September 1, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્રીય રેલવે મંત્રી અને ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્‍ણવે કરાડ ખાતે કાર્યકર્તાઓ સાથે કરેલી ‘ચાય પે ચર્ચા’

  • બુથના કાર્યકરનું પાર્ટીમાં સૌથી વધુ મહત્ત્વઃ મારો બુથ સૌથી મજબુત બુથ અભિયાનને વેગ આપવા પણ હાકલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 04
દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણીના સંદર્ભમાં સેલવાસ ખાતે આવેલા કેન્‍દ્રીય રેલવે મંત્રી અને પ્રદેશ ભાજપના ચૂંટણી પ્રભારી શ્રી અશ્વિની વૈષ્‍ણવે આજે કરાડ ગ્રામ પંચાયતના બુથ નં.204માં આયોજીત બુથ સંમેલન અને ‘ચાય પે ચર્ચા’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આજના આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત ભાજપના બુથ કાર્યકર્તાઓને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની તસવીર ભેટ સ્‍વરૂપે આપવામાં આવી હતી.
આ પ્રસંગે કેન્‍દ્રીય રેલવે મંત્રી અને ભાજપના ચૂંટણી પ્રભારી શ્રી અશ્વિની વૈષ્‍ણવેકાર્યકર્તાઓને પનારો ચડાવતા જણાવ્‍યું હતું કે, જીવનમાં કોઈપણ કામ નાનું અથવા મોટું નથી હોતું. પ્રધાનમંત્રી પોતાને ચાયવાલા તરીકેની ઓળખ આપતા અચકાતા નથી. તમે દરેક લોકો બુથના કાર્યકર્તા છો. એટલે કે, પાર્ટીનો પાયો તમારી ખાંધ ઉપર છે. દરેક મંત્રી કે મોટા નેતા સૌથી પહેલાં બુથના કાર્યકર્તા છે અને આપણી પાર્ટીએ મારો બુથ સૌથી મજબુત અભિયાન સફળતાપૂર્વક ચલાવ્‍યું હતું.
શ્રી અશ્વિની વૈષ્‍ણવે દરેકનો આભાર વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે તમે મને ‘ચાય પર ચર્ચા’ માટે બોલાવ્‍યો અને પેટા ચૂંટણીમાં ભાજપના કમળને ખિલવવું આ એક જ લક્ષ હોવું જોઈએ એવી સલાહ પણ આપી હતી. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલ, પ્રભારી શ્રીમતી વિજયા રહાટકર, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી ઈમરાન નગરમાં મોપેડ ઉપરથી 50 હજારની સિગારેટ ભરેલ થેલો ચોરી જનારા બે ઝડપાયા

vartmanpravah

પ્રદેશ ભાજપ કાર્યાલય અટલ ભવન સેલવાસ ખાતે રવિવારે દાનહ ભાજપ મહિલા મોરચાએ પ્રધાનમંત્રીશ્રીની ‘મન કી બાત’ સાંભળવા કરેલું આયોજન

vartmanpravah

પારનેરા ડુંગર જંગલ વિસ્‍તારમાં આગ લાગી: ગ્રામજનોએ રંગ રાખ્‍યો, મહેનત કરીને આગ બુઝાવી

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસન દ્વારા છઠ્ઠ પૂજા માટે ત્રણ સ્‍થળો નક્કી કરાયા

vartmanpravah

વાપીમાં કન્‍ટેનરમાં પાછળથી ટેમ્‍પો ઘૂસી જતા અકસ્‍માત સર્જાયો : ટેમ્‍પો ચાલકનું મોત

vartmanpravah

‘જનજાતિય ગૌરવ દિવસ’ પખવાડા અંતર્ગત જનનાયક ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિના અવસરે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયાઃ સ્‍થાનિક આદિવાસી ઉપલબ્‍ધિકર્તાઓએ વિદ્યાર્થીઓને જણાવી તેમની સફળતાની વાતો

vartmanpravah

Leave a Comment