October 21, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

લ્‍યો કરો વાત..! છેલ્લા દોઢ મહિના કરતા વધુ સમયથી કચીગામ-ઝરીના બ્રિજની સ્‍ટ્રીટ લાઈટો બંધ છતાં જવાબદાર તંત્રનું ભેદી મૌન

ભૂતકાળમાં મુખ્‍ય રસ્‍તાઓની લાઈટની જવાબદારી ભલે પી.ડબ્‍લ્‍યુ.ડી. હસ્‍તક હતી છતાં તે વખતે વિદ્યુત વિભાગના કાર્યપાલક ઈજનેર સ્‍વયં રસ લઈ લોકોને પડતી હાલાકી દૂર કરવા પ્રયાસરત રહેતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : મોટી દમણના ઝરી અને કચીગામને જોડતાં પુલ ઉપર છેલ્લા દોઢ મહિના કરતા વધુ સમયથી સ્‍ટ્રીટ લાઈટો બંધ છે. આ મુદ્દે કચીગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભરતભાઈ પટેલે પણ ટોરેન્‍ટ પાવર સહિતના સત્તાવાળાને અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે. છતાં પણ હજુ અંધારપટ્ટ જ છવાયેલો છે.
જે વખતે વિદ્યુત વિભાગનો કાર્યભાર દમણ-દીવ પ્રશાસન પાસે હતો તે વખતના એક્‍ઝિક્‍યુટિવ એન્‍જિનિયર શ્રી એમ.આર.ઈંગલે સ્‍વયં રસ લઈ કોઈપણ જાહેર માર્ગની લાઈટો બંધ નહીં રહે તેની તકેદારી લેતા હતા. ભલે મુખ્‍ય રસ્‍તાઓની લાઈટની જવાબદારી જાહેર બાંધકામ વિભાગ પાસે હોવા છતાં તે વખતે વિદ્યુત વિભાગ સ્‍વયં ઘણાં કિસ્‍સાઓમાં દરમિયાનગીરી કરી જાહેર જનતાને તકલીફ નહીં પડે તેની કાળજી લેવાતી હતી. પરંતુ હવે લગભગ દોઢ મહિના કરતા વધુ સમયથી ઝરી-કચીગામ બ્રિજની લાઈટ બંધ હોવાના કારણે શ્રમજીવીઓ તથાઉદ્યોગોમાં કામ કરતા કામદારોને પણ ભારે અગવડતાનો સામનો કરવા પડી રહ્યો છે. ઝરી-કચીગામ બ્રિજની સ્‍ટ્રીટ લાઈટની જવાબદારી જે પણ વિભાગની હોય તેઓ તાત્‍કાલિક લોકોને રોશની મળે એવી વ્‍યવસ્‍થા કરે તે સમયનો તકાજો છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપમાં વિવિધ પ્રોજેક્‍ટોની મુલાકાત લઈ અધિકારીઓને આપેલી દિશા-દોરવણી

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

વાપીની કંપની સંચાલકોએ 7 વર્ષનો 3.01 કરોડ વેચાણ વેરો નહી ભરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

vartmanpravah

વલસાડ ડેપોમાં બસોની કાયમી અનિયમિતતાને લઈ મુસાફરોએ બસ અવર જવર રોકી ડેપો માથે લીધું

vartmanpravah

વિજયાદશમીના પર્વને અનુલક્ષી નરોલીમાં આર.એસ.એસ. દ્વારા કરાયેલું પથ સંચલન

vartmanpravah

પારનેરા વલસાડમાં ટ્રકમાંથી ડિઝલ કાઢતા ત્રણ ઝડપાયા

vartmanpravah

Leave a Comment