(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.03
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના અવસરે સમસ્ત લક્ષદ્વીપ ટાપુ ગાંધીમય બની જવા પામ્યો હતો. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલ પ્રભાત ફેરીમાં ઉત્સાહભેર લોકોએ ભાગ લીધો હતો અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પ્રત્યે પોતાની કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી હતી.
કવરત્તીના ગાંધીચોક ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પિ શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી.