April 18, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ
  • અગામી પેટા ચૂંટણીના સંદર્ભમાં રાજકીય પક્ષો અને ઉમેદવારોએ રાખનારી તકેદારી તથા નીતિ-નિયમોના પાલનની આપેલી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 04
આજે સેલવાસ સચિવાલયના સભાખંડમાં કલેક્‍ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો.રાકેશ મિન્‍હાસની અધ્‍યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે અગામી પેટા ચૂંટણીના સંદર્ભમાં બેઠક યોજવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પેટા ચૂંટણીના સંદર્ભમાં રાજકીય પક્ષો માટેની માર્ગદર્શિકા, ઉમેદવારીની પ્રક્રિયા, આઉટડોર અને ઈનડોર પ્રચાર વગેરે બાબતોના નીતિ-નિયમો અંગે સમજણ આપી હતી. દરેક રાજકીય પક્ષોને સી-વિજીલ એપ્‍લીકેશન અને તેના ઉપયોગ બાબતે પણ માહિતગાર કરાયા હતા.
રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ચૂંટણી માટે પોતાનું અલગ બેંક એકાન્‍ટ ખોલવા અને તે એકાઉન્‍ટમાંથી પ્રચારનો ખર્ચ કરવા પણ માહિતી આપી હતી. દરેક ઉમેદવારોએ ફરજીયાત ફોર્મ 26 ભરવા અને તેને કલેક્‍ટર કાર્યાલયમાં ચલન/એમટીઆર સાથે રજૂ કરવા પણ જણાવાયું હતું.
ચૂંટણી અધિકારી અને કલેક્‍ટરશ્રીએ સરકારી કાર્યાલયોના પરિસર અને દિવાલો ઉપર પોસ્‍ટર કે કટ આઉટ્‍સ નહીં લગાવવા પણ તાકિદ કરી હતી. પેમ્‍ફલેટ અને પોસ્‍ટરના ટોક ઉપર ઉમેદવાર તથા પ્રકાશકનું નામ અને સરનામું લખવા પણ જણાવાયું હતું.
રાજકીય પક્ષના પ્રતિનિધિઓને ચૂંટણીની આદર્શ આચારસંહિતા અને કોવિડ-19ના પ્રોટોકોલનું અસરકારક રીતે પાલન કરવા પણ તાકિદ કરી હતી.
આ બેઠકમાં કલેક્‍ટરઅને જિલ્લા ચૂંટણી અધિકારી ડો. રાકેશ મિન્‍હાસ ઉપરાંત ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ તથા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પરવાસાના 19 વર્ષીય યુવાને ઝાડની ડાળીએ લટકી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

દાનહઃ શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સ અને હવેલી ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ દ્વારા સ્‍પેક્‍ટ્રમ 2021-22 કાર્યક્રમનું ભવ્‍ય આયોજન

vartmanpravah

સેલવાસની દેવકીબા કોલેજના યુજી અને પીજીના વિદ્યાર્થીઓનો યોજાયો વિદાય સમારોહ યોજાયો

vartmanpravah

વાપીની કંપનીમાં લાગેલી આગમાં ઍક કામદાર બળીને ભડથું

vartmanpravah

‘‘નશામુક્‍ત ભારત અભિયાન” અંતર્ગત દમણ-દાનહ પોલીસે ચલાવેલી ‘‘નો ટોબેકો” ઝુંબેશ

vartmanpravah

ચીખલી અને રાનકુવા વિસ્‍તારમાં નીતિ-નિયમોને નેવે મુકી વાણિજ્‍ય હેતુ માટે કરાયેલા આડેધડ બાંધકામો

vartmanpravah

Leave a Comment