Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસના આમળી ફળિયામાં રહેતી મહિલાએ ગળે ફાંસો ખાધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : સેલવાસના આમળી મંદિર ફળિયામાં ચાલીમાં રહેતી પરિણીતાએ કોઈક અગમ્‍ય કારણોસર રૂમની અંદર જ સાડી વડે ગળે ફાંસો લગાવી જીવનલીલા સંકેલી લીધી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર સુરેખા પટેલ (ઉ.વ.25) રહેવાસી મંદિર ફળિયા સેલવાસ જે એના પતિ સાથે ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી સવારે જ્‍યારે એનો પતિ કોઈક કામસર બહાર નીકળી ગયા બાદ બાળકો ઘરની બહાર રમી રહ્યા હતા. તે સમયે સુરેખા ઘરમાં આવી સાડી વડે ફાંસો લગાવી લીધો હતો. થોડો વાર બાદ બાળકો ઘરમાં આવ્‍યા તો જોયું કે એમની મમ્‍મી પંખા સાથે લટકી રહી છે બાળકોએ તાત્‍કાલિક આજુબાજુવાળાને બોલાવ્‍યા બાદ એના પતિને ફોન કરી જાણ કર્યા બાદ 108એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી હતી. સુરેખાને હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્‍યાંના ફરજ પરના તબીબે એને મૃત જાહેર કરી હતી. સુરેખાના પતિના જણાવ્‍યા પ્રમાણે એમની પત્‍નીને માનસિક બીમારી હતી. પરંતુ અચાનક જ આવું પગલુંકેમ ભર્યું એની કંઈ ખબર જ ન પડી. આ ઘટના અંગે પોલીસને જાણ કરતા લાશનો કબ્‍જો લઈ પી.એમ. માટે સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

સરીગામની લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના “આઈડિયા ફેસ્ટ-૨૦૨૩”માં ૩૦૦થી વધુ વિધાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન

vartmanpravah

કેવડિયા કોલોનીના નાયબ કલેકટર નિલેશ દુબેએ આદિવાસી સમાજ વિશે જે અપશબ્‍દો બોલી ટીપ્‍પણી કરવામાં આવતા  ભીલ ફેડરેશન ઓફ ઈન્‍ડિયાના વલસાડ જિલ્લાના ઉપ પ્રમુખ સુમનભાઈ માહ્યાવંશીના નેતૃત્‍વમાં વલસાડ જીલ્લા કલેક્‍ટરશ્રીની આવેદનપત્ર અપાયું

vartmanpravah

આજે વાપીમાં રાજસ્‍થાન પ્રગતિ મંડળ દ્વારા સ્‍વ. મંજુબેન દાયમાની 15મી પુણ્‍યતિથિએ રક્‍તદાન શિબિરનું આયોજન

vartmanpravah

સંપત્તિની સાચવણી માટે પણ સંસ્‍કાર સત્‍સંગ અને સદ્‌ગુરૂની જરૂરિયાતઃ પ.પૂ.મેહુલભાઈ જાની

vartmanpravah

વીજળી વિભાગ/નિગમના ખાનગીકરણને રોકવાનાઅભિયાનમાં દમણની મરવડ અને દુણેઠા પંચાયતે આપેલું સમર્થન

vartmanpravah

નાની દમણ બસ સ્‍ટેન્‍ડ પાસે ટોયલેટ, પીવાના પાણી તથા રેસ્‍ટ રૂમની સુવિધા માટે દાનહ અને દમણ-દીવ બહુજન સમાજ પાર્ટીએ કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment