June 13, 2026
Vartman Pravah
દમણ

દમણના સી.જે.એમ. સિનિયર ડીવીઝન અને કો-મેમ્‍બર સેક્રેટરી એ.પી.કોકાટેના અધ્‍યક્ષ સ્‍થાને દમણવાડા ખાતે કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

  • ધારાશાષાી ઉદય પટેલે જાહેર ઉપયોગની સેવા અને સરકારની વિવિધ યોજનાઓની આપેલી મનનીયજાણકારી

  • મરવડ હોસ્‍પિટલના ડો. હેમિંગ અગ્રવાલે એચ.આઈ.વી. એઈડ્‍સ અંગે આપેલી વિસ્‍તૃત માહિતી

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 23
રાજ્‍ય કાનૂની સેવા પ્રાધિકરણ દમણ અને એડવોકેટ બાર એસોસિએશનના સહયોગથી આજે દમણવાડા ગ્રામ પંચાયતના પરિસરમાં કાનૂની જાગૃતતા શિબિરનું આયોજન ચીફ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ સિનિયર ડીવીઝન અને કાનૂની સેવા પ્રાધિકરણ-દમણના કો-મેમ્‍બર સેક્રેટરી શ્રી એ.પી.કોકાટેના અધ્‍યક્ષ સ્‍થાને કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે ધારાશાષાી શ્રી ઉદય પટેલે જાહેર ઉપયોગની સેવા અને કેન્‍દ્ર તથા સંઘપ્રદેશ પ્રશાસનની વિવિધ યોજનાઓની મનનીય જાણકારી આપી હતી. તેમણે સરકારી યોજનાઓનો લાભ લેવા પણ ઉપસ્‍થિત લોકોને આહ્‌વાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેલા મરવડ હોસ્‍પિટલના ડો. હેમિંગ અગ્રવાલે સરળ ભાષામાં એચ.આઈ.વી. અને બીજા યૌન સંબંધિત રોગ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, એચ.આઈ.વી. એઈડ્‍સ એ એક અસાધ્‍ય રોગ છે. તેનાથી બચવા સુરક્ષા અને જાણકારી જ મહત્ત્વની હોવાનું જણાવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, ધારાશાષાી શ્રીમતી ભક્‍તિ ઉપાધ્‍યાય, પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મીટના, ગ્રામજનો તથા સ્‍ટાફના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યાહતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સમાપન ધારાશાષાી શ્રી જીમી પટેલે કર્યું હતું.

Related posts

સંઘપ્રદેશોની વિવિધ પંચાયતોમાં વડ, પીપળો અને ઉંબરાના છોડોનું કરાયેલું વાવેતર

vartmanpravah

વાપીના ગાંધીવાદી અગ્રણી પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયાની ગુજરાત વિદ્યાપીઠમાં ટ્રસ્‍ટી તરીકે નિમણૂંક

vartmanpravah

શીખ સમુદાયના બહાદુર બાળકોની શહાદતની યાદમાં 26 ડિસેમ્‍બરના દિવસને ‘વીર બાળ દિવસ’ જાહેર કરવા બદલ દમણ-દીવ શીખ સમાજે પીએમ મોદીનો માનેલો આભાર

vartmanpravah

દમણ જિલ્લાના આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ઉર્વશીબેન પટેલનો બિનહરિફ વિજયઃ ફક્‍ત ઔપચારિક સત્તાવાર જાહેરાત બાકી

vartmanpravah

અધ્‍યક્ષ પવન અગ્રવાલ અને પૂર્વ અધ્‍યક્ષ આર.કે.કુંદનાનીના નેતૃત્‍વમાં દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ના પ્રતિનિધિ મંડળે પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો NIFTના આરંભ માટે માનેલો આભાર

vartmanpravah

ભારત સરકારના ગૃહ મંત્રાલયે જારી કરેલો આદેશ સંઘપ્રદેશ પ્રશાસનમાં કાર્યરત ત્રણ આઈ.એ.એસ. અને 2 આઈ.પી.એસ. અધિકારીઓની બદલી

vartmanpravah

Leave a Comment