July 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસના આમળી ફળિયામાં રહેતી મહિલાએ ગળે ફાંસો ખાધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : સેલવાસના આમળી મંદિર ફળિયામાં ચાલીમાં રહેતી પરિણીતાએ કોઈક અગમ્‍ય કારણોસર રૂમની અંદર જ સાડી વડે ગળે ફાંસો લગાવી જીવનલીલા સંકેલી લીધી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર સુરેખા પટેલ (ઉ.વ.25) રહેવાસી મંદિર ફળિયા સેલવાસ જે એના પતિ સાથે ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી સવારે જ્‍યારે એનો પતિ કોઈક કામસર બહાર નીકળી ગયા બાદ બાળકો ઘરની બહાર રમી રહ્યા હતા. તે સમયે સુરેખા ઘરમાં આવી સાડી વડે ફાંસો લગાવી લીધો હતો. થોડો વાર બાદ બાળકો ઘરમાં આવ્‍યા તો જોયું કે એમની મમ્‍મી પંખા સાથે લટકી રહી છે બાળકોએ તાત્‍કાલિક આજુબાજુવાળાને બોલાવ્‍યા બાદ એના પતિને ફોન કરી જાણ કર્યા બાદ 108એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી હતી. સુરેખાને હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્‍યાંના ફરજ પરના તબીબે એને મૃત જાહેર કરી હતી. સુરેખાના પતિના જણાવ્‍યા પ્રમાણે એમની પત્‍નીને માનસિક બીમારી હતી. પરંતુ અચાનક જ આવું પગલુંકેમ ભર્યું એની કંઈ ખબર જ ન પડી. આ ઘટના અંગે પોલીસને જાણ કરતા લાશનો કબ્‍જો લઈ પી.એમ. માટે સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

દાનહઃ પીપરીયાના નવા પુલ પર કારચાલકે ગાયને ટક્કર મારતા ઘાયલ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર અનિલ કુમાર સિંઘની દિલ્‍હી બદલીઃ વિકાસ આનંદ નવા પ્રશાસકશ્રીના સલાહકાર બનશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે મોટી દમણ કિલ્લાની મુલાકાત લઈ કરેલું નિરીક્ષણઃ કિલ્લા પરિસરની અંદર ઔર વધુ સૌંદર્યકરણ માટે અધિકારીઓને આપેલા દિશા-નિર્દેશ

vartmanpravah

ચંન્‍દ્રપુર પાર નદીમાં પુલ ઉપરથી નદીમાં ઝંપલાવતા યુવાનને બચાવી લેવાયો

vartmanpravah

દમણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની 26મી મેના રોજ ચૂંટણી યોજાશે

vartmanpravah

ભારત સરકાર દ્વારા અંત્‍યોદય અન્ન યોજનાની મુદ્દત એક વર્ષ વધુ વધારવામાં આવી

vartmanpravah

Leave a Comment