March 20, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ
  • અગામી પેટા ચૂંટણીના સંદર્ભમાં રાજકીય પક્ષો અને ઉમેદવારોએ રાખનારી તકેદારી તથા નીતિ-નિયમોના પાલનની આપેલી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 04
આજે સેલવાસ સચિવાલયના સભાખંડમાં કલેક્‍ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો.રાકેશ મિન્‍હાસની અધ્‍યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે અગામી પેટા ચૂંટણીના સંદર્ભમાં બેઠક યોજવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પેટા ચૂંટણીના સંદર્ભમાં રાજકીય પક્ષો માટેની માર્ગદર્શિકા, ઉમેદવારીની પ્રક્રિયા, આઉટડોર અને ઈનડોર પ્રચાર વગેરે બાબતોના નીતિ-નિયમો અંગે સમજણ આપી હતી. દરેક રાજકીય પક્ષોને સી-વિજીલ એપ્‍લીકેશન અને તેના ઉપયોગ બાબતે પણ માહિતગાર કરાયા હતા.
રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ચૂંટણી માટે પોતાનું અલગ બેંક એકાન્‍ટ ખોલવા અને તે એકાઉન્‍ટમાંથી પ્રચારનો ખર્ચ કરવા પણ માહિતી આપી હતી. દરેક ઉમેદવારોએ ફરજીયાત ફોર્મ 26 ભરવા અને તેને કલેક્‍ટર કાર્યાલયમાં ચલન/એમટીઆર સાથે રજૂ કરવા પણ જણાવાયું હતું.
ચૂંટણી અધિકારી અને કલેક્‍ટરશ્રીએ સરકારી કાર્યાલયોના પરિસર અને દિવાલો ઉપર પોસ્‍ટર કે કટ આઉટ્‍સ નહીં લગાવવા પણ તાકિદ કરી હતી. પેમ્‍ફલેટ અને પોસ્‍ટરના ટોક ઉપર ઉમેદવાર તથા પ્રકાશકનું નામ અને સરનામું લખવા પણ જણાવાયું હતું.
રાજકીય પક્ષના પ્રતિનિધિઓને ચૂંટણીની આદર્શ આચારસંહિતા અને કોવિડ-19ના પ્રોટોકોલનું અસરકારક રીતે પાલન કરવા પણ તાકિદ કરી હતી.
આ બેઠકમાં કલેક્‍ટરઅને જિલ્લા ચૂંટણી અધિકારી ડો. રાકેશ મિન્‍હાસ ઉપરાંત ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ તથા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સમગ્ર શિક્ષા, શિક્ષણ વિભાગ દીવ દ્વારા દિવ્‍યાંગ બાળકો માટે અસેસમેન્‍ટ કેમ્‍પનું આયોજન

vartmanpravah

વાપી ચલા કોટક મહિન્‍દ્રા બેંકના મેનેજરએ વલસાડ જુજવાગામે પોતાના બંગલામાં ફાંસો ખાઈ લેતા ચકચાર

vartmanpravah

વાપી વીજ કંપનીના સ્‍ટોરમાંથી ચોરી કરેલા 3 ટ્રાન્‍સફોર્મર ટેમ્‍પોમાં ધરમપુર બરૂમાળ ચોકડીથી ઝડપાયા

vartmanpravah

પારડી ડુમલાવથી અતુલ કંપનીમાં નોકરીએ જતી મહિલાનું ખરાબ રસ્‍તાથી મોપેડ સ્‍લીપ ખાતા સારવારમાં મોત

vartmanpravah

આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશન, વાપીમાં વ્‍યાખ્‍યાનમાળા અંતર્ગત મિસ.વિધિ વાઘેલા દ્વારા ‘‘ઇન્‍ટરવ્‍યૂ કેવી રીતે આપી શકાય” તે વિષય પર વ્‍યાખ્‍યાન યોજાયું

vartmanpravah

15મી ઓગસ્‍ટના રોજ સંઘપ્રદેશના પી.આઈ. છાયા ટંડેલ અને પી.એસ.આઈ. લીલાધર મકવાણાનું કેન્‍દ્રીય ગૃહમંત્રી પદકથી થનારૂં સન્‍માન

vartmanpravah

Leave a Comment