April 24, 2024
Vartman Pravah
દમણ

દમણના સી.જે.એમ. સિનિયર ડીવીઝન અને કો-મેમ્‍બર સેક્રેટરી એ.પી.કોકાટેના અધ્‍યક્ષ સ્‍થાને દમણવાડા ખાતે કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

  • ધારાશાષાી ઉદય પટેલે જાહેર ઉપયોગની સેવા અને સરકારની વિવિધ યોજનાઓની આપેલી મનનીયજાણકારી

  • મરવડ હોસ્‍પિટલના ડો. હેમિંગ અગ્રવાલે એચ.આઈ.વી. એઈડ્‍સ અંગે આપેલી વિસ્‍તૃત માહિતી

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 23
રાજ્‍ય કાનૂની સેવા પ્રાધિકરણ દમણ અને એડવોકેટ બાર એસોસિએશનના સહયોગથી આજે દમણવાડા ગ્રામ પંચાયતના પરિસરમાં કાનૂની જાગૃતતા શિબિરનું આયોજન ચીફ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ સિનિયર ડીવીઝન અને કાનૂની સેવા પ્રાધિકરણ-દમણના કો-મેમ્‍બર સેક્રેટરી શ્રી એ.પી.કોકાટેના અધ્‍યક્ષ સ્‍થાને કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે ધારાશાષાી શ્રી ઉદય પટેલે જાહેર ઉપયોગની સેવા અને કેન્‍દ્ર તથા સંઘપ્રદેશ પ્રશાસનની વિવિધ યોજનાઓની મનનીય જાણકારી આપી હતી. તેમણે સરકારી યોજનાઓનો લાભ લેવા પણ ઉપસ્‍થિત લોકોને આહ્‌વાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેલા મરવડ હોસ્‍પિટલના ડો. હેમિંગ અગ્રવાલે સરળ ભાષામાં એચ.આઈ.વી. અને બીજા યૌન સંબંધિત રોગ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, એચ.આઈ.વી. એઈડ્‍સ એ એક અસાધ્‍ય રોગ છે. તેનાથી બચવા સુરક્ષા અને જાણકારી જ મહત્ત્વની હોવાનું જણાવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, ધારાશાષાી શ્રીમતી ભક્‍તિ ઉપાધ્‍યાય, પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મીટના, ગ્રામજનો તથા સ્‍ટાફના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યાહતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સમાપન ધારાશાષાી શ્રી જીમી પટેલે કર્યું હતું.

Related posts

તા.11થી 26 ઓગસ્‍ટ સુધી સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા શાળા અને આંગણવાડીના બાળકો માટે શરૂ થનારૂં વિરાટ આરોગ્‍ય સ્‍ક્રીનિંગ અભિયાન

vartmanpravah

ખાનવેલ હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં અભ્‍યાસ કરતી દિવ્‍યાંગ દિકરી ધો.12ની પરીક્ષા માટે કરી રહી છે તૈયારી

vartmanpravah

દીવનો છ દિવસીય પ્રવાસ પૂર્ણ કરી પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દમણ માટે રવાના: દીવની મુલાકાત દરમિયાન પ્રશાસક પ્રફુલભાઈ પટેલે અનેક લોક કલ્‍યાણના કામોનું કરેલું ઉદ્‌ઘાટન : વિવિધ વિકાસના કામોની પણ કરેલી સમીક્ષા

vartmanpravah

સંઘપ્રદેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાને પકડેલું લોક આંદોલનનું સ્‍વરૂપઃ લોકોનો ઉમંગ અને જુસ્‍સો સાતમા આસમાને

vartmanpravah

દમણમાં દરિયા કિનારે વિસર્જીત કરાયેલ ગણેશ મૂર્તિઓ ક્ષત-વિક્ષત હાલતમાં જોવા મળતા ભાવિકોની લાગણી દુભાઈ

vartmanpravah

18 વર્ષ બાદ દમણ કોર્ટથી આવેલો ચૂકાદો: દમણ પુલ દુર્ઘટના માટે ત્રણ એન્‍જિનિયરો દોષિત : બે વર્ષની સજા અને રૂા.16500નો દંડ

vartmanpravah

Leave a Comment