April 25, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ
  • અગામી પેટા ચૂંટણીના સંદર્ભમાં રાજકીય પક્ષો અને ઉમેદવારોએ રાખનારી તકેદારી તથા નીતિ-નિયમોના પાલનની આપેલી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 04
આજે સેલવાસ સચિવાલયના સભાખંડમાં કલેક્‍ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો.રાકેશ મિન્‍હાસની અધ્‍યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે અગામી પેટા ચૂંટણીના સંદર્ભમાં બેઠક યોજવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પેટા ચૂંટણીના સંદર્ભમાં રાજકીય પક્ષો માટેની માર્ગદર્શિકા, ઉમેદવારીની પ્રક્રિયા, આઉટડોર અને ઈનડોર પ્રચાર વગેરે બાબતોના નીતિ-નિયમો અંગે સમજણ આપી હતી. દરેક રાજકીય પક્ષોને સી-વિજીલ એપ્‍લીકેશન અને તેના ઉપયોગ બાબતે પણ માહિતગાર કરાયા હતા.
રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ચૂંટણી માટે પોતાનું અલગ બેંક એકાન્‍ટ ખોલવા અને તે એકાઉન્‍ટમાંથી પ્રચારનો ખર્ચ કરવા પણ માહિતી આપી હતી. દરેક ઉમેદવારોએ ફરજીયાત ફોર્મ 26 ભરવા અને તેને કલેક્‍ટર કાર્યાલયમાં ચલન/એમટીઆર સાથે રજૂ કરવા પણ જણાવાયું હતું.
ચૂંટણી અધિકારી અને કલેક્‍ટરશ્રીએ સરકારી કાર્યાલયોના પરિસર અને દિવાલો ઉપર પોસ્‍ટર કે કટ આઉટ્‍સ નહીં લગાવવા પણ તાકિદ કરી હતી. પેમ્‍ફલેટ અને પોસ્‍ટરના ટોક ઉપર ઉમેદવાર તથા પ્રકાશકનું નામ અને સરનામું લખવા પણ જણાવાયું હતું.
રાજકીય પક્ષના પ્રતિનિધિઓને ચૂંટણીની આદર્શ આચારસંહિતા અને કોવિડ-19ના પ્રોટોકોલનું અસરકારક રીતે પાલન કરવા પણ તાકિદ કરી હતી.
આ બેઠકમાં કલેક્‍ટરઅને જિલ્લા ચૂંટણી અધિકારી ડો. રાકેશ મિન્‍હાસ ઉપરાંત ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ તથા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લામાં ગુજરાત સ્‍ટેટ યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનો જન્‍મદિવસ વૈદિક યજ્ઞ સાથે ઉજવાયો

vartmanpravah

અષાઢી મેઘતાંડવમાં વાપી પૂર્વ વિસ્‍તાર વરસાદી પાણીમાં ગરકાવ

vartmanpravah

વિજયાદશમીના પર્વને અનુલક્ષી નરોલીમાં આર.એસ.એસ. દ્વારા કરાયેલું પથ સંચલન

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ શાળામાં 75મા સ્‍વાતંત્ર્યદિનની ઉજવણી થઈ

vartmanpravah

સંઘપ્રદેશના એક્‍સાઈઝ વિભાગમાં સાગમટે બદલીનો ચિપાયેલો ગંજીફો : 0પ એક્‍સાઈઝ ઈન્‍સપેક્‍ટરોની આંતર જિલ્લા બદલી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક દિવાળી રજા દરમિયાન પ્રદેશ બહાર રહેતા દમણમાં જુગાર, મટકા, ઓઈલ-કેમિકલ ચોરી તથા અનીતિધામના અડ્ડાઓ ઠેર ઠેર ખુલી ગયા હોવાની સોશિયલ મીડિયા ઉપર ચર્ચા

vartmanpravah

Leave a Comment