March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખરડપાડાના યુવાનનું સારવાર દરમ્‍યાન મોતઃ રિપોર્ટમાં ગળુ દબાવી હત્‍યા કરાઈ હોવાનું સામે આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: દાદરા નગર હવેલીના ખરડપાડાગામનો યુવાન કોઈક કારણસર બેહોશ થતાં સારવાર માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં લાવવામાં આવ્‍યો હતો જ્‍યાં એનું સારવાર દરમ્‍યાન મોત થયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ સુનિલ ભગવાનદાસ ભંડારી (ઉ.વ.45) રહેવાસી ખરડપાડા જેઓનો એમના પરિવાર સાથે કોઈક કારણસર ઝગડો થયો હતો. ત્‍યારબાદ અચાનક બેહોશ થઈ જતાં પરિવારના સભ્‍યો દ્વારા સારવાર માટે સેલવાસ ખાતેની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યો હતો. જ્‍યાં એનું સારવાર દરમ્‍યાન મોત થયું હતું. સવારે જ્‍યારે પોસ્‍ટમોર્ટમ (પી.એમ.) કરવામાં આવ્‍યુ ત્‍યારે પ્રાથમિક રિપોર્ટમાં એમનુ ગળું દબાવી હત્‍યા કરાઈ હોવાનું સામે આવ્‍યું હતું. આ ઘટનામાં ફરિયાદ સેલવાસ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની રચનાત્‍મક પરિવર્તનલક્ષી દીર્ઘદૃષ્‍ટિનું પરિણામ : સેલવાસના જૂના સચિવાલય બિલ્‍ડીંગ ખાતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી કેમ્‍પસનો આરંભ

vartmanpravah

દાનહ અને દમણ-દીવની બંને લોકસભા બેઠકો ઐતિહાસિક માર્જીનથી જીતવા ભાજપે તેજ કરેલી કવાયત

vartmanpravah

વાપી પાલિકા દ્વારા ફાયર સિસ્‍ટમ ચેકિંગ અભિયાન બીયુ પરમીશન ન હોવાથી 5 ખાનગી સ્‍કૂલ સીલ કરી

vartmanpravah

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે જીગ્નેશ બારીની સર્વાનુમતે વરણી

vartmanpravah

દમણના સી.જે.એમ. સિનિયર ડીવીઝન અને કો-મેમ્‍બર સેક્રેટરી એ.પી.કોકાટેના અધ્‍યક્ષ સ્‍થાને દમણવાડા ખાતે કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

ચીખલીના રાનવેરી ખુર્દ અને ખરોલીમાં ભાજપના બહિષ્‍કારના લાગેલા બેનરો

vartmanpravah

Leave a Comment