(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12: વાપી જીઆઈડીસી થર્ડ ફેસ સ્થિત કોચરવા વડીયાવાડ ગામમાં આવેલ શ્રી મહાલેશ્વર મંદિરનો બુધવારે 20 વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. હરિઓમ મિત્ર મંડળના પ્રમુખ અને મંદિરના ટ્રસ્ટી ધીરૂભાઈ પટેલ દ્વારા ધામધૂમથી પાટોત્સવ ઉજવાયો હતો. જેમાં સવારથી પૂજા-અર્ચના અને મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. જેમાં 5 હજારથી વધુ ભક્તોએ લાભ લીધો હતો.