(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: દાદરા નગર હવેલીના ખરડપાડાગામનો યુવાન કોઈક કારણસર બેહોશ થતાં સારવાર માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં એનું સારવાર દરમ્યાન મોત થયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ સુનિલ ભગવાનદાસ ભંડારી (ઉ.વ.45) રહેવાસી ખરડપાડા જેઓનો એમના પરિવાર સાથે કોઈક કારણસર ઝગડો થયો હતો. ત્યારબાદ અચાનક બેહોશ થઈ જતાં પરિવારના સભ્યો દ્વારા સારવાર માટે સેલવાસ ખાતેની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં એનું સારવાર દરમ્યાન મોત થયું હતું. સવારે જ્યારે પોસ્ટમોર્ટમ (પી.એમ.) કરવામાં આવ્યુ ત્યારે પ્રાથમિક રિપોર્ટમાં એમનુ ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનામાં ફરિયાદ સેલવાસ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.