Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દાનહ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ શાળાઓમાં રંગોળી, પ્રશ્નોતરી તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.12
દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દાનહમાં આજે અલગ અલગ પ્રકારના સાંસ્‍કળતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું. હતું. દેશની આઝાદીના 75વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ભારત સરકાર દ્વારા પ્રાયોજીત ‘હર ઘર તિરંગા’ અભિયાનના કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ વિભાગ દાનહ દ્વારા દરેક શાળાઓમા રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ રંગોળી પ્રદર્શન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળા કક્ષાએ ખાનવેલ, દૂધની જેટી, દાદરા પંચાયત ઘર, ઓરીયન ઇમ્‍પિરિયા મોલ નરોલી અને લેન્‍ડમાર્ક બિલ્‍ડીંગ ટોકરખાડા સહિત સાર્વજનિક સ્‍થાનો પર કરવામાં આવ્‍યું હતું. સાથે શાળાઓમાં પ્રશ્નોતરીપ્રતિસ્‍પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આજે ટોકરખાડા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગાયાત્રા પણ કાઢવામાં આવી હતી, જે સેલવાસ ઝંડાચોક આઝાદી સ્‍મારક ખાતે આવી હતી જ્‍યાં સાંસ્‍કળતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. બાદમાં આ રેલી પરત ટોકરખાડા શાળા પર પહોંચી હતી.
આ રંગોળી પ્રદર્શનમાં આપણાં પ્રદેશની જનતા અને વિવિધ વિભાગોના કર્મચારીઓએ ઉત્‍સાહની સાથે ભાગ લઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો ઉત્‍સાહ વધાર્યો હતો.

Related posts

દમણના વેટરનરી વિભાગના યુડીસી અમ્રતભાઈ હળપતિને આપવામાં આવ્‍યું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

વાપીને ગુજરાતની માડેલ પાલિકા બનાવવા માટે પ્રાદેશિક કમિશ્‍નરએ ઈચ્‍છા વ્‍યક્‍ત કરી

vartmanpravah

દીવ કોલેજમાં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત એઈડ્‍સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસમાં સંઘપ્રદેશ કક્ષાની ખો-ખો અને એથ્‍લેટિક્‍સ સ્‍પર્ધાનું સમાપન

vartmanpravah

વાપી બલીઠા રેલવે ઓવરબ્રિજ ઉપર ગડર મુકવાની કામગીરી શરૂ : ટુક સમયમાં બ્રિજ કાર્યરત થશે

vartmanpravah

દમણ ખાતે ઇન્‍ડિયન કોસ્‍ટગાર્ડ એર સ્‍ટેશન આયોજિત ‘જોશ રન’માં સુરત રન એન્‍ડ રાઇડર-13નાં રનર અશ્વિન ટંડેલ અને વિદ્યાર્થીઓએ લીધેલો ભાગ

vartmanpravah

Leave a Comment