Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટતંત્રી લેખ

વિક્રમ સંવત ૨૦૮૧નું વર્ષ દાનહ અને દમણ-દીવ માટે સર્વાંગી વિકાસની દૃષ્ટિઍ નિર્ણાયક રહેશે

પ્રદેશની ચારેય બાજુ વિકાસની જ્યોત ફૂલ ઝડપે પ્રગટેલી છે તેને કેટલાક વાંકદેખાઓ બૂઝવવાનો પણ નિરર્થક પ્રયાસ કરી રહ્ના છે ત્યારે પ્રદેશના લોકોઍ પોતાની ભાવિ પેઢીની સલામતિ અને સમૃદ્ધિને ધ્યાનમાં રાખી ભવિષ્યમાં નિર્ણયો માટે જાગૃત બનવું પડશે

દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ. વિક્રમ સંવત ૨૦૮૦ની વિદાયની સાથે આપણે તમામ વિક્રમ સવંત ૨૦૮૧ને આવકારવા થનગની રહ્ના છીઍ. માનવજીવનના મન અને દિલ-દિમાગમાં પડેલા અંધકારને દૂર કરવાનો પણ આ દિવાળીનો તહેવાર છે. છેલ્લા આઠ વર્ષમાં ભારત દેશની સાથે દાદરા નગર હવેલી અને દમણ-દીવે પણ ઉત્તરોત્તર પ્રગતિ કરી છે અને ઍક દિવાળી કરતા બીજી દિવાળીઍ હંમેશા વિશેષ અને અનોખું નિર્માણ થયું છે. જેનો સીધો શ્રેય દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના પારદર્શક અને ગતિશીલ અભિગમને ફાળે જાય છે.
વિક્રમ સંવત ૨૦૮૧ની દિવાળીની ઉજવણી જ્યારે કરતા હોઈશું તે વખતે સંભવતઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઅોનો પડઘમ પરાકાષ્ટાઍ હશે. જિલ્લા પંચાયત, નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી ક્યાં તો નિર્ધારિત થઈ હશે અથવા પ્રક્રિયા પૂર્ણ થવાના આરે હશે. તેથી દરેક માટે વિક્રમ સંવત ૨૦૮૧નું વર્ષ નિર્ણાયક અને પડકારજનક રહેવાનું છે.
ઍક તરફ પ્રદેશની ચારેય બાજુ વિકાસની જ્યોત ફૂલ ઝડપે પ્રગટેલી છે તો બીજી તરફ કેટલાક વાંકદેખાઓ વિકાસની જ્યોતને બૂઝવવાનો પણ નિરર્થક પ્રયાસ કરી રહ્ના છે. આ બંને પરિસ્થિતિમાં પ્રદેશના લોકોઍ પોતાની ભાવિ પેઢીની સલામતિ અને સમૃદ્ધિને ધ્યાનમાં રાખી ભવિષ્યમાં નિર્ણયો લેવા પડશે. નજીકના ભૂતકાળમાં રહેલી ત્રુટિઓને સરખી કરી પ્રદેશના સવા*ગી અને સમતોલ વિકાસ તરફ સવંત ૨૦૮૧માં નજર માંડવી પડશે.
નૂતન વર્ષ નિમિત્તે ‘સબકા સાથ, સબકા વિકાસ અને સબકા પ્રયાસ’થી વિકાસના વાતાવરણને જીવંત બનાવી હકારાત્મકતાની સાથે પ્રજા પ્રશાસન અને લોકપ્રતિનિધિઓ ડગથી ડગ માંડી આગળ વધે ઍવી શુભકામના સાથે દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને તંદુરસ્તી આવે ઍવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના.

 

 

Related posts

ચીખલીના ઢોલુમ્‍બર ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્‍તે સંદર્ભે ટીડીઓ દ્વારા આગામી 6ઠ્ઠી માર્ચે સામાન્‍ય સભા યોજવાનો હુકમ કરતા રાજકારણ ગરમાયું

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર દીવ દ્વારા જિલ્લા કક્ષાની વક્‍તવ્‍ય સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન હેઠળ દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા તિરîગા યાત્રા યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ગુરુવારે સવારે ગાઢ ધુમ્‍મસવાળા વાતાવરણને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ત્‍યારબાદ આખો દિવસ વાદળછાયું વાતાવરણ હોવાને કારણે આંશિક ઠંડીનો પણ અહેસાસ થયો હતો.

vartmanpravah

દમણમાં બસપાના સંસ્‍થાપક બહુજન નાયક કાંશીરામજીની 88મી જન્‍મજયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા વિવિધ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

vartmanpravah

Leave a Comment