March 4, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરાની શ્રીમતી એમ.જી. લુણાવત શાળામાં કુપોષણ નિવારણ સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : દાદરા નગર હવેલીના દાદરા ગામની શ્રીમતી એમ.જી.લુણાવત શાળામાં નાગરિક કાઉન્‍સિલ ફોર ચાઈલ્‍ડ વેલ્‍ફેર સેલવાસના સંયુક્‍ત ઉપક્રમે કુપોષણ નિવારણ કરવા માટે અને સંતુલિત ભોજન લેવા માટે આકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્‍વાગત ગીત પ્રસ્‍તુત કર્યું હતું. ત્‍યારબાદ ઇન્‍ડિયન કાઉન્‍સિલ કોચ ચાઈલ્‍ડ વેલ્‍ફેરના સેક્રેટરી શ્રી એમ.વી.પરમારે કુપોષણ નિવારણ કરવા માટે જરૂરી પોષક તત્‍વ જેવા કે પ્રોટીન, કેલેરી, વિટામીન એ, લોહતત્‍વ, આયોડીન જેવા મિનરલ્‍સ, વિટામિન પોષક તત્‍વ અંગે વિસ્‍તૃત જાણકારી આપી હતી અને યોગ્‍ય આહાર સંતુલિત ભોજન અને સસ્‍તા અને સરળ આહાર અંગે જાણકારી આપીહતી. બાદમાં શાળાના બાળકો માટે સંતુલિત આહાર અંગે સ્‍પર્ધા રાખવામાં આવી હતી. જેમાં સિનિયર મેનેજર શ્રી પુરસોત્તમ શાહુ, પ્રોડક્‍શન ઈજનેર શ્રી હિમાંશુ પટેલ , જીઆર શ્રી નિમેશ, કલાવતી મેનેજર શ્રી કન્‍હૈયાલાલ પરમાર, જનરલ મેનેજર શ્રી બામ્‍બે રજનીશ ઠાકુર તથા કોમર્શિયલ મેનેજર દ્વારા વિજેતા બાળકોને પુરસ્‍કાર આપવામાં આવ્‍યા હતા અને શાળાના દરેક બાળકને પૌષ્ટિક ફુડ પેકેટ આપવામાં આવ્‍યા હતા.
શ્રીમતી કલ્‍પના ભટ્ટે દરેક આમંત્રિતોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. આ અવસરે શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપીમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. 156 કરોડના ખર્ચે વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત, લોકાપર્ણ અને ભૂમિપૂજન કરાયું

vartmanpravah

વાપી છીરી જ્ઞાનગંગા સ્‍કૂલમાં તુલસી પૂજન કાર્યક્રમ યોજાયો: 1000 ઉપરાંત વિદ્યાર્થીઓએ આસ્‍થા સાથે તુલસી પૂજન કર્યું

vartmanpravah

હર ઘર તિરંગાની પ્રેરણા લઈ હર ઘર રક્‍તદાતાના અભિયાન માટે ભારત ભ્રમણ નિકળેલા સાયકલયાત્રીનું વાપીમાં સન્‍માન

vartmanpravah

વલસાડ ગુંદલાવ ગ્રામ પંચાયત ખાતે રક્‍તદાન શિબિરમાં 111 રક્‍તબેગ એકત્ર કરાઈ

vartmanpravah

મજીગામમાં પસાર થતી માઈનોર કેનાલના નવીનીકરણના કામમાં કપચીના દેખાવા સાથે થીંગડા મારવાની નોબત

vartmanpravah

કરમબેલાના ભાજપના યુવા નેતા આનંદ શાહે એમની ટીમે સાથે ધારાસભ્‍ય પાટકરની મુલાકાત કરી પાઠવેલા અભિનંદન અને મેળવેલા આશીર્વાદ

vartmanpravah

Leave a Comment