April 26, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્રીય રેલવે મંત્રી અને ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્‍ણવે કરાડ ખાતે કાર્યકર્તાઓ સાથે કરેલી ‘ચાય પે ચર્ચા’

  • બુથના કાર્યકરનું પાર્ટીમાં સૌથી વધુ મહત્ત્વઃ મારો બુથ સૌથી મજબુત બુથ અભિયાનને વેગ આપવા પણ હાકલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 04
દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણીના સંદર્ભમાં સેલવાસ ખાતે આવેલા કેન્‍દ્રીય રેલવે મંત્રી અને પ્રદેશ ભાજપના ચૂંટણી પ્રભારી શ્રી અશ્વિની વૈષ્‍ણવે આજે કરાડ ગ્રામ પંચાયતના બુથ નં.204માં આયોજીત બુથ સંમેલન અને ‘ચાય પે ચર્ચા’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આજના આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત ભાજપના બુથ કાર્યકર્તાઓને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની તસવીર ભેટ સ્‍વરૂપે આપવામાં આવી હતી.
આ પ્રસંગે કેન્‍દ્રીય રેલવે મંત્રી અને ભાજપના ચૂંટણી પ્રભારી શ્રી અશ્વિની વૈષ્‍ણવેકાર્યકર્તાઓને પનારો ચડાવતા જણાવ્‍યું હતું કે, જીવનમાં કોઈપણ કામ નાનું અથવા મોટું નથી હોતું. પ્રધાનમંત્રી પોતાને ચાયવાલા તરીકેની ઓળખ આપતા અચકાતા નથી. તમે દરેક લોકો બુથના કાર્યકર્તા છો. એટલે કે, પાર્ટીનો પાયો તમારી ખાંધ ઉપર છે. દરેક મંત્રી કે મોટા નેતા સૌથી પહેલાં બુથના કાર્યકર્તા છે અને આપણી પાર્ટીએ મારો બુથ સૌથી મજબુત અભિયાન સફળતાપૂર્વક ચલાવ્‍યું હતું.
શ્રી અશ્વિની વૈષ્‍ણવે દરેકનો આભાર વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે તમે મને ‘ચાય પર ચર્ચા’ માટે બોલાવ્‍યો અને પેટા ચૂંટણીમાં ભાજપના કમળને ખિલવવું આ એક જ લક્ષ હોવું જોઈએ એવી સલાહ પણ આપી હતી. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલ, પ્રભારી શ્રીમતી વિજયા રહાટકર, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ગુજરાતનાં દરેક ગામમાં પહોચશે મોબાઈલ સેવા અને ફાઈબર

vartmanpravah

વલસાડ જિલ્લાના સરકારી કર્મચારીઓ પ્રત્‍યેક શનિવારે ઓફિસે ચાલતા કે સાયકલથી જશે તેવા નિર્ણયનો ફિયાસ્‍કો

vartmanpravah

નેશનલ પોલીસ એકેડેમી હૈદરાબાદના દિશા-નિર્દેશ હેઠળ દાનહમાં કર્મયોગી પોલીસકર્મીના બે દિવસીય તાલીમ શિબિરનો આરંભ

vartmanpravah

વાપીની કંપની સંચાલકોએ 7 વર્ષનો 3.01 કરોડ વેચાણ વેરો નહી ભરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે નવીનભાઈ પટેલે એક મહિનો પૂર્ણ કરતા મરવડના યુવાનોએ કરેલું સ્‍વાગત અને અભિવાદન

vartmanpravah

ધરમપુર ખાતે સાંસદ ડો.કે.સી.પટેલની અધ્‍યક્ષતામાં ભાજપના સુશાસન સપ્‍તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો: આદિજાતિના ૫૩૯ લાભાર્થીઓને રૂ.૩.૩૪ કરોડની યોજનકીય સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment