April 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દાનહ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ શાળાઓમાં રંગોળી, પ્રશ્નોતરી તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.12
દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દાનહમાં આજે અલગ અલગ પ્રકારના સાંસ્‍કળતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું. હતું. દેશની આઝાદીના 75વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ભારત સરકાર દ્વારા પ્રાયોજીત ‘હર ઘર તિરંગા’ અભિયાનના કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ વિભાગ દાનહ દ્વારા દરેક શાળાઓમા રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ રંગોળી પ્રદર્શન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળા કક્ષાએ ખાનવેલ, દૂધની જેટી, દાદરા પંચાયત ઘર, ઓરીયન ઇમ્‍પિરિયા મોલ નરોલી અને લેન્‍ડમાર્ક બિલ્‍ડીંગ ટોકરખાડા સહિત સાર્વજનિક સ્‍થાનો પર કરવામાં આવ્‍યું હતું. સાથે શાળાઓમાં પ્રશ્નોતરીપ્રતિસ્‍પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આજે ટોકરખાડા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગાયાત્રા પણ કાઢવામાં આવી હતી, જે સેલવાસ ઝંડાચોક આઝાદી સ્‍મારક ખાતે આવી હતી જ્‍યાં સાંસ્‍કળતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. બાદમાં આ રેલી પરત ટોકરખાડા શાળા પર પહોંચી હતી.
આ રંગોળી પ્રદર્શનમાં આપણાં પ્રદેશની જનતા અને વિવિધ વિભાગોના કર્મચારીઓએ ઉત્‍સાહની સાથે ભાગ લઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો ઉત્‍સાહ વધાર્યો હતો.

Related posts

મોદી સરકારના શાસન દરમિયાન દેશ, પ્રદેશ અને દુનિયામાં હવે આપણો સમય શરૂ થયો છેઃ ભારતનો સમય શરૂ થયો છેઃ દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયા

vartmanpravah

26 જુલાઈએ વિશ્વના 75 લાખ લોકો ઈન્‍ડિયન નેશનલ એન્‍થમ ડ્રાઈવમાં જોડાશે

vartmanpravah

પારડીના રોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાનદાદાના જન્‍મોત્‍સવની ધામધૂમથી ઉજવણી

vartmanpravah

શ્રી નગરવાલાએ પોતે પણ નગર હવેલીનાં 72 ગામો પર કબજો મેળવવાની એક આકર્ષક યોજના વિચારી હતી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ સલવાવ ખાતે પેરેન્‍ટ્‍સ ડે નિમિત્તે શુભેચ્‍છા કાર્ડ બનાવવાની સ્‍પર્ધાની યોજાઈ

vartmanpravah

દાનહમાં અનંત ચૌદશના દિને ધામધૂમથી અને ભીની આંખે બાપ્‍પાને આપવામાં આવી વિદાય

vartmanpravah

Leave a Comment