August 31, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

લ્‍યો કરો વાત..! છેલ્લા દોઢ મહિના કરતા વધુ સમયથી કચીગામ-ઝરીના બ્રિજની સ્‍ટ્રીટ લાઈટો બંધ છતાં જવાબદાર તંત્રનું ભેદી મૌન

ભૂતકાળમાં મુખ્‍ય રસ્‍તાઓની લાઈટની જવાબદારી ભલે પી.ડબ્‍લ્‍યુ.ડી. હસ્‍તક હતી છતાં તે વખતે વિદ્યુત વિભાગના કાર્યપાલક ઈજનેર સ્‍વયં રસ લઈ લોકોને પડતી હાલાકી દૂર કરવા પ્રયાસરત રહેતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : મોટી દમણના ઝરી અને કચીગામને જોડતાં પુલ ઉપર છેલ્લા દોઢ મહિના કરતા વધુ સમયથી સ્‍ટ્રીટ લાઈટો બંધ છે. આ મુદ્દે કચીગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભરતભાઈ પટેલે પણ ટોરેન્‍ટ પાવર સહિતના સત્તાવાળાને અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે. છતાં પણ હજુ અંધારપટ્ટ જ છવાયેલો છે.
જે વખતે વિદ્યુત વિભાગનો કાર્યભાર દમણ-દીવ પ્રશાસન પાસે હતો તે વખતના એક્‍ઝિક્‍યુટિવ એન્‍જિનિયર શ્રી એમ.આર.ઈંગલે સ્‍વયં રસ લઈ કોઈપણ જાહેર માર્ગની લાઈટો બંધ નહીં રહે તેની તકેદારી લેતા હતા. ભલે મુખ્‍ય રસ્‍તાઓની લાઈટની જવાબદારી જાહેર બાંધકામ વિભાગ પાસે હોવા છતાં તે વખતે વિદ્યુત વિભાગ સ્‍વયં ઘણાં કિસ્‍સાઓમાં દરમિયાનગીરી કરી જાહેર જનતાને તકલીફ નહીં પડે તેની કાળજી લેવાતી હતી. પરંતુ હવે લગભગ દોઢ મહિના કરતા વધુ સમયથી ઝરી-કચીગામ બ્રિજની લાઈટ બંધ હોવાના કારણે શ્રમજીવીઓ તથાઉદ્યોગોમાં કામ કરતા કામદારોને પણ ભારે અગવડતાનો સામનો કરવા પડી રહ્યો છે. ઝરી-કચીગામ બ્રિજની સ્‍ટ્રીટ લાઈટની જવાબદારી જે પણ વિભાગની હોય તેઓ તાત્‍કાલિક લોકોને રોશની મળે એવી વ્‍યવસ્‍થા કરે તે સમયનો તકાજો છે.

Related posts

વરસાદે વિરામ લેતા નવરાત્રી આયોજકો અને ખેલૈયાઓનો ઉત્‍સાહ વધ્‍યો: ચીખલીમાં નવરાત્રી આયોજકોએ ગ્રાઉન્‍ડને આપ્‍યો આખરી ઓપ

vartmanpravah

દમણમાં દરિયા કિનારે વિસર્જીત કરાયેલ ગણેશ મૂર્તિઓ ક્ષત-વિક્ષત હાલતમાં જોવા મળતા ભાવિકોની લાગણી દુભાઈ

vartmanpravah

વલસાડ નગરપાલિકા દ્વારા કરાયેલા વેરામાં વધારા સામે નોંધાયેલો વિરોધ

vartmanpravah

વલસાડ હાઈવે ધમડાચી પાસે કન્‍ટેનર અને ટ્રેઈલર વચ્‍ચે જોરદાર અકસ્‍માત : કન્‍ટેનર કેબીન ટ્રેઈલરમાં ફસાયું

vartmanpravah

દાનહમાં બાળલગ્ન અને બાળ કુપોષણ બે મોટા પડકારોઃ આરડીસી અમિત કુમાર

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે 14 વર્ષના સમયગાળા બાદ 14 કરોડથી વધુના ખર્ચે બનેલ સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાનનું થયુ લોકાર્પણ

vartmanpravah

Leave a Comment