October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દિવાળીથી લાભ પાંચમ સુધી દમણ-દાનહમાં ઉમટેલો પ્રવાસીઓનો લોકમેળો

  • પ્રદેશની આર્થિક ગતિવિધિમાં પણ આવેલી તેજી : દરેક પ્રાંત અને રાજ્‍યના પ્રવાસીઓથી ઉભરાયેલું દમણ-દાનહ

  • પહેલી વખત ફેમિલી ટુરીઝમ માટે આકર્ષણનું કેન્‍દ્ર બનેલો પ્રદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ/સેલવાસ, તા.09
દિવાળીથી લાભપાંચમ સુધી દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો રહેવા પામ્‍યો હતો. સંઘપ્રદેશ પ્રશાસને પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે નિર્મિત કરેલા નવા-નવા ટુરીસ્‍ટ ડેસ્‍ટિનેશનો પારિવારીક પ્રવાસ માટે નવુ નજરાણું બન્‍યા છે. ભૂતકાળમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ફક્‍ત દારૂ, બિયર અને ખાણી-પીણી માટે જાણીતું હતું. તેનાથી ઉલટું આ વખતે પ્રવાસીઓ માટે પોતાના પરિવાર સાથે વેકેશન ગાળવાના ઉત્તમ પ્રવાસન મથકમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો સમાવેશ થયો છે.
અત્રે યાદ રહે કે, કોરોના મહામારીના કારણે 2020ની દિવાળીથી પ્રવાસન ઉદ્યોગ મરણ પથારીએ પહોંચ્‍યો હતો. લોકો પણ બહાર નિકળવાનું ટાળતા હતા પરંતુ આ વખતે દાદરા નગર હવેલી અને દમણ-દીવ કોરોના મુક્‍ત થવા સાથે વિવિધ ટુરીસ્‍ટ ડેસ્‍ટિનેશનો પણ ખુલ્લા મુકાતા પ્રવાસીઓને સુરક્ષિતઅને સલામત વાતાવરણમાં સહેલગાહ કરવાનું અનુラકૂળ બન્‍યું છે.
મોટી દમણ ખાતે નવનિર્મિત રામસેતુ બીચ રોડ ઉપર પ્રવાસીઓનો લોકમેળો એકત્ર થયો હોય એ પ્રકારની ભીડ દિવાળીના દિવસોમાં ઉભરી હતી. દાદરા નગર હવેલી અને દમણ-દીવના માર્કેટોમાં પણ પ્રવાસીઓની ખરીદદારી દેખાઈ હતી. હોટેલ, રેસ્‍ટોરન્‍ટ, રેકડી, લારી-ગલ્લા તમામ ઉપર પ્રવાસીઓની ભીડ હતી. રીક્ષા, ટેક્‍સી અને બસમાં પણ પ્રવાસીઓની ગીર્દી દેખાઈ હતી.
દાદરા નગર હવેલીમાં રિવરફ્રન્‍ટ, ડિયરપાર્ક્‍સ, દુધની, ખાનવેલ સહિતના વિસ્‍તારોમાં પ્રવાસીઓની ભારે ભીડ દેખાઈ હતી. જ્‍યારે દમણમાં જમ્‍પોર, દેવકા, પાતલીયા, નાની દમણ વગેરે દરેક સ્‍થળો ઉપર પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટયું હતું.
સંઘપ્રદેશ પ્રશાસને મોટી દમણ કિલ્લાની કરેલી કાયાપલટે પણ પ્રવાસીઓના મન મોહી લીધા હતા. આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ વિદેશી પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્‍દ્ર બનશે એવું પ્રતિત થઈ રહ્યું છે.

Related posts

ભિલાડથી સોનલબેન ગુમ થયા

vartmanpravah

ખાનવેલ વિસ્‍તારના યુવાનોએ ધારણ કર્યો ભાજપાનો ખેસ

vartmanpravah

દાનહના લુહારી ખાતે ‘મોન્‍સૂન મેડલી ફેસ્‍ટીવલ’નું એસ.પી. રાજેન્‍દ્ર પ્રસાદ મીણાના હસ્‍તે કરાયેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

પારનેરા વલસાડમાં ટ્રકમાંથી ડિઝલ કાઢતા ત્રણ ઝડપાયા

vartmanpravah

પારડીના ૯ યુવાનો નેપાળમાં કુદરતી આફતમાં ફસાતા ગૃહ વિભાગ દ્વારા બચાવાયાઃ ઈન્ડિયન ઍમ્બેસી લવાયા

vartmanpravah

જનસંઘના સંસ્‍થાપક ડો.શ્‍યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા ભાજપ મુખ્‍ય કાર્યાલય ‘‘શ્રી કમલમ” ખાતે યોજાયેલો પુષ્‍પાંજલિ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment