June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટમનોરંજનસેલવાસ

‘ફિટ ઇન્‍ડિયા’ અભિયાન અંતર્ગત સેલવાસમાં 9 જાન્‍યુઆરી, 2025ના ગુરૂવારે આંતર શાળા તારપા નૃત્‍ય સ્‍પર્ધા યોજાશે

આંતર શાળા ‘તારપા નૃત્‍ય સ્‍પર્ધા’માં ભાગ લઈને એક સ્‍વસ્‍થ અને ‘ફિટ ઈન્‍ડિયા’ નિર્માણમાં યોગદાન આપવા સંઘપ્રદેશ પ્રશાસનની વિદ્યાર્થીઓને અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘ફિટ ઇન્‍ડિયા’ અભિયાનના સાર્થક કરવા માટે ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલય દ્વારા ફિટ ઇન્‍ડિયા બનવાનોસંકલ્‍પ લીધો હતો. જેના સંદર્ભમાં આદિવાસી સમાજના પારંપારિક નૃત્‍યને ધ્‍યાનમાં રાખી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના યુવા બાબતો અને રમત-ગમત વિભાગ દ્વારા સેલવાસમાં આંતર શાળા તારપા નૃત્‍ય સ્‍પર્ધાનું આયોજન આગામી 9મી જાન્‍યુઆરી, 2025ના ગુરૂવારના રોજ કરવામાં આવ્‍યું છે. આ સ્‍પર્ધા સંઘપ્રદેશના ત્રણેય જિલ્લાની શાળાઓને તારપા નૃત્‍યના રોમાંચક ઉત્‍સવ માટે એક સાથે લાવશે. આ સ્‍પર્ધામાં માત્ર પારંપારિક નૃત્‍યનું પ્રદર્શન જ નહીં, પરંતુ તેના દ્વારા કાર્ડિયો એક્‍ટિવિટીના આરોગ્‍ય લાભો ઉપર પણ ધ્‍યાન આપવામાં આવશે.
આ આંતર શાળા તારપા નૃત્‍ય સ્‍પર્ધાનું આયોજન સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વમાં તથા રમત-ગમત અને યુવા બાબતો તથા શિક્ષણ સચિવ ડો. અરૂણ ટી.ના દિશા-નિર્દેશ મુજબ અને રમત-ગમત નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તાના સહયોગથી દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે 9 જાન્‍યુઆરી, 2025ના ગુરૂવારે સવારે 9:00 વાગ્‍યે કલા કેન્‍દ્ર ઓડિટોરિયમમાં ‘ફિટ ઇન્‍ડિયા’ આંતર શાળા તારપા નૃત્‍ય સ્‍પર્ધા યોજવામાં આવશે. સંઘપ્રદેશ પ્રશાસનને ભારતીય રમત-ગમત સત્તા તરફથી આયોજન માટે સહયોગ આપવામાં આવે છે.
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા તમામ વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવે છે કે, તેઓ આ ‘ફિટ ઇન્‍ડિયા’ આંતર શાળાતારપા નૃત્‍ય સ્‍પર્ધામાં ભાગ લઈને એક સ્‍વસ્‍થ અને ફિટ ઇન્‍ડિયાના નિર્માણમાં યોગદાન આપે. આ સ્‍પર્ધાના વિજેતા ટીમોને યુવા બાબતો અને રમત-ગમત વિભાગ દ્વારા ઈનામ આપીને સન્‍માનિત કરવામાં આવશે.

Related posts

પાલઘરના મનોર ખાતે ખાડીમાં માછીમારી કરવા ગયેલ યુવક પર શાર્કનો હુમલો

vartmanpravah

દાદરા ગામમાં રહેતી પરપ્રાંતિય 19 વર્ષિય યુવતી પ્રિયાકુમારી પિન્‍ટુ સિંહા ગુમ

vartmanpravah

વલસાડ જિલ્લાના દરિયાઈ વિસ્‍તારમાં સૌરાષ્‍ટ્રના માછીમારો કબજો જમાવી દેવાતા માછીમારોએ આપેલું આવેદન

vartmanpravah

શું જનતાએ ચૂંટેલી સરકારોએ કરોમાં રાહત આપીને પેટ્રોલ-ડીઝલ-એલપીજીની કિંમતો ઘટાડવી નહીં જાેઈએ?

vartmanpravah

વાપીમાં 10 ઉપરાંત ગણેશ પંડાલોમાં નાણામંત્રીએ શ્રીજીની આરતી ઉતારી દર્શનનો લાભ લીધો

vartmanpravah

પૂર્વ તૈયારી

vartmanpravah

Leave a Comment