Vartman Pravah
Breaking Newsદીવ

દીવના બુચરવાડા ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ યોજાયો : ગ્રામવાસીઓએ લીધેલો લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.20
‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વ અને માર્ગદર્શનમાં જિલ્લા પ્રશાસન દ્વારા દીવની જનતાના હિત માટે ‘ પ્રશાસન ગાવ કી ઓર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. જે અંતર્ગત 20/12/2021 થી 24/12/2021 સુધી સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. જે દરમિયાન દીવ જિલ્લાની ચારેય ગ્રામ પંચાયતોમાં અને ઘોઘાલા પંચાયત ચોક ખાતે કાર્યક્રમો યોજાશે. જે સંદર્ભે આજરોજ બુચરવાડા ગ્રામ પંચાયત ખાતે 11 કલાકે ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં દીવ જિલ્લાની મુખ્‍ય કચેરીના સ્‍ટોલો, સ્‍વાસ્‍થ્‍ય વિભાગ, બેંક વગેરેના સ્‍ટોલો મૂકવામાં આવ્‍યા હતા. જેનો દીવની જનતાએ લાભ લીધો હતો.
આ અવસરે મામલતદાર શ્રી ચંદ્રહાસ વાઝાની સંપૂર્ણ દેખરેખ હેઠળ કાર્યક્રમનું સંચાલન થયું હતું. તા. ર1મી ડિસેમ્‍બરેસાઉદવાડી ખાતે ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ યોજાશે.

Related posts

લોકોના પ્રશ્નોનું સ્‍થળ ઉપર જ નિરાકરણનો રાજ્‍ય સરકારનો અનોખો કાર્યક્રમ એટલે ‘સ્‍વાગત’

vartmanpravah

પોલીસ દ્વારા વલસાડ, ઉમરગામ, વાપીમાં સંવેદનશીલ વિસ્‍તારોમાં સઘન કોમ્‍બીંગ ચલાવાયું

vartmanpravah

ચીખલીના થાલા ગામે ગત રાત્રે હત્‍યા કરાયેલ યુવાનની લાશ આરોપીઓ ન ઝડપાઈ ત્‍યાં સુધી ન સ્‍વીકારવાનો પરિવારનો ઈન્‍કાર

vartmanpravah

જિલ્લા પ્રશાસન દ્વારા દીવમાં જલંધર બીચ પરના મંદિર અને દરગાહને તોડી પડાયા

vartmanpravah

આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ધરાસણા મીઠા સત્યાગ્રહ સ્મારકના રિનોવેશન માટે ગુજરાત સરકાર અને પીડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે MOU થયા

vartmanpravah

વલસાડમાં જલારામ જ્‍યુસ સેન્‍ટરમાં વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

Leave a Comment