December 1, 2025
Vartman Pravah
સેલવાસ

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ૨૩મી સપ્ટે.ના રોજ સંઘપ્રદેશમાં થનારા ૩ વર્ષ પૂર્ણ

પ્રદેશના ૭૦૩૩૯ લોકોઍ આ યોજનાનો લીધેલો લાભઃ ડો. વી.કે.દાસ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૧૯
આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ભારત સરકારની ઍક યોજના છે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વમાં સંઘપ્રદેશમાં સફળતાપૂર્વક વર્ષ ૨૦૧૮માં આ યોજના લાગુ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ આર્થિક રીતે નબળા લોકોને પ લાખ સુધી કેશલેસ આરોગ્ય સવિધા આપવાનો છે. આ યોજના લાગુ થયા બાદ ગરીબ અને આર્થિક રીતે નબળા લોકો હોસ્પિટલમાં દાખલ થતાં થનારા નાણાંકીય બોજ અોછો થઈ ગયો છ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઅોના લાભ મળી રહ્ના છે. આ યોજનામાં નવીનતમ સામાજિક-આર્થિક જાતિ જનગણના-ર૦૧૧ના હેઠળ ગરીબ, વંચિત ગ્રામીણ પરિવાર, પ્રદેશના જે પરિવારોની વાર્ષિક આવક ૧.પ લાખથી ઓછી છે તેવા પરિવાર મકાન અને અન્ય બાંધકામ કામદારોની મફત નોંધણી કરવામાં આવી છે. તે જ સમયે, જે પરિવારોની વાર્ષિક આવક ૧.૫ લાખથી વધુ છે, તે પરિવારો પ્રીમિયમની રકમ જાતે ભરીને આ યોજના સાથે જોડાયેલા છે. ૨૩મી સપ્ટેમ્બર ૨૦૨૧ નારોજ, આ યોજનાના ૩ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્ના છે.
આ અવસરે પ્રદેશમાં આયુષ્માન ભારત દિવસની ઉજવણી કરવામાં આવશે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ૫૭૫૦૫ પરિવારોની નોંધણી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં

૩ વર્ષમાં કુલ ૭૦૩૩૯ લોકોઍ આ યોજનાનો લાભ લીધો છે, જેમાં કુલ ૪૬ કરોડ રૂપિયાનો લાભ લેવામાં આવ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા, ડાયરેક્ટર, મેડિકલ ઍન્ડ હેલ્થ, દાદરા નગર હવેલી અને દમણ દીવે જણાવ્યું હતું કે, આ ઍક ખૂબ સારી યોજના છે. ત્રણ વર્ષમાં અત્યાર સુધીમાં, ઘણા લોકોઍ આ યોજનાનો લાભ લીધો છે અને તેમના જટિલ રોગોની સારવાર કરી છે. આ યોજના દ્વારા રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૨૬૫ લોકોને હૃદયરોગ, ૧૪૨૮ કેન્સર, ૩૫૭૪ સર્જરી, ૧૪૪ ન્યુરો સર્જરી મફતમાં મળી છે.

Related posts

પોર્ટુગીઝ સલ્‍તનતના સમયે 75 વર્ષ પહેલાં સ્‍થાપાયેલ દમણની સાર્વજનિક વિદ્યાલય ખાતે યોજાયેલ નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

vartmanpravah

ભાજપ દ્વારા આયોજીત ‘સંવિધાન ગૌરવ અભિયાન’ અંતર્ગત આયોજીત કાર્યક્રમમાં આજે સેલવાસના આંબેડકર નગર ખાતે રાજ્યસભાના સાંસદ અને યુ.પી. સરકારના પૂર્વ ડી.જી.પી. બ્રીજ લાલ માર્ગદર્શન આપશે

vartmanpravah

શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સ દ્વારા હવેલી ગ્રાઉન્‍ડ, સેલવાસ ખાતે ‘મુંબઈ યુનિવર્સિટી ઝોન – II ઈન્‍ટરકોલેજ હેન્‍ડબોલ ટુર્નામેન્‍ટ’ યોજાઈ

vartmanpravah

લંડન ખાતે આયોજીત વર્લ્‍ડ ટ્રાવેલ માર્કેટમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો વાગેલો ડંકો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ શ્રેષ્‍ઠ ‘થ્રીડી’ના મિશન માટે મક્કમઃ મરવડ હોસ્‍પિટલના મહત્‍વાકાંક્ષી નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ટ્‍વીટ કરી ભારતીય સશસ્ત્ર દળના જનરલ બિપીન રાવતના અકાળે થયેલા અવસાનની વ્‍યક્‍ત કરેલી દુઃખની લાગણી

vartmanpravah

Leave a Comment