પ્રદેશના ૭૦૩૩૯ લોકોઍ આ યોજનાનો લીધેલો લાભઃ ડો. વી.કે.દાસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૧૯
આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ભારત સરકારની ઍક યોજના છે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વમાં સંઘપ્રદેશમાં સફળતાપૂર્વક વર્ષ ૨૦૧૮માં આ યોજના લાગુ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ આર્થિક રીતે નબળા લોકોને પ લાખ સુધી કેશલેસ આરોગ્ય સવિધા આપવાનો છે. આ યોજના લાગુ થયા બાદ ગરીબ અને આર્થિક રીતે નબળા લોકો હોસ્પિટલમાં દાખલ થતાં થનારા નાણાંકીય બોજ અોછો થઈ ગયો છ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઅોના લાભ મળી રહ્ના છે. આ યોજનામાં નવીનતમ સામાજિક-આર્થિક જાતિ જનગણના-ર૦૧૧ના હેઠળ ગરીબ, વંચિત ગ્રામીણ પરિવાર, પ્રદેશના જે પરિવારોની વાર્ષિક આવક ૧.પ લાખથી ઓછી છે તેવા પરિવાર મકાન અને અન્ય બાંધકામ કામદારોની મફત નોંધણી કરવામાં આવી છે. તે જ સમયે, જે પરિવારોની વાર્ષિક આવક ૧.૫ લાખથી વધુ છે, તે પરિવારો પ્રીમિયમની રકમ જાતે ભરીને આ યોજના સાથે જોડાયેલા છે. ૨૩મી સપ્ટેમ્બર ૨૦૨૧ નારોજ, આ યોજનાના ૩ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્ના છે.
આ અવસરે પ્રદેશમાં આયુષ્માન ભારત દિવસની ઉજવણી કરવામાં આવશે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ૫૭૫૦૫ પરિવારોની નોંધણી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં
૩ વર્ષમાં કુલ ૭૦૩૩૯ લોકોઍ આ યોજનાનો લાભ લીધો છે, જેમાં કુલ ૪૬ કરોડ રૂપિયાનો લાભ લેવામાં આવ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા, ડાયરેક્ટર, મેડિકલ ઍન્ડ હેલ્થ, દાદરા નગર હવેલી અને દમણ દીવે જણાવ્યું હતું કે, આ ઍક ખૂબ સારી યોજના છે. ત્રણ વર્ષમાં અત્યાર સુધીમાં, ઘણા લોકોઍ આ યોજનાનો લાભ લીધો છે અને તેમના જટિલ રોગોની સારવાર કરી છે. આ યોજના દ્વારા રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૨૬૫ લોકોને હૃદયરોગ, ૧૪૨૮ કેન્સર, ૩૫૭૪ સર્જરી, ૧૪૪ ન્યુરો સર્જરી મફતમાં મળી છે.