January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખરડપાડાના યુવાનનું સારવાર દરમ્‍યાન મોતઃ રિપોર્ટમાં ગળુ દબાવી હત્‍યા કરાઈ હોવાનું સામે આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: દાદરા નગર હવેલીના ખરડપાડાગામનો યુવાન કોઈક કારણસર બેહોશ થતાં સારવાર માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં લાવવામાં આવ્‍યો હતો જ્‍યાં એનું સારવાર દરમ્‍યાન મોત થયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ સુનિલ ભગવાનદાસ ભંડારી (ઉ.વ.45) રહેવાસી ખરડપાડા જેઓનો એમના પરિવાર સાથે કોઈક કારણસર ઝગડો થયો હતો. ત્‍યારબાદ અચાનક બેહોશ થઈ જતાં પરિવારના સભ્‍યો દ્વારા સારવાર માટે સેલવાસ ખાતેની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યો હતો. જ્‍યાં એનું સારવાર દરમ્‍યાન મોત થયું હતું. સવારે જ્‍યારે પોસ્‍ટમોર્ટમ (પી.એમ.) કરવામાં આવ્‍યુ ત્‍યારે પ્રાથમિક રિપોર્ટમાં એમનુ ગળું દબાવી હત્‍યા કરાઈ હોવાનું સામે આવ્‍યું હતું. આ ઘટનામાં ફરિયાદ સેલવાસ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

એલ ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ ખાતે યોજાયેલ નેશનલ લેવલ ટેકફેસ્ટ LAKSHYA 2K23માં જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના ઇનોવેશન હબની ટીમ રોબો રેસ સ્પર્ધામાં વિજેતા

vartmanpravah

ખતલવાડમાં બનવા પામેલી ચેઈન સ્‍નેચિંગની ઘટના

vartmanpravah

વાપી તાલુકા પંચાયતનાં એટીડીઓ ભરતભાઈ પટેલને અપાયું ભવ્‍ય નિવૃત્તિ વિદાયમાન: સંવેદનશીલ અને લોકાભિમુખ વહીવટમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશેઃ જીતેન્‍દ્ર ટંડેલ

vartmanpravah

નરોલીના હવેલી ફળિયામાં બંધ બંગલામાં થયેલી ચોરી

vartmanpravah

ચીખલી તાલુકામાં ભાજપની અલ્પકાલીન વિસ્તાર યોજનાનો પ્રારંભ

vartmanpravah

લઘુમતી સમાજના ૧૫ મુદ્દા અમલીકરણ સમિતિની બેઠક રાષ્ટ્રીય લઘુમતિ કમિશનના વાઈસ ચેરમેન કેરસી દેબુના અધ્યક્ષ સ્થાને યોજાઈ

vartmanpravah

Leave a Comment