર્યક્રમનું ભવ્‍ય આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગુમ/અપહરણ થયેલા 79 બાળકો/વ્‍યક્‍તિઓને બે માસમાં પોલીસે શોધી કાઢયા

vartmanpravah

ડૉ. મનસુખ માંડવિયા 5-7 મે, 2022, ગુજરાતના કેવડિયા ખાતે ત્રણ દિવસીય “સ્વસ્થ ચિંતન શિબિર” ની અધ્યક્ષતા કરશે: રાજ્યના આરોગ્ય અને તબીબી શિક્ષણ મંત્રીઓ ભાગ લેશે

vartmanpravah

Leave a Comment